Author: dhrumit

(જી.એન.એસ) તા. ૫ ગાંધીનગર/પોરબંદર, આપના દેશના અનેક લોકો ને થાઈલેન્ડના માર્ગે ગેરકાયદેસર મ્યાનમાર લઈ જઈ સાયબર સ્લેવરી કરાવતી એક ગેંગનો પર્દાફાશ ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલેન્સ દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે પોરબંદરના હિતેશ સોમૈયા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી દોઢ વર્ષ બાદ ભારત આવ્યો હોવાનું જણાય છે. આ બાબતે સાયબર ક્રાઇમ સેલના SP ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ‘ભારતીયોને થાઇલેન્ડમાં લઈ જવામાં આવતા હતા, ત્યાંથી ગેરકાયદેસર મોઈ નદી ક્રોસ કરાવતા હતા અને ત્યાં જઈને સાયબર ફોડના કામ કરાવતા હતા. જેમાં મ્યાનમારમાં આરોપીઓ એક ઓફિસ ચલાવીને ભારતીય લોકોને ગુલામ બનાવવામાં આવતા હતા.’ SPએ વધુમાં જણાવ્યું કે, આરોપીએ…

Read More

સુરત કામરેજનાં ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર/સુરત, ગુજરાતની સરકારનાં નવા મંત્રીમંડળમાં શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ને ફરીવાર મંત્રી પદ આપવામાં આવ્યું છે. ભાજપનાં મોવડી મંડળે પ્રફુલભાઈ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. 54 વર્ષીય પ્રફુલ પાનસેરિયાનો જન્મ 1 જૂન, 1971 નાં રોજ થયો હતો. પ્રફુલભાઈ પાનસેરિયા દક્ષિણ ગુજરાતમાંથી આવતા એક જાણીતા પાટીદાર ચહેરા છે. તેઓ સુરતની કામરેજ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2012 થી તેઓ સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે MA અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે. ગુજરાત સરકારમાં શિક્ષણ રાજ્યમંત્રી તરીકે તેમણે ઉમદા પ્રકારની સેવાઓ આપી…

Read More

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, :: કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ :: ૧. શ્રી જિતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી બેઠક નંબર: ૧૦૫, ભાવનગર (પશ્ચિમ) મત વિભાગ (ભાવનગર શહેર) જન્મઃ તા. ૨૮મી જુલાઈ, ૧૯૭૦, વરતેજ. વ્યવસાય: ખેતી અને બાંધકામ સંસદીય કારકિર્દી: ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. ૧૪મી ગુજરાત વિધાનસભા દરમિયાન તા.૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૦૯ ડિસેમ્બર ૨૦૨૨ સુધી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી તરીકે સેવાઓ આપી હતી. આ ઉપરાંત ૧૫મી વિધાનસભાના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે તા. ૨૦મી એપ્રિલ, ૨૦૨૩થી કાર્યરત છે. શોખ: વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત, પ્રવાસ ૨. શ્રી…

Read More

(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓને વિભાગોની ફાળવણી:- ક્રમનામહોદ્દોવિષય ફાળવણી૧.શ્રી ભૂપેન્દ્ર રજનીકાન્ત પટેલમુખ્યમંત્રીશ્રીસામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, નર્મદા અને કલ્પસર, ખાણ અને ખનિજ, બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો૨.શ્રી હર્ષ રમેશકુમાર સંઘવી નાયબ મુખ્યમંત્રીશ્રીગૃહ અને પોલીસ હાઉસીંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી, વાહનવ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન…

Read More

પ્રાકૃતિક કૃષિ તેમજ સ્વદેશી અભિયાન જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે કેન્દ્રીય મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતુ. આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી જેવા મુદ્દાઓ પર સાર્થક ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશન અને તેના પ્રોત્સાહક પરિણામોથી કેન્દ્રીય મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

