Author: dhrumit

(જી.એન.એસ) તા. 1 અમદાવાદ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્ષ ૨૦૨૪માં ૩૮ હજાર લોકોનું નિશુલ્ક સ્ક્રિનિંગ કરવામાં આવ્યું: આરોગ્ય કમિશનર શ્રી હર્ષદભાઈ પટેલ વર્ષ ૨૦૨૪માં ભારત દેશના દરેક રાજ્યમાંથી કેન્સરના દર્દીઓએ GCRIમાં કેન્સરની સારવાર લીધી: જીસીઆરઆઈના નિયામક નિયામક ડૉ. શશાંક પંડ્યા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિશ્વ કેન્સર દિવસ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ‘યુનાઇટેડ બાય યુનિક’ કેન્સર હિરોઝ, આપણી વચ્ચે કાર્યક્રમ સરદાર સ્મારક અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ કમિશનર શ્રી હર્ષદભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. કેન્સર ક્ષેત્રે જાગૃતિ લાવવાના મુખ્ય ધ્યેયને કેન્દ્રમાં રાખીને આયોજન કરેલ આ…

Read More

(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(1 ફેબ્રુઆરી, 2025) નવી દિલ્હીમાં નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો 2025નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે પુસ્તકો વાંચવું એ માત્ર એક શોખ નથી; તે એક પરિવર્તનશીલ અનુભવ છે. વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓના પુસ્તકો વાંચવાથી પ્રદેશો અને સમુદાયો વચ્ચે સેતુ બને છે. તેમને એ જાણીને આનંદ થયો કે નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળામાં ભારતની વિવિધ ભાષાઓ અને અન્ય દેશોની ભાષાઓનું પ્રતિનિધિત્વ કરતા ઘણા સ્ટોલ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પુસ્તક મેળો પુસ્તકપ્રેમીઓને એક જ જગ્યાએ વિશ્વભરના સાહિત્યનો લાભ મેળવવા સક્ષમ બનાવશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અભ્યાસક્રમના ભાગ રૂપે નિર્ધારિત પુસ્તકો વાંચવા ઉપરાંત, શાળાના…

Read More

(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, ભારતીય તટરક્ષક દળના 49 મા સ્થાપના દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તટરક્ષક દળના અધિકારીઓ-કર્મચારીઓ અને પરિવારજનોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા. આ અવસરે તેમણે કહ્યું કે, તટરક્ષક દળ અને ભારતની ત્રણેય સેનાઓ આપણું ગૌરવ છે, દેશની પ્રતિષ્ઠા છે અને રાષ્ટ્રનું સન્માન છે. ત્રણેય સેના અને ભારતીય તટરક્ષક રાષ્ટ્રની સરહદે સુરક્ષા માટે સજાગ છે એટલે જ આપણે ભારતીયો સુખ-ચૈનની નિંદ્રા માણી શકીએ છીએ. ભારતનો ચતુર્દિશામાં વિકાસ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં ભારતીય તટરક્ષકના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર દ્વારા તટરક્ષક દળના સ્થાપના દિવસ નિમિત્તે સ્વાગત સમારોહનું ભવ્ય આયોજન કરાયું હતું. તટરક્ષક દળની પરંપરા પ્રમાણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, ભારતીય વાયુસેનાના દક્ષિણ-પશ્ચિમ…

Read More

(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની મોદી 3.O સરકારના આ વર્ષના બજેટને વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના જગાવનારું બજેટ ગણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશની જનતા જનાર્દન ખાસ કરીને મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોની આશા આકાંક્ષા પુરી પાડનારા આ બજેટને ‘સિટિઝન ફસ્ટ’ બજેટ તરીકે સમગ્ર ગુજરાત વતી આવકાર્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ આધારિત વિકાસને વેગ આપતું આ બજેટ છે. તેમાં એગ્રીકલ્ચર, MSME, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સ ચાર એન્જિનને ગતિ માટેના મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા છે. નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીથારમણએ કેન્દ્ર સરકારનું સતત…

