Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૦૩/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૩/૦૫/૨૦૨૬)
- 6,000 લોકોએ ભુજંગાસન કર્યું, એશિયા રેકોર્ડ સ્થાપ્યો; યોગ મહોત્સવ IDY 2026ના 50-દિવસના કાઉન્ટડાઉન તરીકે ઉજવાયો
- પંજાબ પોલીસે રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક સામે કેસ નોંધ્યા; ભાજપે સમય પર સવાલ ઉઠાવ્યા, તેને ‘રાજકીય બદલો’ ગણાવ્યો
- મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની ટીમ જાહેર; અમનજોત કૌર, કાશ્વી ગૌતમ બહાર
- RR સામે ની મેચ બાદ કાયલ જેમીસનને IPL આચારસંહિતાના ભંગ બદલ દોષિત; ડિમેરિટ પોઈન્ટ મળ્યો
- દિલજીત દોસાંઝે કેનેડા ખાતે કોન્સર્ટમાં દિવ્યાંગ ફેન માટે પરફોર્મ કરવા માટે ઘૂંટણિયે બેઠા
- સુરતથી ઓલપાડના જીણોદ ગામ સુધી રાજ્યપાલશ્રીએ સામાન્ય મુસાફરની જેમ કર્યો બસમાં પ્રવાસ
- રાજ્યભરમાં “ખોરાક શુદ્ધિ અભિયાન” હેઠળ ભેળશેળિયા તત્વો સામે કરાઈ કડક કાર્યવાહી: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
- રાજ્યના અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓના ૭,૧૪૫ વારસદારોને રેકોર્ડબ્રેક રૂ. ૭.૧૪ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
- ગુજરાત: પ્રગતિના પંથે, સમૃદ્ધિના સંગાથે – વિકાસ અને શ્રેષ્ઠતાનું નવું સરનામું
- અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે રૂ. ૧.૨૧ કરોડથી વધુ રકમનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત/પ્રોહીબીટ: આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનસેરીયા
Author: devarshi
લગ્નની લાલચે દુષ્કર્મના કેસોમાં વધારો થતાં સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી (જી.એન.એસ) તા.3 નવી દિલ્હી, લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હોય તેવા કેસોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘એવી સ્થિતિ ઊભી થઈ છે કે જે સંબંધો લગ્નના તબક્કા સુધી પહોંચી શકતા નથી તેમાં કેસ નોંધાઈ રહ્યા છે. આવું થવું ખોટું છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સંબંધમાં રહેવું ગુનો બની ગયું છે.’ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમએમ સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બિંદલની બેન્ચે કહ્યું કે, ‘પ્રેમ સંબંધનો અંત કે બ્રેકઅપનો અર્થ એ…
(જી.એન.એસ) તા.3 વોશિંગ્ટન, અમેરિકાના બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જેની સીધી અસર અલગ અલગ દેશો પર થઈ છે ત્યારે હવે ટ્રમ્પે મંત્રીમંડળના સભ્યો અને અન્ય નજીકના સભ્યોને કહ્યું હતું કે, ‘કેબિનેટના સાથી ઈલોન મસ્ક સરકારમાં એટલે કે DOGEના પ્રમુખ પદેથી ટૂંક સમયમાં રાજીનામું આપી દેશે.’ ટ્રમ્પ વહિવટીતંત્રના આંતરીક સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રમ્પ મસ્કના કામકાજથી ખુશ છે અને તેમણે મસ્કે સરકારી કાર્યક્ષમતા વિભાગ (OGE)માં કરેલા પ્રયાસોના વખાણ કર્યા છે. જોકે બંનેએ નિર્ણય લીધો છે કે, હવે મસ્ક DOGEની જવાબદારી છોડીને પોતાનો બિઝનેસ સંભાળશે. જોકે મસ્ક ક્યારે રાજીનામું આપશે, તેની માહિતી સામે આવી નથી. ટ્રમ્પે…
(જી.એન.એસ) તા. 3 દ્વારકા, રાજકોટથી દ્વારકા ખાતે દર્શન કરવા આવેલ પરિવાર ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો હોવાથી સામે કાંઠો પંહોચ્યા હતા જે બાદ અચાનક જ ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. સવારના ભાગમાં ગોમતી નદીમાં પાણી ઓછી હોવાથી યાત્રિકો સામે કાંઠે દર્શન કરવા પહોંચ્યા હતા. સવાર બાદ ગોમતી નદીમાંથી પાણીનો પ્રવાહ વધ્યો અને રાજકોટનો શ્રદ્ધાળુ પરિવાર ફસાઈ ગયો. આ ઘટનાની ત્યાંના સ્થાનિક લોકોને જાણ થતા પોલીસને જાણ કરી. પોલીસ અધિકારીઓ દ્વારા પરિવારને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાને ઉચ્ચ સ્તરે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દ્વારા એસ.ડી.એમ.…
