Author: devarshi

(જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ​​વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા બાદ હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. પૂર્વોત્તર ભારત અને ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના છે. દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં આગામી 2 દિવસ 20, 21 ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે. તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઠંડકનો અનુભવ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનું મોજું ચાલુ રહ્યું હતું. આ પછી, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે, તાપમાન વધવા લાગ્યું અને એકને ગરમીનો અનુભવ થવા લાગ્યો. અત્યારે હવામાન પૂર્વ શિયાળા જેવું છે. દિવસ દરમિયાન વધતા તાપમાનને કારણે સવારે અને…

Read More

(જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા તારીખ ૧૫મી ફેબ્રુઅરીથી ૧૯મી ફેબ્રુઅરી સુધી અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સમાપન કાર્યક્રમ તારીખ ૧૯મી ફેબ્રુઆરીની રોજ કરવામાં આવ્યું. આ કાર્યક્રમાં હરિયાણા રાજ્યના કુલ ૫ જિલ્લાઓ ફરીદાબાદ, જીંદ, રોહતક , પાનીપત અને ભિવાનીના ૨૭ યુવાનો ભાગ લીધું. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટ, તસવીરે ગાંધીનગરના તંત્રીશ્રી કશ્યપભાઈ નિમાવત, શ્રી કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન કાર્યક્રમ દરમિયાન જિલ્લાઓના ટીમ લીડર દ્વારા કાર્યક્રમના સંદર્ભે પોતાના પ્રતિભાવ રજૂ કરવામાં…

Read More

(જી.એન.એસ) તા. 19 રાજકોટ, પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં આવતા રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચાણોલ-હડમતીયા ખાતે ડબલ ટ્રેકના કામ માટે બ્લોક કરવામાં આવશે. જેના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત થશે. આ ટ્રેનના સ્ટોપેજ રદ:- માર્ગ માં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:- રદ કરાયેલી ટ્રેનો:- આંશિક રીતે રદ થયેલી ટ્રેનો:- રીશેડ્યૂલ કરાયેલી ટ્રેનો:-

Read More

બંને દેશોએ સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા, બહુપક્ષીય જોડાણ અને ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારશે (જી.એન.એસ) તા. 19 કુઆલાલમ્પુર મલેશિયા-ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટી (MIDCOM)ની 13મી બેઠક 19 ફેબ્રુઆરી, 2025ના રોજ કુઆલામ્લપુરમાં યોજાઇ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ અને મલેશિયાના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ શ્રી લોકમાન હકીમ બિન અલીએ કરી હતી. બંને પક્ષોએ તાજેતરનાં વર્ષોમાં બંને સશસ્ત્ર દળો વચ્ચે નિયમિત જોડાણ સાથે વધતા દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર પર ખુશી વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સંલગ્નતાઓ અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને વધુ વિસ્તૃત કરવા માટે અસરકારક અને વ્યવહારિક પહેલો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને અધ્યક્ષોએ સાયબર સિક્યુરિટી અને એઆઈ જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટેના પગલાઓની ઓળખ કરી. તેમણે વર્તમાન સહયોગ, ખાસ કરીને સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય જોડાણોમાં વધુ મજબૂત બનાવવાના માર્ગોની ઓળખ કરી હતી. તેઓ બિન-પરંપરાગત દરિયાઇ સુરક્ષાના જોખમોને પહોંચી વળવા સંયુક્ત ધ્યાન કેન્દ્રિત જૂથની રચના કરવા સંમત થયા હતા. બંને પક્ષોએ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીનાં સંરક્ષણ આધારસ્તંભ હેઠળ નવી પહેલોનો સંપૂર્ણ અમલ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેની કલ્પના ઓગસ્ટ, 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમનાં મલેશિયાનાં સમકક્ષ દાતો સેરી અનવર ઇબ્રાહિમની ભારત મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ સ્ટ્રેટેજિક અફેર્સ વર્કિંગ ગ્રુપની સ્થાપના પર અંતિમ ટર્મ્સ ઑફ રેફરન્સ (ToR)નું આદાન-પ્રદાન પણ કર્યું હતું. આ ફોરમ દ્વિપક્ષીય સંરક્ષણ સહકારનાં તમામ પાસાંઓને આગળ વધારવા માટે MIDCOM અને બંને પેટા સમિતિઓ વચ્ચે મધ્યસ્થી સ્વરૂપે કામ કરશે. બંને પક્ષોએ MIDCOMનાં પરિણામ સ્વરૂપે Su-30 ફોરમની સ્થાપના પર અંતિમ ToRનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. Su-30 ફોરમ Su-30 જાળવણીમાં કુશળતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવામાં બંને હવાઈ દળો વચ્ચે ગાઢ સહકારને સક્ષમ બનાવશે. સંરક્ષણ સચિવે ભારતીય સંરક્ષણ ઉદ્યોગની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને મલેશિયાની કંપનીઓ અને સશસ્ત્ર દળો સાથે તેમની ક્ષમતા વધારવા અને આધુનિકીકરણમાં તેમની સાથે જોડાણ કરવાની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આસિયાન અને આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક– પ્લસની અધ્યક્ષતા સંભાળવા બદલ મલેશિયાને અભિનંદન આપ્યા હતાં તથા આ વર્ષે એડીએમએમ પ્લસ અને આસિયાન ડિફેન્સનાં વરિષ્ઠ અધિકારીઓની બેઠકો યોજવા માટે મલેશિયાનાં સંરક્ષણ મંત્રાલયને શુભેચ્છા પાઠવી હતી. ભારત આસિયાનની મધ્યસ્થતા અને એકતાને ટેકો આપે છે, જે ભારતનાં ઇન્ડો-પેસિફિક વિઝનમાં મહત્ત્વપૂર્ણ પાસું છે. સંરક્ષણ સચિવે મજબૂત, એકીકૃત અને સમૃદ્ધ આસિયાનને પ્રોત્સાહન આપવા આસિયાનનાં અધ્યક્ષ તરીકેનાં મલેશિયાનાં પ્રયાસોને ભારતનાં સાથ-સહકારની પુનઃપુષ્ટિ કરી હતી, જે ઇન્ડો-પેસિફિક પ્રદેશની વિકસતી ગતિશીલતાને આકાર આપવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. ભારત મલેશિયાને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર માને છે, કારણ કે મલેશિયા વિદેશ નીતિનાં ત્રણ મુખ્ય દ્રષ્ટિકોણ એટલે કે એક્ટ ઇસ્ટ પોલિસી, સાગર (સુરક્ષા અને વિકાસ ફોર ઓલ ઇન ધ રિજન) અને ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવનાં સંગમસ્થાને આવેલું છે.

