Author: devarshi

(જી.એન.એસ) તા. 12 કોંગો આર્મીએ બળવાખોરોના સકંજામાં ફસાયેલા લગભગ 40 બંધકોને મુક્ત કરવામાં સફળતા મેળવી છે. આ મામલે મીડિયા સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આ બંધકોને મુક્ત કરાવવા માટે કોંગો આર્મીએ સંઘર્ષગ્રસ્ત પૂર્વી ક્ષેત્રમાં ઉગ્રવાદીઓ સાથે ભીષણ યુદ્ધ કર્યું હતું. આ પછી, કોંગોની સેનાએ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા બળવાખોરોના ચુંગાલમાંથી 41 બંધકોને મુક્ત કરવામાં સફળતા મેળવી. સેનાના પ્રવક્તાએ આ માહિતી આપી. શુક્રવારે, પડોશી યુગાન્ડાના સૈનિકો સાથે સંયુક્ત લશ્કરી કાર્યવાહીમાં લુબેરો અને બેની પ્રદેશોમાં બળવાખોર જૂથ એલાયડ ડેમોક્રેટિક ફોર્સિસના હાથમાંથી 13 મહિલાઓ અને અનેક વિદેશી નાગરિકો સહિત 41 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા, એમ ઉત્તર કિવુ પ્રાંતના લશ્કરી પ્રવક્તા માક હઝુકેએ…

Read More

(જી.એન.એસ) તા. 12 ફ્લોરિડા, ગુરુવારે ન્યૂયોર્કની હડસન નદીમાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટના બાદ, શુક્રવારે દક્ષિણ ફ્લોરિડામાં એક નાનું વિમાન પણ ક્રેશ થયું, જેમાં 3 લોકોના મોત થયા અને 1 વ્યક્તિ ઘાયલ થઈ. આ ઘટનાઓએ અમેરિકામાં હવાઈ સુરક્ષા અંગે ચિંતામાં ખૂબ વધારો કરી દીધો છે. શુક્રવારે સવારે લગભગ 10:15 વાગ્યે દક્ષિણ ફ્લોરિડામાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું. આ વિમાન એક મહત્વના આંતરરાજ્ય હાઇવે અને રેલવે ટ્રેક નજીક તૂટી પડ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ વિમાનની ઓળખ સેસ્ના 310 તરીકે કરી હતી, જેમાં 3 લોકો સવાર હતા. દુર્ઘટનામાં ત્રણેય લોકોના મોત થયા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ. અકસ્માતનું સ્થળ ધૂમાડાથી ઢંકાયેલું…

Read More

(જી.એન.એસ) તા. 11 દહેરાદૂન, પવિત્ર ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. જેના માટે ભારત જ નહીં પણ વિદેશોના શ્રદ્ધાળુઓમાં પણ આ વર્ષે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ચારધામ યાત્રા માટે અમેરિકામાંથી સૌથી વધુ 3200 શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજા નંબર પર નેપાળના આશરે 1800 શ્રદ્ધાળુઓ જ્યારે ત્રીજા ક્રમે મલેશિયામાંથી 1400 શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગતવર્ષે 49556 વિદેશી શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા હતાં. ઉત્તરાખંડમાં 30 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન 20 માર્ચથી શરૂ થઈ ચૂક્યા છે. ઉત્તરાખંડ પર્યટન વિકાસ પરિષદે ચારધામ યાત્રા-2025માં શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે 20 માર્ચથી ઓનલાઈન આધાર તથા પાસપોર્ટ આધારિત રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ…

Read More

એએમસી દ્વારા ટેન્ડર મુજબ સ્ટોલ માટે જગ્યા આપવામાં આવશે; એક સ્ટોલ દીઠ 15 હજાર રહેશે ભાડુ (જી.એન.એસ) તા. 11 અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા લૉ ગાર્ડન વિસ્તારમાં રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સ્ટોલ ધારકો દ્વારા ખાણીપીણીનું બજાર ચાલતું હતું. જ્યારે અમુક સમય બાદ એએમસી એ અહીં ફૂડ સ્ટ્રીટ બંધ કરીને પે એન્ડ પાર્કિંગ બનાવી દીધું હતું. જેને લઈને સ્ટોલ ધારકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે એએમસી દ્વારા લૉ ગાર્ડન ખાતે ફરીથી હેપ્પી સ્ટ્રીટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે અગાઉના 36 સ્ટોલ ધારકો ઉપરાંત અન્યોને ટેન્ડર મુજબ સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. આ મામલે…

Read More

(જી.એન.એસ) તા. 11 ભાવનગર, ભાવનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. જિલ્લા અને શહેરનાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આગ ઝરતી ગરમી વચ્ચે બપોર અચાનક વાતાવરણમાં પલટો આવતાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો. ભર ઉનાળે ચોમાસાની માફક વાદળો છવાયા હતા અને ગાજવીજ સાથે વરસાદ છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ કે હાલ ધરતીપુત્રોનો ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની ભિતિ છે. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં શહેરીજનોને ગરમીમાં રાહતનો અનુભવ થયો છે. જો કે, તળાજા તાલુકાના વાતાવરણમાં છેલ્લા 48 કલાકથી પલટો આવ્યો હતો. વહેલા સવારના પાંચવાગે સુસવાટા મારતા પવન ફૂંકાયો હતો.હારાષ્ટ્રમા…