વડોદરા પોલીસને મળી મોટી સફળતા (જી.એન.એસ) તા. 3 વડોદરા, શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી રાત્રીના સમયે મંદિરમાં પ્રવેશીને દાનપેટી તથા મૂર્તિઓની ચોરીના કિસ્સાઓ વધ્યા હતા જેની તપાસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન પંચમહાલની મેડા ગેંગ સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું. આ દરમિયાન પોલીસને એક બાતમી મળી હતી કે, મેડા ગેંગના ત્રણ સાગરીતો ચોરીનો માલ લઈને હાલોલથી સુરત બાઈક પર જઈ રહ્યા હોવાની માહિતી મળતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમએ ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી જેમાં પોલીસે ઉમેશ બચુભાઈ મેડા, આજે બચુભાઈ મેડા (બંને રહે. ગુલબાર ગામ,ગરબાડા,દાહોદ) અને ગોવિંદ દલબીરભાઈ મચ્છાર(સીમલીયા ખુદૅ…
(જી.એન.એસ) તા. 3 ગાંધીનગર, આઈઆઈટી ગાંધીનગર (IITGN) કોમિક્સ કોન્ક્લેવ 3.0નું આયોજન કરવા માટે તૈયાર છે; કોમિક્સ અને વાર્તા કહેવાનો ઉત્સવ, જ્યાં કલા, વિચારો અને કલ્પના, બધા સર્જનાત્મક આદાનપ્રદાનના આ રોમાંચક ઉત્સવમાં જીવંત થાય છે. IITGNના મુખ્ય કોમિક્સ ફેસ્ટિવલ તરીકે, તે શિક્ષણ, સંશોધન અને સામાજિક પ્રવચનમાં દ્રશ્ય અને ગ્રાફિક કથાઓની દુનિયાનું અન્વેષણ કરવા માટે અગ્રણી કલાકારો, લેખકો, વિદ્વાનો, વાર્તાકારો અને ઉત્સાહીઓને એક સાથે લાવે છે. કોમિક્સ કોન્ક્લેવની સ્થાપના અને ક્યુરેટ ત્રણ વર્ષ પહેલાં શૈક્ષણિક તપાસ અને સર્જનાત્મક પ્રથા વચ્ચેના વિભાજનને દૂર કરવાના મિશન સાથે કરવામાં આવી હતી. બીજી પુનરાવૃત્તિએ અમને અમારા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરવા અને વિવિધ દ્રષ્ટિકોણથી કોમિક્સ માધ્યમની તપાસ કરવામાં સક્ષમ બનાવ્યું. મુક્ત વિચાર માટે એક મંચ બનાવવા માટે, આ સંમેલનમાં શિક્ષણવિદો, કોમિક્સ પત્રકારો, કોમિક્સ કલાકારો, ઉત્તમ કલાકારો, લેખકો, સંપાદકો અને વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને ભેગા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન દર વર્ષે આર્ટિસ્ટ-ઇન-રેસિડેન્સ, હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસના પ્રોફેસર અરઘા મન્ના અને પ્રોફેસર જેસન એ માંજલી, જસુભાઇ મેમોરિયલ ચેર પ્રોફેસર, હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સિસ (કોગ્નિટિવ એન્ડ બ્રેઇન સાયન્સિસ ડિપાર્ટમેન્ટ સાથે સંયુક્ત રીતે) અને કો-પીઆઇ અને પીઆઇ, ક્યુરિયોસિટી લેબ, IITGN દ્વારા કરવામાં આવે છે. તેની પ્રથમ બે આવૃત્તિઓની સફળતાના આધારે, કોમિક્સ કોન્ક્લેવ 3.0 કોમિક્સ કેવી રીતે કલાત્મક અભિવ્યક્તિઓ કરતાં વધુ કામ કરે છે તેના પર વાતચીત કરવાનું ચાલુ રાખશે. તેઓ હાંસિયામાં ધકેલાયેલા અવાજોને વિસ્તૃત કરે છે અને વાસ્તવિક પરિવર્તનની પ્રેરણા આપે છે. 5-6 એપ્રિલ, 2025 ના રોજ યોજાનારી આ વર્ષની કોન્ક્લેવ, કોમિક્સ દ્વારા પર્યાવરણીય અને સામાજિક ન્યાય, સ્થાનિક ભાષામાં કોમિક્સ અને બાળકો માટે શૈક્ષણિક સાધન તરીકે કલાના ઉપયોગ જેવા વિષયો પર પ્રકાશ પાડશે. આ કાર્યક્રમમાં મુખ્યત્વે વાર્તાલાપ અને પેનલ ડિસ્કશન, આર્ટ સ્પિજેલમેનનું પ્રથમ સ્ક્રિનિંગ: ડિઝાસ્ટર ઇઝ માય મ્યુઝ! ઇન ઇન્ડિયા, કોમિક્સ એક્ઝિબિશન, સરબજિત સેન સાથેની કોમિક્સ “અડ્ડા”, સુમન ચૌધરી સાથે નેરેટિવ ડ્રોઇંગ તરીકે નેચર સ્કેચ, અને કોમિક બુક સ્ટોલ્સ અને ફ્લી માર્કેટનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ શાળાના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો અને કલાકારો માટે રજિસ્ટ્રેશન ફી વિના ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ભાગીદારી ભારતભરના વ્યક્તિઓ માટે ખુલ્લી છે. ઇવેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવા અને નિયમિત અપડેટ મેળવવા માટે, વેબસાઇટ ની મુલાકાત લેવી.
