Author: devarshi

(જી.એન.એસ) તા.૪ ભાવનગર, ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલ માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા નાં વરદ હસ્તે કપાસની ખરીદી માટે સી.સી.આઈ.કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. સાથે સાથે આ તકે ઉપસ્થિત ખેડૂતો સાથે પણ મંત્રીશ્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સ્મૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ઉમરાળાના ખેડૂતોની સુવિધા માટે ધોળા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સી.સી.આઇ. દ્વારા અપાયેલ આ ખરીદ કેન્દ્રથી આશરે ૩૪,૦૦૦ જેટલા ખેડૂતોને ફાયદો મળશે. આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે, ત્યારે ધોળા માર્કેટ યાર્ડમાં જ…

Read More

મુસ્લિમ પુરુષોને એકથી વધુ લગ્ન રજીસ્ટર કરવાનો અધિકાર નથી : સુપ્રીમ કોર્ટ મુસ્લિમ પુરૂષો એક કરતાં વધુ લગ્નની નોંધણી કરી શકશે નહીં : સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી (જી.એન.એસ),તા.03 નવીદિલ્હી મુસ્લિમ પુરુષોને એક કરતાં વધુ લગ્નની નોંધણી કરવાની મંજૂરી અંગે બોમ્બે હાઈકોર્ટે આપેલા નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજદાર બોમ્બે હાઈકોર્ટમાં જે કેસ હતો તેના પક્ષકાર નથી, તેથી તેની અરજી પર સુનાવણી કરવામાં નહીં આવે. રાષ્ટ્રવાદી શિવસેના પ્રમુખ જય ભગવાન ગોયલે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. બોમ્બે હાઈકોર્ટે તેના એક નિર્ણયમાં કહ્યું હતું કે, મુસ્લિમ પુરુષો એક…

Read More

(જી.એન.એસ),તા.03 મુંબઈ શાહરૂખ ખાનનો મોટો દીકરો આર્યન ખાને 2025નું વેલકમ ખાસ રીતે કર્યું છે. તાજેતરમાં તે અને તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ અને બ્રાઝિલિયન મોડલ લારિસા બોન્સી ન્યૂ યર પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. બંનેએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આર્યન ખાન બ્લેક પેન્ટ અને સફેદ ટી-શર્ટ અને નેવી બ્લુ જેકેટ પહેર્યું હતુ. આ સાથે તેમણે સિલ્વર સ્નીકર્સ પહેર્યા હતા.લારિસાએ શિમરી પિંક મિની ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ તે ખુબ જ ગ્લેમર્સ લાગી રહી હતી. તેમણે સફેદ જેકેટ,સિલ્વર હિલ્સ અને સુંદર નેકલેસ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો આર્યને શાહરુખ કાનના પ્રોડક્શન હાઉસ હેઠળ એક એનટાઈટલ્ડ સીરિઝનું નિર્દેશન કર્યું…

Read More

શ્વાસ સંબંધી બિમારીઓના કેસમાં વધારો થયો, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ (જી.એન.એસ),તા.03 બેઇજીંગ ચીનમાં ફરી એકવાર હસ્યમય બિમારીએ દસ્તક આપી છે, જેણે ઓનલાઈન ચર્ચાઓ અને અફવાઓને હવા આપી દીધી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે કે ચીનની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સ્મશાન ઘાટો પર ભારે ભીડ છે અને ઘણા વાયરસ જેવા કે ઈન્ફલ્યુએન્ઝા A, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને હ્યુમન મેટાપ્યુમોવાયરસ (hMPV) જેવા ઘણા વાયરસના 1 કેસ વધી રહ્યા છે. ચીનમાં હાલ શ્વાસ સંબંધી બિમારીઓના કેસ ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં નાના બાળકો (જેમની ઈમ્યૂન સિસ્ટમ સંપૂર્ણ રીતે વિકસિત નથી) અને બુઝર્ગ (જેમની…

Read More

કેન્દ્ર સરકારે જેલોમાં જ્ઞાતિ ભેદભાવ દૂર કરવા મહત્વનો નિર્ણય લીધો સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયના પ્રકાશમાં લઈને કેન્દ્ર સરકારે જેલોમાં જ્ઞાતિ-ભેદભાવ દૂર કરવા જેલ સુધારણા સેવા અધિનિયમમાં નવા ફેરફારો પર ધ્યાન આપવા અને તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપ્યો (જી.એન.એસ),તા.03 નવીદિલ્હી જેલોમાં જ્ઞાતિ ભેદભાવ દૂર કરવા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શક્ય તેટલી વહેલી તકે નવા ફેરફારો પર ધ્યાન આપવા અને તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપ્યો છે. સમગ્ર મામલો જણાવીએ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં જ્ઞાતિવાદનું ઝેર કેટલું પ્રચલિત છે તેની વિસ્તૃત સુનાવણી થોડા મહિના પહેલા જ સુપ્રીમ…

