Author: devarshi

લીમડાના ઝાડ પર ઈલેક્ટ્રીક લાઈનના કારણે ભાગ ભભૂકી હતી (જી.એન.એસ) તા.૨૧ ભાવનગર, ભાવનગરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ આગ લાગવાના બનાવ બનવા પામ્યા હતા. સીદસર ગામ નજીક આવેલ ઓઇલ મીલમાં કપાસિયાના ખોળમાં આગ ભભુકી ઉઠતા ફાયર બ્રિગેડ કાફલો દોડી ગયો હતો.અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સુભાષનગર એરપોર્ટ રોડ પર આવેલ પ્લાસ્ટિક વેસ્ટના ડેલામાં આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો દોડી ગયો હતો અને પાણી છાંટી આગ બુજાવી હતી. તથા નવાપરા, ટેકનિકલ સ્કૂલ પાસે આવેલ લીમડાના ઝાડ પર ઈલેક્ટ્રીક લાઈનના કારણે ભાગ ભભૂકી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના સીદસર ગામ, શામપરા રોડ પર આવેલ તળાવ નજીક મારુતિ…

Read More

(જી.એન.એસ) તા.૨૧ તારાપુર, વટામણ-તારાપુર હાઈવે પર એક હોટલમાં ઉભેલી ટ્રક પાછળ સોમવારે વહેલી સવારે એક આઈશર ઘૂસી ગયું હતું. આઈશરની કેબીન ટ્રક પાછળ ભેગી થઈ જતાં આઈશર ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેની બાજૂમાં બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે તારાપુર પોલીસે આઈશર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના ધોરાજીમાં રહેતા ઈમ્તિયાઝ હુસૈનભાઈ ખોખર ગત રવિવારે સાંજે ધોરાજીથી ડુંગળી ભરી સુરત જવા નીકળ્યા હતા. સોમવારે વહેલી સવારે તેમણે વટામણ-તારાપુર હાઈવે પર કસબારા બ્રિજ નજીક આવેલી એક હોટલમાં રોકાયા હતા. ત્યારે સાડા પાંચ વાગ્યે હાઈવે પર બ્રિજ ઉતરતા પુરઝડપે આવેલી આઈશર…

Read More

(જી.એન.એસ) તા.૨૧ ભાવનગર, છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા નાના ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે સોમવારે ૩૦થી વધુ ગેરકાયદે લારી-ગલ્લાના દબાણ મનપાની ટીમે હટાવ્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો. મહાપાલિકાની ટીમે દબાણ હટાવવાની કાર્યવાહી કરતા દબાણકર્તાઓમાં રોષ ભભુકી ઉઠયો હતો. મહાપાલિકાના એસ્ટેટ વિભાગની દબાણ હટાવ સેલની ટીમે આજે સોમવારે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૩૦થી વધુ નાના ગેરકાયદે દબાણ દૂર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેમાં ભાવનગર શહેર ક્રેર્સંટ સર્કલ વિસ્તારમાં ગાંધી સ્મૃતિની દીવાલ અને સરદાર સ્મૃતિની દીવાલ પાસેથી અસ્થાયી દબાણ દુર કરવામાં આવ્યા હતા અને કેટલોક…

Read More

(જી.એન.એસ) તા.૨૧ અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ રોડ ઉપર થતા સેટલમેન્ટ એટલે કે ભૂવા પડવા તથા જમીન બેસી જવાની બાબતને લઈ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર જાહેર કરી છે.આ કારણથી હવે શહેરના કોઈપણ રોડ ઉપર ભૂવો પડશે કે જમીન બેસી જશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે સ્થળે કામ કરનાર કોન્ટ્રાકટર કે એજન્સીની રહેશે. કોન્ટ્રાકટર કે એજન્સીએ રોડ ઉપર પડેલા ભૂવાનુ તાકીદે સમારકામ કરવુ પડશે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ અલગથી રકમ ચૂકવશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે નાંખવા ખોદાણ કરેલી જગ્યા તેમજ જીઓ,એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ, ટોરેન્ટ તથા યુ.જી.વી.સી.એલ.જેવી પાવર કંપની, અદાણી, જેટકો જેવી…

Read More

(જી.એન.એસ) તા.૨૧ સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જીલ્લામાંથી ૫સાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટાપ્રમાણમાં રાજસ્થાન તરફથી ઈંગ્લીશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી સુરેન્દ્રનગર એલસીબી ટીમે નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન એક જ રાતમાં અલગ-અલગ બે જગ્યાએથી અંદાજે રૂા.૧ કરોડથી વધુની કિંમતનો ઈંગ્લીશ દારૂ તેમજ મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબી ટીમે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું, જે દરમ્યાન બાતમીના આધારે ચોટીલાથી રાજકોટ તરફ જતા એક ટ્રકમાં ઈંગ્લીશ દારૂની…

