Author: devarshi

(જી.એન.એસ),તા.03 નવીદિલ્હી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે પુસ્તક ‘J&K and Ladakh Through the Ages’ના વિમોચન પ્રસંગે કહ્યું હતું કે કાશ્મીરનું નામ કશ્યપના નામ પર રખાયુ હશે. તેમણે કહ્યું કે શંકરાચાર્ય, સિલ્ક રૂટ, હેમિશ મઠનો ઉલ્લેખ એ સાબિત કરે છે કે, ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નાખવામાં આવ્યો હતો. કાશ્મીરમાં સૂફી, બૌદ્ધ અને રોક મઠોનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો છે. તેમણે કહ્યું કે કાશ્મીરી, ડોગરી, બાલ્ટી અને ઝાંસ્કરી ભાષાઓને સરકારની મંજૂરી આપવામાં આવી છે. આ માટે હું પીએમ મોદીનો આભાર માનું છું. પીએમનો આગ્રહ હતો કે કેન્દ્ર શાસિત પ્રદેશની રચના પછી કાશ્મીરની સૌથી નાની સ્થાનિક ભાષાને પણ જીવંત…

Read More

(જી.એન.એસ) તા.૩ ગાંધીનગર, જિલ્લાકક્ષા સ્પર્ધાઓ તા.૧૫/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમિયાન યોજાશે.ખેલમહાકુંભ 3.0નું ઝોન તેમજ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકા તેમજ જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં દરેક ઝોન અને તાલુકાના વિવિધ સ્થળો ઉપર કરવામાં આવેલ છે. ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમ્યાન અને મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓનું આયોજન તા.૧૫/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓ સ્પર્ધાઓનો વિગતવાર કાર્યક્રમ https://khelmahakumbh.gujarat.gov.in/calendar લીંક પર મૂકવામાં આવ્યો છે. જે માટે વેબસાઇટ ખોલીને લીંક ઉપર કલીક કરી અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લો સિલેકટ કરવાનો રહેશે. જેથી અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લાનો વિગતવાર કાર્યક્રમ જોવા મળશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓએ કાર્યક્રમના સમય…

Read More

(જી.એન.એસ) તા.૩ ગાંધીનગર, *સ્વચ્છતા સાથે સુલતાનપુર મહિલા સશક્તિકરણ તરફ અગ્રેસર, 107 બહેનોએ શરૂ કર્યા કિચન ગાર્ડનપ્રજ્ઞાચક્ષુ લોકોની સુવિધા માટે બ્રેઈલ લિપિની રચના કરનાર લૂઇ બ્રેઈલના જન્મદિવસે 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગોની સુવિધા અને સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે આજના દિવસે ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત નવસારી જિલ્લામાં દિવ્યાંગોની સેવા માટે શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ પ્રેરણાદાયક છે. નવસારીના સુલતાનપુર ગામમાં નિર્માણ કરવામાં આવેલા સામુહિક શૌચાલયમાં દિવ્યાંગો માટે બ્રેઈલ લિપીમાં સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે જેની મદદથી શૌચાલયનો ઉપયોગ કરવો તેમના માટે સરળ બની ગયો છે. તે સિવાય વ્હીલચેરથી જવા માટે રેમ્પ તેમજ…

Read More

RTN કેનેડાના સત્તાવાર X હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો (જી.એન.એસ),તા.03 ટોરેન્ટો (કેનેડા) કેનેડામાં સામાન્ય ભારતીયો પણ લોકોના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે વીડિયોમાં એક વ્યક્તિ જાતિવાદી ટિપ્પણી કરી રહ્યો છે. તેમને ‘રિફ્યૂજી’ અથવા શરણાર્થી પણ કહે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતા લોકો ભારતીય વિદ્યાર્થીઓ છે. RTN કેનેડાના સત્તાવાર X હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, ‘એક વ્યક્તિએ વીડિયો બનાવીને કેનેડા આવતા ભારતીયોનું અપમાન કર્યું, અને તે અપમાન કરનાર વ્યક્તિ વિદેશી છે . અંદાજે…

Read More

(જી.એન.એસ) તા.૩ રાજકોટ, વર્ષ ૨૦૧૦માં ૧૩ લાખ રમતવીરોની સહભાગીતાથી આરંભાયેલા આ મહાકુંભમાં આજે રેકોર્ડ બ્રેક ૭૧.૩૦ લાખથી વધુ રમતવીરો હોંશભેર ભાગ લેશે• ખેલ મહાકુંભ ૩.૦ના ઉદ્દઘાટન સમારંભમાં ખેલ મહાકુંભ ૨.૦ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ૩ શાળા, શ્રેષ્ઠ ૩ જિલ્લા અને શ્રેષ્ઠ ૩ મહાનગરપાલિકાને સન્માનિત કરવામાં આવશે• દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું ખેલ મહાકુંભ ૩.૦નો ઉદ્દઘાટન સમારંભ આવતી કાલે તા.૦૪/૦૧/૨૦૨૫ના રોજ સાંજે ૫.૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, એથ્લેટીક્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે. રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થય અંગેની જાગૃતિ આવે…

