Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૩/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૩/૦૬/૨૦૨૬)
- દિલ્હી એરપોર્ટ પર ₹4.83 કરોડનું હાઇડ્રોપોનિક ગાંજું જપ્ત; મુસાફરની ધરપકડ
- ગાંધીનગરનું પ્રાકૃતિક કૃષિ મોડેલ વૈશ્વિક સ્તરે ચમકશે: એક નવી હરિયાળી ક્રાન્તિ તરફ પ્રયાણ
- યુ.પીના લખનૌના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતાં વિદ્યાર્થીઓએ બચવા માટે ઇમારત પરથી કૂદકો માર્યો
- મહારાષ્ટ્ર વિધાન પરિષદના પરિણામો: મહાયુતિએ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો, 17 માંથી 16 બેઠકો જીતી
- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા નિમિતે રથોનું શરૂ થયું રંગરોગાન
- રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારેથી વાદળોની ગર્જના અને ઠંડા પવનથી વાતાવરણમાં પલટો
- બેન સ્ટોક્સ ત્રીજી ન્યુઝીલેન્ડ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડની ટીમમાં પરત ફર્યા છે
- કેન્દ્ર સરકારે તુષાર મહેતાને 3 વર્ષ માટે SG તરીકે ફરીથી નિયુક્ત કર્યા, ASGsનો કાર્યકાળ લંબાવ્યો
- મહારાષ્ટ્રના સીનીયર નેતા ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો!
- વિઝા નીતિમાં ફેરફાર વચ્ચે યુએસ H-1B અરજદારોને નવા પડકારજનક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે
Author: GNSnewsAdmin
હીટવેવથી હારવાનું નથી, લડવાનું છે: રેડ એલર્ટમાં કેવી રીતે રાખશો કાળજી ? ગરમી હવે માત્ર અગવડતા નથી, પણ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે આટલા ઉપાયો અજમાવી આ ઉનાળે “લૂ”ને મ્હાત આપો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો (જી.એન.એસ) તા. ૧૩ ગાંધીનગર, ગુજરાતમાં ઉનાળા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવ એટલે કે, લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળામાં ગરમીને ધ્યાને રાખીને હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવે, તે સમયાગળો માત્ર ગરમી નહિ, પરંતુ સ્વાસ્થ્ય માટે એક ગંભીર ચેતવણી સમાન છે. આ કાળઝાળ ગરમીમાં તમામ વયના નાગરિકોને સુરક્ષિત રહેવા માટે માર્ગદર્શિકામાં જણાવેલા…
જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા આયોજિત વિવિધ સત્રોમાં નિષ્ણાતોએ જાતિગત સંવેદનશીલતા વિષય પર માર્ગદર્શન આપ્યું (જી.એન.એસ) તા. ૧૩ ગાંધીનગર, રોજિંદા જીવન અને કાર્યસ્થળ પર લિંગ આધારિત પૂર્વગ્રહોને ઓળખી વધુ સંવેદનશીલ અને સમાનતાપૂર્ણ વર્તન અપનાવવાના હેતુ સાથે “POSH Act, 2013 તથા જેન્ડર સેન્સિટાઈઝેશન” વિષય પર તા. ૧૧ અને ૧૨ મે, ૨૦૨૬ દરમિયાન દ્વારકા હોલ, સ્વર્ણિમ સંકુલ-૨, સચિવાલય, ગાંધીનગર ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન યોજાયેલા વિવિધ સત્રોમાં POSH Act, 2013 તથા કાર્યસ્થળે ગરિમાપૂર્ણ અભિગમ અને સમાવેશતા વિષય પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તા. ૧૧ મેના રોજ શ્રી યોગિતા આહુજા, Chairperson CII_Indian Women Network અને તા.૧૨ મે ના રોજ…
