Author: devarshi

(જી.એન.એસ) તા.૩ અમદાવાદ, સીસીટીવી અને મોબાઈલ લોકેશનને આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો સરખેજ પોલીસ સ્ટેશનમાં 11 વર્ષની સગીરાને અડપલા કરીને તેની સાથે દુષ્કર્મ કરનારા તેના સગા માસાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ પિડીતા તેને માસા-માસીના સરખેજ સ્થિત ઘરે રોકાઈ હતા. દરમિયાન મોડી રાત્રે નરાધમ માસાએ તેની સાથે અડપલા કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધ હાથ ધરી હતી. તે સિવાય પોલીસે આજુબાજુના વિસ્તાર તતા મહેસાણા અને ગાંદીનગરના અંદાજે 400 જેટલા સીસીટીવી કેમેરા કર્યા હતા. ઉપરાંત આરોપીના…

Read More

(જી.એન.એસ) તા.૩ વડોદરા, વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ નજીકમાં જ બે ચંદનના ઝાડની ચોરીની ઘટનાઓ સામે આવી હતી. આજે 20 દિવસ જેટલો સમય વિત્યો હોવા છતાં પોલીસને હાથ ચંદન ચોરી કરનારા હાથ લાગ્યા નથી. આ બનાવ બાદ પણ કોઇ સિક્યુરિટી જોવા મળી ન તો કોઇ CCTV કેમેરા જોવા મળ્યા હતા. ત્યારે હજુ વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ નજીકમાં જ બે ચંદનના ઝાડની ચોરીની ઘટનાઓ સામે આવી હતી. આજે 20 દિવસ જેટલો સમય વિત્યો હોવા છતાં પોલીસને હાથ ચંદન ચોરી કરનારા હાથ લાગ્યા નથી. આ બનાવ બાદ પણ કોઇ સિક્યુરિટી જોવા મળી ન તો કોઇ…

Read More

અમરેલી, અમરેલીના ચર્ચિત લેટરકાંડમાં મહત્વનો વળાંક આવ્યો છે. 4 આરોપીઓના નીચલી કોર્ટે જામીનની અરજીને ફગાવી છે. અમરેલીના બનાવટી લેટર કાંડના મહત્વના સમાચાર સામે આવ્યા છે.મહિલા સહિત 4 આરોપીઓના જામીનની અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી છે. આ તમામ આરોપીઓ પર સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ ઘટનાને ગંભીર ગણાવીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “લાજ લેનારા સામે લડીશુ. કૌરવ કુળના અહંકારી લોકોએ, અમરેલીની ભરબજારમાં, એક કુંવારી કન્યાનો ‘જાહેરમા વરઘોડો’ કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી…

Read More

(જી.એન.એસ) તા.૩ બનાસકાંઠા, રાજ્યમાં નવા વર્ષના પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લાનુ વિભાજન લોકો માટે સરપ્રાઈઝ રહ્યું, બીજા દિવસે લોકોએ વિભાજન અંગે સવાલો અને વિરોધ નોંધાવ્યો. ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં નવા વાવ-થરાદ જિલ્લાને સ્થાવર કરવામાં આવ્યું છે. આ વિભાજનના પરિણામે થરાદ જિલ્લાનું મુખ્ય મથક બનશે અને તેમાં 8 તાલુકાઓનો સમાવેશ થશે. પરંતુ આ વિભાજનના પગલે કાંકરેજ અને ધાનેરાના લોકોએ સરકાર સામે આક્રોશ વ્યકત કર્યો છે અને પોતાને અનુકૂળ વિસ્તારોમાં જ રહેવા માટે વિરોધ પ્રગટાવ્યો છે. નવા જિલ્લાનું મુખ્ય મથક દિયોદર બનાવવામાં ન આવતા તેનો પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેમાં મુખ્ય મથક દિયોદરને બનાવીને તેનું નામ…

Read More

(જી.એન.એસ) તા.૩ અમદાવાદ, પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે ગુજરાતમાં દિવસે દિવસે ગુનાખોરી વધી રહી છે. પોલીસના સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેવું જણાઈ રહ્યું છે. રાજ્યના વિકસિત શહેર અમદાવાદમાં પણ જાણે કાયદો અને વ્યવસ્થા નેવે મૂકી હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. શહેરના બોપલ વિસ્તારમાં ગુરૂવારે જ્વેલર્સની દુકાને ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.અમદાવાદમાં સાઉથ બોપલ ધોળા દિવસે લૂંટ કરવામાં આવી છે. બે-ત્રણ લોકો હેલ્મેટ પહેરીને…