(જી.એન.એસ) તા.3 નવી દિલ્હી, લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીન (એલએસી) અને અમેરિકાના ટેરિફ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, બધા જાણે છે કે ચીન આપણા 4 હજાર ચોરસ કિલોમીટરના પ્રદેશ પર બેઠું છે. તેમણે એમ પણ કહ્યું કે, પીએમ ચીનને પત્ર લખી રહ્યા છે અને અમને તેની જાણ પણ નથી. બીજી તરફ, રાહુલ ગાંધીએ અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મને આશ્ચર્ય થયું કે આપણા વિદેશ સચિવ ચીની રાજદૂત સાથે કેક કાપી રહ્યા હતા. આપના દેશના 20 સૈનિકો શહીદ થયા હતા અને તેમની શહાદતની ઉજવણી કરવામાં આવી…
(જી.એન.એસ) તા.3 વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી હતી. પારસ્પરિક ટેરિફની જાહેરાત સાથે વિશ્વભરમાં ઊંચા ભાવ અને વેપાર યુદ્ધનો ખતરો છે. ટેરિફની જાહેરાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, ‘આ ”મુક્તિ દિવસ” છે, એક એવો દિવસ જેની અમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.’ આપણા દેશને અન્ય દેશોએ લૂંટ્યો છે. કરદાતાઓને 50 વર્ષ કરતાં વધુ સમયથી લૂંટવામાં આવી રહ્યા છે પરંતુ હવે આવું નહીં થશે. આ બાબતે ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું વિશ્વભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદતાં ઐતિહાસિક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી રહ્યો છું. રેસિપ્રોકલનો અર્થ એ છે કે તેઓ આપણી સાથે…
અમેરિકાએ વિશ્વના તમામ દેશો માટે ટેરિફની જાહેરાત કરી છે (જી.એન.એસ) તા.3 વોશિંગ્ટન, ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બડા મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જેમથી એક સૌથી મોટો નિર્ણય છે વિશ્વના તમામ દેશો માટે ટેરિફની જાહેરાત. જેને ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ નામ આપ્યું છે. ટેરિફની જાહેરાત કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘આ મુક્તિનો દિવસ છે જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું.’ આ ઉપરાંત તેમણે ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો છે. અમેરિકા દ્વારા ભારત પર 26 ટકા ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે,’વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે…
મ્યાનમાર બાદ હવે જાપાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી (NCS) અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ક્યૂશૂ ટાપુ પર હતું (જી.એન.એસ) તા.3 ક્યૂશૂ, જાપાનના ક્યૂશૂ ક્ષેત્રમાં ભારતીય સમય મુજબ, સાંજે 7:34 વાગ્યે 6.0ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી (NCS) અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર ક્યૂશૂ ટાપુ પર હતું. જોકે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી, જાપાન હવામાન એજન્સીએ ભૂકંપ બાદ હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી. આ બાબતે જાપાનના હવામાન વિભાગે સ્પષ્ટતા કરી કે આ ભૂકંપથી સુનામીનો કોઈ ભય નથી. જોકે, અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને લોકોને વધુ…
૧૫ મહિનામાં કુલ ૭૦૩૧ પોલીસ કર્મીઓને બઢતી અપાઈ, વર્ષ ૨૦૨૪માં ૬૭૭૦ પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવી હતી (જી.એન.એસ) તા. 3 ગાંધીનગર, ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ ૨૬૧ એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા ૧૫ મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ ૭૦૩૧ કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે. કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે, ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્શતો…