Read More

(જી.એન.એસ) તા.૨૧ અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, અસારવામાં કોઇ કારણ વગર જ પડોશી યુવકે પતિ અને પત્નીને ચાકુના ઘા મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. દંપતિને લોહી લુહાણ કરીને આરોપી નાસી ગયો હતો હાલમાં બન્ને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અસારવામાં બેઠક પાસે રહેતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છેક કે ગઇકાલે સાંજે યુવક ચાલીના નાકે ઉભો હતો ત્યારે આરોપીએ કંઇ પણ રહ્યા વગર ગાળો બોલવા લાગ્યો હતો અને તકરાર કરી હતી. જો કે યુવકે ગાળો બોલવાની ના પાડતાં…

Read More

(જી.એન.એસ) તા.૨૧ અમદાવાદ, ખોખરામાં અનુપમ સિનેમા પાસે બે વર્ષ પહેલા અકસ્માતમાં યુવકનું મોત થયું હતું જેની અદાવત રાખીને ત્રણ શખ્સોએ યુવકને પાઇપના ફટકા મારીને ચાકુના ઘા માર્યા હતા અને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, ગંભીર રીતે ઘાયલ યુવક હાલમાં એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. અસારવામાં ચમનપુરા ખાતે રહેતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં સરસુપરમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક અને તેનો મિત્ર ગઇકાલે બપોરે ખોખરા અનુપમ સિનેમા પાસેથી ઘોડાગાડી લઇને પસાર થતાં હતા આ સમયે ફરિયાદી યુવક…

Read More

(જી.એન.એસ) તા.૨૧ રાજકોટ, જેતપુરના બેંક ઓફ બરોડાના ક્રેડિટકાર્ડનું કામ કરતા જૂનાગઢના શખ્સે મહિલા વેપારી સહીત ૯ લોકોને ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા અને લીમીટ વધરવાના બહાને શખ્સે મોબાઈલમાંથી પાસવર્ડ મેળવી રૃ.૩.૬૫ લાખની છેતરપિંડી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી લેવાયો છે. મળતી વિગતો મુજબ જેતપુરના કણકીયા પ્લોટમાં ગોકુલ ઇલેક્ટ્રીક નામની દુકાન ચલાવતા અને કેનાલ કાંઠે રહેતા ચંદ્રિકાબેન નટવરલાલ ભગવાનજીભાઈ માલવીયા બેંક ઓફ બરોડાનુ ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા બેંકમાં ગયા હતા.અને બેંકમાં ક્રેડીટ કાર્ડનુ કામ કરતા જુનાગઢના પ્રદીપભાઈ ભીખુભાઈ વાળાને મળતા તેણે ચંદ્રિકાબેનનો મોબાઇલ ફોન લઈ તેમાં પ્રોસેસ કરી થોડીવાર પછી તમારૃ કેડીટ કાર્ડ થોડા દિવસમાં બંધ થઈ જશે તેમ…

Read More

(જી.એન.એસ) તા.૨૧ વીરપુર, યાત્રાધામ વીરપુરનાં ગેસ્ટ હાઉસમાં બગસરા પંથકના એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.આ યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. સૂત્રો અનુસાર બાબા ગેસ્ટ હાઉસમાં બનેલ આ આપઘાતનો બનાવ બપોરે ૧૨ વાગ્યાના અરસામાં સામે આવ્યો હતો. મૃતક ૪૫ વર્ષીય મૃતક તેજસ કાંતિભાઈ સગર મૃતક મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનો રહેવાસી છે તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બેરોજગારીને કારણે આપઘાત કરું છું. આ બનાવ અંગે ઘટનાની જાણ થતા વીરપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને વીરપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તેમજ વીરપુર પોલીસે સુસાઇડ નોટના આધારે…

Read More

(જી.એન.એસ) તા.૨૧ સુરત, સુરતના ગોધરા વિસ્તારમાં એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે ગોડાદરા વિસ્તારમાં રહેતી હતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ફી ન ભરવાને કારણે, શાળા મેનેજમેન્ટે વિદ્યાર્થીને બે દિવસ સુધી શૌચાલય પાસે ઉભો રાખ્યો. સુરતના ગોધરા વિસ્તારમાં એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે ગોડાદરા વિસ્તારમાં રહેતી હતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ફી ન ભરવાને કારણે, શાળા મેનેજમેન્ટે વિદ્યાર્થીને બે દિવસ સુધી શૌચાલય પાસે ઉભો રાખ્યો. આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, તેઓ તેના પર દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થીની…

Read More