Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીનો પ્રજાજોગ સંદેશ
- કેન્દ્ર સરકાર ઇથેનોલ મિશ્રણો, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઉત્સર્જન નિયમમાં ફેરફારની વિચારણા
- મની લોન્ડરિંગ કેસમાં I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલને જામીન મળ્યા
- આજનું રાશિફળ (૦૧/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૧/૦૫/૨૦૨૬)
- પોષણ ક્ષેત્રે અમદાવાદ ઝોન બનશે વધુ મજબૂત: પોષણ સંગમ વર્કશોપમાં માઇક્રો પ્લાનિંગ અને પરિણામલક્ષી કામગીરી પર ભાર મુકાયો
- સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
- પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ‘ધૂમ્રપાન’ કરવા બદલ રિયાન પરાગને મોટો દંડ ફટકારવામાં આવ્યો
- દિલ્હી હાઈકોર્ટે કરિશ્મા કપૂરના બાળકોને વચગાળાની રાહત આપી, પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિમાંથી રોકી
- એક યાત્રી બેભાન થઈ જતાં ઇન્ડિગો ફ્લાઇટનું રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો
- ‘નાગરિકોને માન આપો’: સગીરાના ગર્ભપાત અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર
Author: devarshi
(જી.એન.એસ) તા. 27 વોશિંગ્ટન, અમેરિકાના ફરીવાર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે હવે તેમના દ્વારા ઓટો આયાત પર ભારે ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે વ્હાઇટ હાઉસે માહિતી આપી હતી કે ટ્રમ્પે વિદેશી ઉત્પાદિત વાહનો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે, “જે કારનું નિર્માણ અમેરિકામાં થયું નથી અમે તેના પર 25 ટકા ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ. જો અમેરિકામાં જ કારનું નિર્માણ થયેલું હશે તો કોઈ ટેરિફ નહીં ચૂકવવો પડે. મારો નિર્ણય આગામી 2 એપ્રિલથી અમલમાં આવશે. ટ્રમ્પે ખાસ કહ્યું કે હાલમાં વિદેશી…
અમેરિકાએ ચીનની સાથે-સાથે ભારત પણ ફેન્ટાનિલના ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત હોવાનું કહીને હડકંપ મચાવ્યો (જી.એન.એસ) તા. 27 વોશિંગ્ટન, અમેરિકા દ્વારા ફરી એકવાર આંચકા સ્વરૂપ નિવેદન કરવામાં આવ્યું છે જેમાં હવે ચીનની સાથે-સાથે ભારત પણ ફેન્ટાનિલના ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત હોવાનું કહીને હડકંપ મચાવ્યો છે. ફેન્ટાનિલના લીધે અમેરિકામાં ઓક્ટોબર 2024 સુધીમાં 52 હજારના મોત થયા હતા. અમેરિકામાં આજે આ ડ્રગ્સની લત જબરદસ્ત ફેલાઈ છે. ટ્રમ્પે ફેન્ટાનિલના ગેરકાયદેસરના ટ્રાફિકિંગ સામે આકરી કાર્યવાહી પણ શરૂ કરી છે. અમેરિકામાં કોંગ્રેસની સંરક્ષણ બાબતો અંગેની સમિતિ સમક્ષ આપેલાં નિવેદનમાં ડિરેકટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબ્બાર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચાયના અમેરિકા માટે સૌથી મોટી સેનાકીય તેમજ સાયબર…
(જી.એન.એસ) તા. 27 સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને હવે બોલિવૂડ સ્ટુડિયો ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ મોકલવામા આવી છે, કારણ કે, તેના વિશેષ સ્ટેન્ડ-અપ સ્પેશિયલ ‘નયા ભારત’માં મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદે અને બાદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પર બોલિવૂડ ગીતની પૅરોડી બનાવી કટાક્ષ કરતો વીડિયો યુટ્યૂબ પર અપલોડ કર્યો હતો. ટી સીરિઝે યુટ્યૂબ પર કોપીરાઈટના ભંગ બદલ આ વીડિયો બ્લોક કરાવી દીધો છે. કામરાએ સોશિયલ મીડિયા X પર સ્ક્રિનશોટ શેર કરી આ અંગે માહિતી આપી હતી કે, તેના વીડિયોને કોપીરાઈટના ભંગ બદલ બ્લોક કરવામાં આવ્યો છે. જેથી હવે વીડિયો કમાણી કરી શકશે નહીં. આ મામલે કામરાએ એક્સ (પહેલાનું ટ્વિટર) પર એક પોસ્ટમાં લખ્યું…
બાવળા પોલીસે ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી (જી.એન.એસ) તા. 27 અમદાવાદ, અમદાવાદના બાવળાની એક ખાનગી કેમિકલ કંપનીમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. બાવળા શહેરના ઢેઢાળ ગામમાં આવેલી શ્રી કેમિકલ્સ નામની ઈન્ડસ્ટ્રીઝમાં મિકેનિકલ ખામી સર્જાતા બે કર્મચારી કેમિકલ પ્લાન્ટના ટેન્કમાં ઉતર્યા હતા. આ સમયે ટેન્કમાં ગૂંગળામણ થતાં બે લોકોના મોત થયા છે. ઘટના બનતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને બેભાન અવસ્થામાં બાવળાની સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં હાજર ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ…