Read More

(જી.એન.એસ) તા. 17 પોસ્ટ વિભાગ (DOP)એ ભૂતપૂર્વ સૈનિક સેવાઓ વિભાગ (DESW)ના સહયોગથી, ભૂતપૂર્વ સૈનિક ફાળો આપતી આરોગ્ય યોજના (ECHS) હેઠળ દવાઓના પિકઅપ, બુકિંગ, ટ્રાન્સમિશન અને ઘરે ઘરે પહોંચાડવાની સુવિધા માટે એક સમર્પિત સેવા શરૂ કરી છે જે ECHS પોલીક્લિનિક્સમાં ઉપલબ્ધ નથી. આ પહેલ હેઠળ, ECHS પોલીક્લિનિક્સમાં સ્થિત ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો (VLEs)ના કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs) દ્વારા દવાઓ ખરીદવામાં આવશે અને પેક કરવામાં આવશે, જ્યારે લોજિસ્ટિક્સ અને વિતરણનું સંચાલન ઇન્ડિયા પોસ્ટના વિશ્વસનીય ડિલિવરી નેટવર્ક દ્વારા કરવામાં આવશે. આ વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે કે દવાઓ ECHS લાભાર્થીઓ સુધી કાર્યક્ષમ, સુરક્ષિત રીતે અને દેશના ખૂણે ખૂણે પહોંચે. આ સેવાનો પહેલો પાયલોટ પ્રોજેક્ટ 31 જુલાઈ, 2025ના રોજ દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો અને બાદમાં તેને હરિયાણા અને ઉત્તર પ્રદેશને…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા નવા વરાયેલા મંત્રીશ્રીઓમાં 5 કેબિનેટ મંત્રીશ્રીઓ,  રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર)ના 3 મંત્રીશ્રીઓ અને  રાજ્યકક્ષાના 12 મંત્રીશ્રીઓનો સમાવેશ (જી.એન.એસ) તા. 17 ગાંધીનગર, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રી સમક્ષ નાયબ મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીશ્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં.…

Read More

મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ખાસ ભાર, પ્રથમ વખત નોકરી કરનારાને ₹15,000 સુધીનો પગાર બે હપ્તામાં મળશે (જી.એન.એસ) તા. 17 અમદાવાદ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી માં કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. મહેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં EPFO, ESIC, રીજનલ લેબર કમિશનર અને વિવિધ ઉદ્યોગો સહિત અંદાજે 100 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠકનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના ની અસરકારક અમલવારી માટે તમામ હિતધારકોને સાથે લાવવાનો હતો. કેન્દ્રીય કેબિનેટે આ યોજના 1 જુલાઈ 2025ના રોજ મંજૂર કરી હતી. આ યોજના હેઠળ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 સુધીમાં 3.5 કરોડ નોકરીઓ સર્જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ખાસ ધ્યાન **મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર** પર આપવામાં આવ્યું છે. યોજનો પર કુલ ખર્ચ: ₹99,446 કરોડ 2 ભાગો: ભાગ A – પ્રથમ વખત નોકરી કરનારા માટે | ભાગ B – નિયામકો માટે પ્રોત્સાહન ભાગ A: પ્રથમ વખત નોકરી લેનારાઓ માટે પ્રોત્સાહન અમુક રકમ બચત ખાતામાં જમા થશે, જે નિર્ધારિત સમય પછી ઉપાડી શકાય છે. આશરે 1.92 કરોડ લોકો ભાગ A હેઠળ લાભાર્થી બનશે. ભાગ B: નિયામકો માટે સહાય EPF પગાર શ્રેણી નિયામકને સહાય (દર મહિને) ₹10,000 સુધી ₹1,000 સુધી (અનુપાત પ્રમાણે)₹10,000 – ₹20,000₹2,000 ₹20,000 – ₹1 લાખ ₹3,000 આશરે 2.60 કરોડ નવા નોકરીદારો ભાગ B હેઠળ ઉમેરાશે. અનુદાન ચુકવણી પદ્ધતિ: આ યોજના ભારતને કૌશલ્યવાન, સુરક્ષિત અને ભવિષ્ય માટે તૈયાર કામદારો સાથે સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન છે. આ “ડ્યુઅલ બેનિફિટ” માળખું નોકરીશરૂ કરનાર યુવાઓને નાણાકીય સશક્તિ અને નોકરીદારોને નવી નોકરીઓ માટે પ્રોત્સાહન પૂરું પાડી છે.

Read More

(જી.એન.એસ) તા. 10 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને સરકાર સાથે જોડીને ‘સ્વચ્છતાથી સેમિકન્ડક્ટર’ સુધીના દરેક ક્ષેત્રોમાં વિકાસની ઊંચાઈઓ સર કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસ ફક્ત નગરો કે મોટા શહેરો સુધી જ ન રહે અને દરેક ગામ, દરેક પ્રદેશના લોકો તેના સહભાગી થાય અને વિકાસ તેમના સુધી પણ પહોંચે તેવા વડાપ્રધાનશ્રીના વિઝનથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું રાજ્યમાં આયોજન થયું છે. મુખ્યમંત્રીશ્રી મહેસાણા જિલ્લાના ખેરવાની ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલી ઉત્તર ગુજરાત પ્રદેશની દ્વિ-દિવસિય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સમાપન અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા. તેમણે “વેલ બિગન ઇઝ હાફ ડન” ઉક્તિનો ઉલ્લેખ…

Read More