Read More

(જી.એન.એસ) તા. 11 વર્ષ 2028ના ઓલિમ્પિકમાં ક્રિકેટનો પણ સમાવેશ થવાની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. હવે એક નવી અપડેટ સામે આવી છે કે ઓલિમ્પિક 2028માં પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં 6-6 ટીમ ભાગ લેશે, જેમાં ગોલ્ડ મેડલ જીતવા માટે સ્પર્ધા થશે. ઓલિમ્પિક 2028 અમેરિકાના લોસ એન્જલસમાં યોજાવાનું છે. આ ઓલિમ્પિકમાં પુરુષ અને મહિલા એમ કુલ 6 ટીમો ભાગ લેશે. દરેક ટીમ 15 સભ્યોની ટીમ પસંદ કરી શકે છે કારણ કે પુરુષ અને મહિલા બંને માટે 90 ખેલાડીઓનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે…

Read More

(જી.એન.એસ) તા. 11 ફિલમેકર રામ ગોપાલ વર્માએ સોશયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મ હોરર-કોમેડીની ઘોષણા કરી છે. આ ફિલ્મમાં રામ ગોપાલ વર્મા દ્વારા મનોજ બાજપાયી સાથે ૨૬ વરસ પછી કામ કરવા જઈ રહ્યા છે. રામ ગોપાલ વર્માએ પોતાના એક્સ હેન્ડલ પરથી જણાવ્યું છે કે સત્યા, કૌન અને શૂલ ફિલ્મો પછી મને આ ઘોષણા કરતાં બેહદ ખુશી થઇ રહી છે કે, હું અને મનોજ બાજપાયી વધુ એક વખત હોરર-કોમેડી પોલીસ સ્ટેશનમાં ભૂત નામના શિર્ષકની ફિલ્મ સાથે પાછા આવી રહ્યા છીએ. ફિલ્મની વાર્તા વિશે રામ ગોપાલ વર્માએ હિન્ટ આપતાં કહ્યું હતું કે, એક પોલીસ સ્ટેશન પર પોલીસ અને ગુંડાઓ વચ્ચે ઝપાઝપી થયા…

Read More

(જી.એન.એસ) તા. 11 જામનગર, જામનગર એલસીબી પોલીસની ટીમને મોટી સફળતા મળી છે જેમાં, જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ઈંગ્લિશ દારૂ અને બિયરમાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. એલસીબી પોલીસની ટીમ દ્વારા જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન દડિયા ગામમાં રહેતો ભાવેશ ભરતભાઈ સરવૈયા નામનો શખ્સ ત્યાંથી પસાર થતાં પોલીસે તેની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન તેની પાસેથી 34 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને 20 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે ઈંગ્લિશ દારૂ અને બીયર સહિત રૂપિયા 21,000 ની માલમતા કબજે કરી આરોપી ભાવેશ સરવૈયાની અટકાયત કરી લીધી છે. જેની પૂછપરછમાં ઉપરોક્ત બિયર…

Read More

(જી.એન.એસ) તા. 11 પટણા, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસ સ્થાન પાસે દેખાવો કરવા જઈ રહેલાં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર અને તેમની સાથે કાર્યકરોની પટણા પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસે કન્હૈયાની સાથે સાથે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદયભાન અને સ્ટેટ પ્રેસિડન્ટ ગરીબદાસ સહિત 30થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતાં પહેલાં કન્હૈયા કુમારે નિવેદન આપ્યું હતું કે, ભાજપે નીતિશ કુમારને દબાણમાં રાખ્યા છે. પરંતુ વાસ્તવમાં સ્થિતિ તેનાથી વિપરિત હોવી જોઈએ. કારણકે, નીતિશ કુમારના કારણે જ કેન્દ્રમાં મોદી સરકાર ચાલી રહી છે. કન્હૈયા કુમારના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે 16 માર્ચથી પશ્ચિમી ચંપારણના ભિતિહરવાં સ્થિત ઐતિહાસિક ગાંધી આશ્રમથી ‘પલાયન…

Read More

(જી.એન.એસ) તા. 11 કોલકાતા, પશ્ચિમ બંગાળમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનો ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે એક નેતા દ્વારા ઉશ્કેરણીજનક અને ધમકી ભર્યું નિવેદન આપવામાં આવ્યું હતું. ગુરુવારે કોલકાતાના રામલીલા મેદાનમાં જમિયત-એ-ઉલેમા હિંદના પશ્ચિમ બંગાળ એકમ દ્વારા આયોજિત એક વિશાળ રેલીને ટીએમસી નેતા અને મંત્રી સિદ્દીકુલ્લાહ ચૌધરીએ સંબોધિત કરી. વક્ફ કાયદામાં સુધારાને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરતા, મમતા બેનર્જી સરકારના મંત્રીએ કોલકાતામાં મોટા પાયે ટ્રાફિકને અવરોધિત કરવાની ધમકી આપી. સભાને સંબોધતા સિદ્દીકુલ્લાહ ચૌધરીએ કહ્યું કે જો તેઓ ઇચ્છે તો રસ્તાઓ બ્લોક કરીને કોલકાતાને સ્થિર કરી શકે છે. તેમણે કહ્યું, ‘જો આપણે કોલકાતાને સ્થિર…

Read More