આરોપી દ્વારા 90 જેટલી બોગસ વેબસાઈટ બનાવી આચર્યું ફ્રોડ (જી.એન.એસ) તા. 27 મોરબી, મોરબીની સાયબર ક્રાઈમ પોલીસે વાઘપરામાં રહેતા હીરેનભાઇ મહેન્દ્રભાઇ પુજારા દ્વારા સોશિયલ મીડીયામાં ટાટા ઝુડીયો ફ્રેન્ચાઇઝી બાબતે સર્ચ કરતા ઝુડીયો ટ્રેન્ટ લિમિટેડ નામનુ પેજ ઓપન થયે તેના પર તેઓએ પોતાની વિગતો ભરી સબમીટ કરેલ હતી. બાદમાં આરોપીઓ દ્વારા ફરીયાદીને ફોન દ્વારા સંપર્ક કરી ડીપોઝીટના નામે વિવિધ બેન્ક એકાઉન્ટમાં રૂપીયા ડીપોઝીટ કરાવી કુલ રૂ. 2803500/- નુ ઓનલાઇન ફ્રોડ કરેલ હતુ. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધવામાં આવેલ હતો. આ મામલે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ફ્રોડમાં થયેલ વિવિધ બેંક ટ્રાન્ઝેક્શનોને એનેલાઇઝ કરતા આરોપી દ્વારા પ્રથમ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રૂપીયા જમા…
(જી.એન.એસ) તા. 27 શાહજહાંપુર, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી જેમાં એક પિતાએ પોતાના ચાર બાળકો ગળું કાપીને હત્યા કરી અને ત્યાર બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાબતે સમાચાર મળતા જ તાત્કાલિક ધોરણે પોલીસ સહિત ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મૃતકોની ઉંમર 10 વર્ષ, 8 વર્ષની બાળકી, 7 અને 5 વર્ષનો છોકરો સામેલ છે. આ બાબતે મીડિયા સૂત્રો અનુસાર, પિતાએ પોતાના ચારેય માસૂમ બાળકોનું ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારબાદ પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલ પોલીસ મૃતકોની ડેડબોડીને કબજે કરીને કાર્યવાહી…
(જી.એન.એસ) તા. 27 કુઆલાલંપુર, એર એશિયાની એક મોટી ફ્લાઇટની મોટી દુર્ઘટના ટળી, મલેશિયાથી ચીનના શેનઝેન જઈ રહેલી એર એશિયાના વિમાન AK128ના એન્જિનમાં આગ લાગી હતી. તેને ટેકઓફના થોડા સમય પછી જ કુઆલાલંપુરમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. સેલંગોર સ્ટેટ ફાયર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એર એશિયાના વિમાને બુધવારે રાત્રે 9.59 વાગ્યે ટેકઓફ કર્યા પછી તરત જ જમણા એન્જિનમાં ન્યુમેટિક ડક્ટીંગ ફાટવાને કારણે આગ લાગી હતી. જેના કારણે ચીનના શેનઝેન જઈ રહેલી ફ્લાઇટ કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાછી ફરી હતી. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિમાનની ઇન-બિલ્ટ…
ગાઝાના લાખો લોકો હમાસ વિરુદ્ધ નારા લગાવતા રસ્તાઓ પર ઉતરી આવ્યા (જી.એન.એસ) તા. 26 ઇઝરાયેલ અને હમાસ વચ્ચે દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા છે. ગાઝા યુદ્ધવિરામ ભંગ કર્યા પછી, ઇઝરાયેલની સેના ઉત્તરી અને દક્ષિણ ગાઝા પર લગભગ 10 દિવસ સુધી ફરી ભારે બોમ્બમારો કરી રહી છે ત્યારે હવે ગાઝાના લોકોએ પ્રથમ વખત હમાસ વિરુદ્ધ વિશાળ વિરોધ રેલી કાઢી છે. ગાઝાના લાખો લોકો હમાસ વિરુદ્ધ નારા લગાવતા રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ મામલે ગાઝાના લોકોનું કહેવું છે કે, અમને ન તો યુદ્ધ જોઈએ છે અને ન તો હમાસ. ગાઝાના…
(જી.એન.એસ) તા. 26 અમદાવાદ, અમદાવાદ શહેરના વસ્ત્રાલ અને ઠક્કરનગર વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે, અમદાવાદ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરીને નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યાંથી એએમસી દ્વારા આ જથ્થો પકડવામાં આવ્યો છે ત્યાંથી શહેરની અલગ-અલગ હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં સપ્લાય પણ કરવામાં આવતું હતું. એએમસી ની ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા વસ્ત્રાલના એક ગોડાઉનમાંથી 119 કિલોગ્રામ અને ઠક્કરનગરમાં આવેલી સતનામ ડેરીમાંથી 144 નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે. આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ, શહેરની અલગ-અલગ હોટલો અને રેસ્ટોરન્ટમાં નકલી પનીર સપ્લાય કરવામાં આવતું હતું. AMCના ફૂડ વિભાગ દ્વારા વસ્ત્રાલ અને ઠક્કરનગરમાંથી ઝડપાયેલા નકલી જથ્થાની સીઝ કરીને આગળની…
(જી.એન.એસ) તા. 26 નવી દિલ્હી, અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે આરોપ લગાવ્યો હતો કે, ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. જેના જવાબમાં ભારત સરકારે આ અહેવાલ ને ફગાવ્યો છે. ભારતે USCIRFને સણસણતો જવાબ આપતાં કહ્યું છે કે, આ સંસ્થા પોતે ચિંતાનો વિષય છે. નોંધનીય છે કે USCIRFએ તો ભારતની ગુપ્તચર એજન્સી RAW પર પ્રતિબંધની પણ માંગ કરી હતી. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપતાં કહ્યું છે, કે ‘લોકશાહી અને સહિષ્ણુતાના પ્રતિક એવા ભારતની છબીને નબળી કરવાના પ્રયાસ સફળ નહીં થાય. USCIRF દ્વારા અલગ અલગ ઘટનાઓને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે તથા ભારતના બહુસાંસ્કૃતિક સમાજ પર શંકા વ્યક્ત…