Read More

(જી.એન.એસ),તા.03 મુંબઈ વર્ષ 2025માં એક બાજુ સલમાન ખાનથી લઈ સની દેઓલની ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તો બીજી બાજુ રાશા થડાની અને ઈબ્રાહિમ અલી ખાન જેવા સુપર સ્ટાર કિડ્સ પોતાનું બોલિવુડ ડેબ્યુ કરી રહ્યા છે. તે પછી વાત કરીએ અન્ય સ્ટાર કિડ્સની તો, સુહાના ખાન, ખુશી કપુર, અગસ્તય નંદા,અલીજેહ અગ્નિહોત્રી બાદ બીજા 5 સ્ટાર કિડ્સ આ વર્ષ 2025માં પોતાનું ડેબ્યુ કરવા માટે તૈયાર છે. જ્યારે કોઈ પણ સ્ટાર કિડ્સ પોતાનું બોલિવુડ ડેબ્યુ કરે છે. તો તે લાઈમલાઈટમાં રહે છે. તેમજ તેમને લાઈમલાઈટમાં લાવવા માટે 2 વર્ષ પહેલા તેનું પ્રમોશન શરુ થઈ જાય છે. તો ચાલો જાણીએ કે, આ સ્ટાર કિડ્સ…

Read More

ભારતીય નાગરિકો માટે વિઝા મુક્તિને સત્તાવાર રીતે 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવી (જી.એન.એસ),તા.03 નવીદિલ્હી મલેશિયાએ દેશના પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ આપવાના એક મહત્વપૂર્ણ પગલામાં ભારતીય નાગરિકો માટે વિઝા મુક્તિને સત્તાવાર રીતે 31 ડિસેમ્બર, 2026 સુધી લંબાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિઝા લિબરેશન પ્લાન પહેલીવાર ડિસેમ્બર 2023માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ યોજના ભારતીય પ્રવાસીઓને 30 દિવસ સુધી વિઝા વિના મલેશિયા જવાની મંજૂરી આપે છે. મલેશિયામાં એન્ટ્રી માટે ભારતીય નાગરિકોએ આગમન પર રિટર્ન ફ્લાઇટ ટિકિટ અને પર્યાપ્ત ફંડનો પુરાવો, જેમ કે બેંક સ્ટેટમેન્ટ અથવા ક્રેડિટ કાર્ડ રજૂ કરવું આવશ્યક છે. હાલમાં બે એરલાઈન્સ કોલકાતા અને કુઆલાલંપુર વચ્ચે ફ્લાઈટ ચલાવે છે.…

Read More

(જી.એન.એસ),તા.03 નવીદિલ્હી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે પુસ્તક ‘J&K and Ladakh Through the Ages’ના વિમોચન પ્રસંગે કહ્યું હતું કે કાશ્મીરનું નામ કશ્યપના નામ પર રખાયુ હશે. તેમણે કહ્યું કે શંકરાચાર્ય, સિલ્ક રૂટ, હેમિશ મઠનો ઉલ્લેખ એ સાબિત કરે છે કે, ભારતીય સંસ્કૃતિનો પાયો કાશ્મીરમાં જ નાખવામાં આવ્યો હતો. કાશ્મીરમાં સૂફી, બૌદ્ધ અને રોક મઠોનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો છે. તેમણે કહ્યું કે કાશ્મીરી, ડોગરી, બાલ્ટી અને ઝાંસ્કરી ભાષાઓને સરકારની મંજૂરી આપવામાં આવી છે. આ માટે હું પીએમ મોદીનો આભાર માનું છું. પીએમનો આગ્રહ હતો કે કેન્દ્ર શાસિત પ્રદેશની રચના પછી કાશ્મીરની સૌથી નાની સ્થાનિક ભાષાને પણ જીવંત…

Read More

(જી.એન.એસ) તા.૩ ગાંધીનગર, જિલ્લાકક્ષા સ્પર્ધાઓ તા.૧૫/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમિયાન યોજાશે.ખેલમહાકુંભ 3.0નું ઝોન તેમજ તાલુકાકક્ષા અને મહાનગરપાલિકા તેમજ જિલ્લાકક્ષા સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં દરેક ઝોન અને તાલુકાના વિવિધ સ્થળો ઉપર કરવામાં આવેલ છે. ઝોન અને તાલુકાકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમ્યાન અને મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષા સ્પર્ધાઓનું આયોજન તા.૧૫/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓ સ્પર્ધાઓનો વિગતવાર કાર્યક્રમ https://khelmahakumbh.gujarat.gov.in/calendar લીંક પર મૂકવામાં આવ્યો છે. જે માટે વેબસાઇટ ખોલીને લીંક ઉપર કલીક કરી અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લો સિલેકટ કરવાનો રહેશે. જેથી અમદાવાદ મહાનગરપાલિકા અને જિલ્લાનો વિગતવાર કાર્યક્રમ જોવા મળશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ તમામ ખેલાડીઓએ કાર્યક્રમના સમય…

Read More

(જી.એન.એસ) તા.૩ ગાંધીનગર, *સ્વચ્છતા સાથે સુલતાનપુર મહિલા સશક્તિકરણ તરફ અગ્રેસર, 107 બહેનોએ શરૂ કર્યા કિચન ગાર્ડનપ્રજ્ઞાચક્ષુ લોકોની સુવિધા માટે બ્રેઈલ લિપિની રચના કરનાર લૂઇ બ્રેઈલના જન્મદિવસે 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેઈલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિવ્યાંગોની સુવિધા અને સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે આજના દિવસે ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત નવસારી જિલ્લામાં દિવ્યાંગોની સેવા માટે શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ પ્રેરણાદાયક છે. નવસારીના સુલતાનપુર ગામમાં નિર્માણ કરવામાં આવેલા સામુહિક શૌચાલયમાં દિવ્યાંગો માટે બ્રેઈલ લિપીમાં સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે જેની મદદથી શૌચાલયનો ઉપયોગ કરવો તેમના માટે સરળ બની ગયો છે. તે સિવાય વ્હીલચેરથી જવા માટે રેમ્પ તેમજ…

Read More