Read More

(જી.એન.એસ) તા.૩ સુરત, સરઘસ કાઢનારા પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પગલા ભરવા અરજી કરવામાં આવી ગુજરાત રાજ્યમાં જાહેરમાં સરઘસ કાઢવા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જેમાં બંધારણના અધિકારનો ભંગ થઈ રહ્યો હોવાની ચર્ચા છે. જેમાં સરઘસ કાઢનારા પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પગલા ભરવા અરજી કરવામાં આવી છે. સુરતના એક વકીલ દ્વારા આ અંગે અરજી કરવામાં આવી છે. જેમાં ગૃહ મંત્રી, માનવ અધિકાર પંચ , અને પોલીસ વડાને અરજી કરવામાં આવી છે. આ અરજી મારફતે વરઘોડા બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ અરજી પર કોઈ પગલા નહી લેવાય તો PIL દાખલ કરવાની તૈયારી રાખવામાં આવી છે. જાહેરમાં નીકળચતા વરઘોડા મામલે સરકારે પગલા લેવા જોઈએ.…

Read More

(જી.એન.એસ) તા.૩ જૂનાગઢ, તપાસમાં આ દારૂ લખન ચાવડા અને જયેશ ચાવડાનો દારૂ હોવાનું સામે આવ્યું જૂનાગઢના મખિયાલા ગામની સીમમાં એ વન ઈન્ડસ્ટ્રિઝ ઝોનના એક ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ ના અધિકારીઓે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે જૂનાગઢના નામચીન બુટલેગર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીંથી રૂ. 10,11,014 ની કિંમતની 1799 દારૂની બોટલો કબજે કરી હતી. તપાસમાં આ દારૂ લખન ચાવડા અને જયેશ ચાવડાનો દારૂ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ દારૂનો જથ્થો છુપાવવા માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું. અશ્વિન રાવલીયા નામના શખ્સે ગોડાઉન ભાડે રાખ્યું હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય પ્રદુષણ વિભાગમાં…

Read More

(જી.એન.એસ) તા.૩ ભાવનગર, સાયબર સેલ ટીમે દાહોદના સંજેલી ગામના 23 વર્ષના ધનંજય મુકેશ પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના એક વૃદ્ધ બિલ્ડરને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 15 લાખની નોટ પર રકમ પડાવી લેવાના કેસમાં ભાવનગર સાયબર સેલ ની ટીમે મૂળ દાહોદ જિલ્લાના એક શખ્સની ધરપકડ કરી છે. 65 વર્ષના મથુર જીવરાજ પટેલ, જેણે ભાવનગર શહેરમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યો છે, એણે સાયબર ઠગોથી ખોટી રીતે કેસની પતાવટ માટે રૂપિયા 15 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સંપૂર્ણ બનાવ ચોંકાવનાર છે, જ્યારે તેણે દાહોદ જિલ્લાના સંજેલી ગામના ધનંજય મુકેશ પુરોહિત વિરુદ્વ ગેરકાયદેસર રીતે ફસાવવાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની શરૂઆત…

Read More

(જી.એન.એસ) તા.૩ અમદાવાદ, ડિજીટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરનારા 3 શખ્સોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી અજાણ્યા શખ્સોએ કાવતરૂ ઘડીને એક વ્યક્તિને પાર્સલમાં ડ્રગ્સ તથા ફેક પાસપોર્ટ હોવાનું તતા કરોડોનું મની લોન્ડરિંગ કર્યું હોવાનું કહીને તેને ડિજીટલ એરેસ્ટ કર્યો હતો. બાદમાં તેની સાથે રૂ.17,00,000 ની છેતરપિંડી કરી હતી. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે રશિયન નાગરિક ઓનાટોલી મીરોનોવ, ગોમતીપુરમાં રહેતા મહેફૂઝઆલમ ફર્ફે ઈમરાન મસુદઆલમ શાહ અને નદીમ અનીસખાન પઠાણની ધરપકડ કરી હતી. આરોપીઓએ કસ્ટમ ઈન્સ્પેક્ટર દિલ્હી હેડ ક્વાટર્સ દ્વારા તમારૂ પાર્સલ મલેશિયા ખાતે મોકલ્યું હતું તે પાર્સલમાં 16 બનાવટી પાસપોર્ટ તથા 58 એટીએમ કાર્ડ અને 140 GD MDM ડ્રગ્સ મળી આવ્યું હોવાનું કહ્યું…

Read More

(જી.એન.એસ) તા.૩ અમરેલી, પાટીદાર સમાજના આગેવાનોની સાથે મળીને દીકરીને આરોપ મુક્ત કરવા માટે બેઠક યોજીને મહત્ના નિર્ણયો કર્યા. અમરેલીમાં બનેલા બનાવટી લેટર કાંડ પર મચી રહેલા રાજકારણને લઈને પાટીદાર સમાજના આગેવાનો અને અમરેલીના રાજકીય નેતાઓ એકઠા થયા છે. પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામના આગેવાનો સાથે મળીને યુવતીની જેલમુક્તિ અને પોલીસ ફરિયાદમાંથી તેનું નામ કાઢવા માટે સંકલ્પ વિમર્શ કરી રહ્યા છે. અમરેલીમાં બનાવટી લેટર કાંડમાં મુદ્દે પાટીદાર સમાજની દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા માટે સંમિત કરાશે. ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં સંમતિ મળી. કૌશિક વેકરીયા અને ખોડલધામના આગેવાન વચ્ચે બેઠક યોજાઈ હતી. પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દુર…

Read More