Read More

(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાને સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, બજેટ 2025-26નો ઉદ્દેશ છ ક્ષેત્રોમાં પરિવર્તનકારી સુધારાઓ શરૂ કરવાનો છે, જે આગામી પાંચ વર્ષ દરમિયાન આપણી વૃદ્ધિની સંભવિતતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. આમાંનું એક ક્ષેત્ર નાણાકીય ક્ષેત્ર છે, જેમાં વીમા, પેન્શન, દ્વિપક્ષીય રોકાણ સંધિઓ (બીઆઇટી) વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) શ્રીમતી નિર્મલા સીતારામને માહિતી આપી હતી કે વીમા ક્ષેત્ર માટે એફડીઆઈની મર્યાદા 74 થી વધારીને 100 ટકા કરવામાં આવશે. આ ઉન્નત મર્યાદા તે કંપનીઓ માટે ઉપલબ્ધ રહેશે જે ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમનું રોકાણ કરે છે. વિદેશી રોકાણ સાથે સંકળાયેલી વર્તમાન મર્યાદાઓ અને નિયંત્રણોની સમીક્ષા અને…

Read More

(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આદિજાતી વિસ્તારોમાં મધમાખી પાલનનો વ્યાપ વધારવા માટે સહાયલક્ષી યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ આદિજાતિ તાલુકાના મધમાખી પાલકો, સેલ્ફ હેલ્પ ગ્રુપ, સખી મંડળ, FPO અને FPCના આદિજાતિ સભાસદને વિનામૂલ્યે બે મધમાખીની હાઇવ્સ તથા કોલોની (મધમાખીની પેટી) પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે મધમાખી પાલકોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મહત્તમ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૭ ફેબ્રુઆરી સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને…

Read More

(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના નવનિયુક્ત મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીને ઉષ્માભેર આવકારીને તેમને નવા કાર્યભાર માટે શુભકામનાઓ પાઠવી છે. શ્રી પંકજ જોષીએ મુખ્ય સચિવ તરીકેનો પદભાર સંભાળ્યા પછી રાજભવન ખાતે રાજયપાલશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Read More

(જી.એન.એસ) તા. 1 અમદાવાદ, ભારતીય ડાક વિભાગ લાંબા સમયથી પત્રો અને પાર્સલ તેમજ જીવન વીમા ક્ષેત્રે કામ કરી રહ્યું છે. ૧ ફેબ્રુઆરી, 1884ના રોજ શરૂ થયેલી, ‘પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ’ એ ભારતમાં સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ માટે સૌથી જૂની વીમા યોજના છે, જેનો લાભ હવે ખાનગી ક્ષેત્રના વ્યાવસાયિકો અને માન્ય યુનિવર્સિટી/સંસ્થાના તમામ સ્નાતકો/ડિપ્લોમા ધારકો પણ લઈ શકે છે. ઉપરોક્ત ઉદગાર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ડાક જીવન વીમાના ગૌરવશાળી 141માં વર્ષમાં પ્રવેશ કરતી વખતે, 1 ફેબ્રુઆરી, 2025ના રોજ અમદાવાદના હાથીજણ સ્થિત સ્વામી નારાયણ મંદિરના પરિસરમાં આયોજિત એક કાર્યક્રમમાં વ્યક્ત કર્યા. આ પ્રસંગે, તેમણે વીમાધારકોને પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસી બોન્ડ્સ આપ્યા અને તેમના સુખી ભવિષ્યની શુભેચ્છા…

Read More

(જી.એન.એસ) તા. 1 અમદાવાદ, પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ ખાતે તારીખ 13.02.2025ને ગુરુવારે 11.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રિજયોનલ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવ્યા હતા પરંતુ જેનું નિવારણ થયું નથી તેવા મુદ્દા જ આ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવશે અને તેનું નિવારણ કરવામાં આવશે. પેન્શન સંબંધિત અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ-7, એકાઉન્ટ અને પેન્શન વિભાગ, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001ને મોડામાં મોડી તારીખ 06.02.2025ને ગુરુવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત…

Read More

(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જળ જીવન મિશન માટે કુલ બજેટ ખર્ચ રૂ. 67,000 કરોડ સુધી વધારવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે આ મિશનને 2028 સુધી લંબાવવામાં આવ્યું છે. શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે 2019થી ભારતની ગ્રામીણ વસ્તીના 80 ટકાનું પ્રતિનિધિત્વ કરતા 15 કરોડ પરિવારોને જળ જીવન મિશનનો લાભ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ મિશન હેઠળ પીવાના નળના પાણીના જોડાણોની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને આગામી ત્રણ વર્ષમાં 100 ટકા કવરેજ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે. જળ જીવન મિશનનું ધ્યાન “જન ભાગીદારી” દ્વારા ગ્રામીણ પાઇપ પાણી પુરવઠા યોજનાઓના માળખાગત સુવિધાઓ અને સંચાલન અને…

Read More