ગુજરાત સરકારના પ્રોત્સાહન અને જાગૃતિ કાર્યક્રમોથી રાજ્યમાં ખેતીનું ચિત્ર બદલાયું ગીરના યુવા ખેડૂત દિનેશ સોલંકીએ અનોખા પ્રયોગથી નાળિયેર ઉત્પાદનમાં અનેકગણો વધારો કર્યો, આવક ₹12–15 લાખ સુધી પહોંચી (જી.એન.એસ) તા. ૧૩ ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું કૃષિ ક્ષેત્ર પરંપરાગત ખેતીમાંથી આધુનિક, ટેક્નોલૉજી-આધારિત અને નિકાસલક્ષી ખેતી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ પરંપરાગત પાકો ઉપરાંત બાગાયતી પાકો અને મૂલ્યવર્ધિત ખેતીને સતત પ્રોત્સાહન મળતા ખેડૂતોની આવકમાં વધારો થયો છે. રાજ્યનો વિશાળ દરિયાકાંઠો નાળિયેરની ખેતી માટે અનુકૂળ હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. ટેન્ડર કોકોનટની વધતી માંગ અને દરિયાકાંઠાના વિસ્તરણને કારણે ગુજરાતે નાળિયેરની ખેતીમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાવ્યું છે.…
જામનગર ખાતે મરીન ટાસ્ક ફોર્સનું દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ (જી.એન.એસ) તા. ૧૩ જામનગર, છેલ્લા ઘણા મહિનાઓથી અનેક દેશોમાં સર્જાયેલી યુદ્ધની તંગદિલી અને રાષ્ટ્રીય સુરક્ષાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયાકાંઠે હાઈ-એલર્ટ જેવી સ્થિતિ છે. આ અંતર્ગત જામનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ‘સઘન કોસ્ટલ પેટ્રોલિંગ’ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે. મ્હ્ય્વનું છે કે, મરીન ટાસ્ક ફોર્સની અલગ અલગ ટીમો દ્વારા દેશની સુરક્ષા સામેના ખતરાને ટાળવા અને કોઈપણ પ્રકારની ઘૂસણખોરી રોકવા માટે આ પ્રકારની કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. દરિયાકાંઠાના ગ્રામજનો અને માછીમારોને પણ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા સૂચના…
(જી.એન.એસ) તા. ૧૩ ગાંધીનગર, ગુજરાતમાં આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાના પોલીસના વલણ સામે ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે ચેતવણી ઉચ્ચારી છે. DGPએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો છે કે, ‘આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો….’ આ મામલે DGPએ લેખિતમાં આદેશ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી નહીં શકાય અને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવું નહીં. આમ, આરોપીને જાહેરમાં લાત કે લાકડી મારવી નહીં. તેમજ તેમની પાસે જાહેરમાં માફી મંગાવી નહીં.’ રાજ્યમાં હવે પોલીસ દ્વારા ગુનેગારોને જાહેરમાં શાન ઠેકાણે લાવવાની પોલીસની જૂની પદ્ધતિઓ પર બ્રેક લાગી ગઈ છે. રાજ્યના ડીજીપી (DGP) એ તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને એક…
(જી.એન.એસ) તા. ૧૩ ન્યુ યોર્ક, શેફ વિકાસ ખન્ના ન્યૂ યોર્ક રાજ્યના પ્રથમ ભારતીય બન્યા જેમને તેમના ઉત્કૃષ્ટ, પ્રેરણાદાયક કલાત્મક અને રાંધણ યોગદાન માટે એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડર હેરિટેજ મહિના દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે, ન્યૂ યોર્ક રાજ્યના ગવર્નર કેથી હોચુલે રાજ્યની રાજધાની, અલ્બેનીમાં AI હેરિટેજ મહિનાની ઉજવણી દરમિયાન ખન્ના પર “વિશેષ પ્રશસ્તિપત્ર” એનાયત કર્યો હતો. ખન્નાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ સન્માનને “ઊંડે ભાવનાત્મક અને નમ્ર” ગણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, “આ માન્યતાને વધુ અર્થપૂર્ણ બનાવે છે તે એ છે કે ન્યૂ યોર્ક રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ભારતીયને આ સન્માન મળ્યું છે.” એ નોંધતા…