Read More

(જી.એન.એસ) તા.૩ ભાવનગર, ભાવનગરના ઉદ્યોગકારોને પોતાના બિઝનેસના વિસ્તાર માટે તથા ભાવનગરના નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સૌરષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. ૩ થી ૬ જાન્યુઆરી સુધી યોજાનારા વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ એક્સ્પોને કેન્દ્રિય અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.આગામી તારીખ ૬ જાન્યુઆરી સુધી યોજાનાર આ એક્સ્પોને ખુલ્લો મુકતાં કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા જણાવ્યું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ધરતી પર વાયબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝઅલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે ભાવનગરના વિકાસમાં ખૂબ…

Read More

(જી.એન.એસ) તા.૩ ગાંધીનગર, ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત આયોજન બેઠક મળી હતી. જેમાં આ વર્ષે ગાંધીનગર સેક્ટર- 11 રામકથા મેદાન ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીને સવિશેષ બનાવવા પર ભાર મુકતા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું. બેઠક અંતર્ગત કલેકટરશ્રી એ ઉમેર્યું હતું કે, સુંદર આયોજન સાથે માત્ર અને માત્ર દેશભક્તિના રંગો વિખેરાઈ તેવું આયોજન કરવાનું છે. તેમાં દેશ કે રાષ્ટ્રીય ચિન્હોની મર્યાદા ભંગ ન થાય તેની તકેદારી રાખવા પણ ખાસ સૂચન કર્યું હતું. સાથે સાથે જે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવે તેમાં પણ માત્ર અને માત્ર દેશભક્તિ છલકે તેવી કૃતિ પસંદગી…

Read More

(જી.એન.એસ) તા.૩ ગાંધીનગર, સમય – ટેક્નોલોજીની સાથે ગતિ કરવી એ ગુજરાતના નાગરીકોનો સ્વભાવ રહ્યો છે, સમગ્ર ભારતના તમામ રાજ્યોના નિગમોમાં ગુજરાત એસ.ટી નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ – OPRSનો સૌથી વધુ ઉપયોગ કરી વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે છે.ગુજરાતના નાગરિકોને સ્વચ્છ, સલામત અને સમયસર મુસાફરીની સુવિધા મળી રહે તેવા ઉદેશ્ય સાથે વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ-૨૦૧૦થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરાવવામાં આવી હતી. ઓનલાઈન ટિકિટો સહિત નાગરીકોને મુસાફરી માટે અપાતી સુવિધાઓમાં ઉત્તરોતર વધારો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર…

Read More

(જી.એન.એસ) તા.૩ સુરત, હજીરા રોડના ભાટપોર જીઆઇડીસીમાં નાંણાવટી મહિન્દ્રા વર્કશોપની પાછળના રસ્તા ઉપર સિક્યુરીટી ગાર્ડ યુવાનને બાઇક સવાર મોંઢા ઉપર માસ્ક અને માથા ઉપર ટોપી પહેરેલા ત્રણ અજાણ્યાએ ઉપરાછાપરી ચપ્પુના પાંચથી સાત ઘા મારી રહેંસી નાંખતા ઇચ્છાપોર પોલીસ દોડતી થઇ ગઇ છે. ઓએનજીસી કોલોનીમાં ગાર્ડ ઉપરાંત લોન અપાવવાનું અને ફાયનાન્સનું કામ કરનારની હત્યા નાંણાકીય લેતીદેતીમાં થઇ હોવાની આશંકા સેવાય રહી છે. હજીરા રોડના ભાટપોર ગામની નંદાલય રેસીડન્સીમાં રહેતો અને સન સિક્યુરીટી એજન્સીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો રોહિતગીરી મકસુદનગીરી ગત રાતે ઓએનજીસી કોલોનીમાં ડ્યુટી ઉપર ગયો હતો. પરંતુ આજે સવારે રાબેતા મુજબ સાત વાગ્યા સુધી પરત નહીં આવતા તેની પત્ની…

Read More

(જી.એન.એસ) તા.૩ મોરબી, મોરબી જિલ્લામાં અપમૃત્યુના વધુ ત્રણ બનાવથી અરેરાટી પ્રસરી છે. શનાળા ગામે રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ રૃમમાં સુતા હતા. જ્યાં કોલસાની સગડી રાખી હોવાથી ધુમાડાના કારણે ગુંગણામણ વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ખારચીયા ગામે બાળક અને મોરબી નજીક યુવાનનું ઊંચાઇ પરથી પડી જવાનાં કારણે મોત નીપજ્યું હતું. શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા કાન્તિલાલ રૃપચંદભાઈ કોઠારી નામના વૃદ્ધ ગત રાત્રીના પોતાના રૃમમાં સુતા હતા અને ઠંડી હોવાથી કોલસાની સગડી રાખી હતી. રૃમ બંધ હોવાથી ધુમાડાના ગુંગણામણથી વૃદ્ધ બેભાન થયા હતા. જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.…

Read More