(જી.એન.એસ) તા. ૧૩ ચેન્નાઈ, ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) ના વડા એડાપ્પડી કે. પલાનીસ્વામી (EPS) એ બુધવારે પાર્ટીની અંદર 25 નેતાઓને તેમના પદ પરથી દૂર કર્યા. જે નેતાઓને દૂર કરવામાં આવ્યા છે તેમાં AIADMK ના નેતા એસપી વેલુમાણી અને સીવી શનમુગમનો સમાવેશ થાય છે. નાથમ આર વિશ્વનાથન સહિત AIADMK ના બળવાખોર ધારાસભ્યોએ પાર્ટીના આદેશનો વિરોધ કર્યો અને અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના ગૃહમાં બહુમતી સાબિત કરવાના પ્રયાસને સમર્થન આપ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન બળવાખોર AIADMK ના ધારાસભ્યોએ TVK સરકારની તરફેણમાં મતદાન કર્યું. આ નેતાઓ પર વ્હીપ ફટકાર્યા પછી, પલાનીસ્વામીએ તેમની જગ્યાએ નવા જિલ્લા…
(જી.એન.એસ) તા. ૧૨ ટોરોન્ટો, આતંકવાદ સંબંધિત આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હોવા છતાં અને બાદમાં તેમને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યા હોવા છતાં, કેનેડાની સરકાર તહવ્વુર હુસૈન રાણાનું નાગરિકત્વ રદ કરવા માટે સંઘર્ષ કરી રહી હોય તેમ હાલની સ્થિતિ જોઇને લાગી રહ્યું છે , જેના પર 26/11 ના કાવતરા પાછળના મુખ્ય વ્યક્તિઓમાંનો એક હોવાનો આરોપ છે. વિલંબના કારણોમાં તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના શાસનકાળમાં નાગરિકત્વ કાયદામાં ફેરફારનો સમાવેશ થાય છે, જેમાં આતંકવાદને આવી કાર્યવાહીના કારણ તરીકે દૂર કરવામાં આવ્યો હતો. કેટલાક મીડિયા સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે જ્યારે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ ફેડરલ કોર્ટમાં રાણાની નાગરિકતા રદ કરવા વિનંતી…
સ્પિપાના ડાયરેક્ટર જનરલ શ્રી હરિત શુક્લા સાથે યુવા અધિકારીઓએ લોકભવનમાં રાજ્યપાલશ્રી સાથે કરી મુલાકાત (જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા -સ્પિપાના ડાયરેક્ટર જનરલ શ્રી હરિત શુક્લા અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી ચંદ્રેશ કોટકના માર્ગદર્શન હેઠળ ગુજરાત કેડરના ૨૦૨૫ બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ યુવા અધિકારીઓને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વહીવટમાં પારદર્શિતા તેમજ સંવેદનશીલતા લાવવા પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અધિકારીઓએ માત્ર ફાઈલો સુધી મર્યાદિત ન રહીને જમીની સ્તર પર જનતાની સમસ્યાઓ સમજવી જોઈએ.…
(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ પૂરક પરીક્ષા 11 જૂનથી શરૂ થશે અને 20 જૂન સુધી યોજાશે. આ પરીક્ષા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે, જેઓ મુખ્ય પરીક્ષામાં અનુત્તીર્ણ થયા છે અથવા જે કોઈ કારણસર પરીક્ષા માટે પાત્ર હતા પરંતુ પરિણામ સંતોષકારક ન આવ્યું હોય. રાજ્ય શિક્ષણ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, પૂરક પરીક્ષામાં માત્ર યોગ્ય ઉમેદવારો જ ભાગ લઈ શકશે. તેમાં ધોરણ 10 અને 12 બંનેના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને એક…