Read More

(જી.એન.એસ) તા. 19 ફિલ્મમેકર ડેવિડ ધવન ના પુત્ર, અભિનેતા વરુણ ધવને પોતે ફેન્સને પોતાની ઈજા વિશે માહિતી આપી છે. વરુણ ધવને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને તેને જોયા પછી ફેન્સ પણ ટેન્શનમાં આવી ગયા. વરુણ ધવને તાજેતરની પોસ્ટમાં પોતાની ઈજાનો ફોટો શેર કર્યો છે. હવે વરુણ ધવનની ઈજાનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. આ જોયા પછી તેના ફેન્સ પણ ચિંતિત થઈ ગયા છે. વરુણ ધવને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની આંગળીનો ફોટો શેર કર્યો છે. એક્ટરની આંગળી જોઈને કોઈ પણ વ્યક્તિ અસ્વસ્થતા અનુભવી શકે છે. આ તસવીરમાં એક્ટરની આંગળી પર એક મોટો…

Read More

રાજ્ય સરકારે પ્રયાગરાજના રૂટમાં આવતા રાજ્યોની પોલીસ સાથે યોગ્ય સંકલન સાધીને યાત્રાને સુગમ બનાવી અત્યાર સુધી પ્રયાગરાજ માટે 184 ટ્રીપ પૂર્ણ, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના 4300 જેટલા શ્રદ્ધાળુઓએ મુસાફરી કરી (જી.એન.એસ) તા. 19 ગાંધીનગર/અમદાવાદ, “સરકારી બસમાં અમને આવી સેવા મળશે તેવું વિચાર્યું ન હતું, કોર્પોરેટ કરતા પણ ચડિયાતી કામગીરી GSRTCએ કરી છે” , આ શબ્દો છે,અમદાવાદના ભાવિન વસાણીના જેઓ હાલમાં જ GSRTCએ શરૂ કરેલા વિશેષ મહાકુંભ ટૂર પેકેજમાં પ્રયાગરાજની યાત્રા કરીને પરત આવ્યા છે. ગુજરાતના નાગરિકોની મહાકુંભની યાત્રાને સુગમ અને યાદગાર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 27 જાન્યુઆરીએ GSRTCની વિશેષ વૉલ્વૉ સેવા શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ, વડોદરા, સુરત…

Read More

(જી.એન.એસ) તા. 19 યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે, સાઉદી અરેબિયામાં રશિયા અને અમેરિકા વચ્ચે થયેલી વાતચીત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ તેમનો સાઉદી પ્રવાસ રદ કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેનની ગેરહાજરીમાં કોઈપણ નિર્ણય અસ્વીકાર્ય છે. ઝેલેન્સકી કહે છે કે તેઓ નાટો અને સુરક્ષા અંગે ચર્ચા કર્યા વિના ચર્ચામાં જોડાશે નહીં. સાઉદી અરેબિયાની મધ્યસ્થી હેઠળ રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામનો માર્ગ શોધવા માટે બેઠક યોજાઈ ત્યારે તેમણે આ જાહેરાત કરી. ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ 10 માર્ચ સુધી તેમની મુલાકાત રદ કરી રહ્યા છે. ઝેલેન્સકી 16 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે સંયુક્ત આરબ અમીરાત…

Read More

(જી.એન.એસ) તા. 19 માંગરોળ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થતાં જૂનાગઢ માં આવેલી માંગરોળ નગરપાલિકામાં ભાજપની સત્તા આવી હતી. માંગરોળ નગરપાલિકા માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ પડી હતી. જેમાં બસપાના ઉમેદવારોએ ભાજપને ટેકો આપ્યો હતો. જેમાં સમર્થન મળતા ભાજપનું સંખ્યાબળ 19 થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માંગરોળની 36 બેઠકોમાંથી ભાજપ-કોંગ્રેસને 15-15 બેઠક મળી હતી. જેમાં બસપાને 4 જ્યારે અપક્ષને 2 બેઠક મળી હતી. ત્યારે બસપાના 4 સભ્યોએ ભાજપને સમર્થન આપતા નગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે.

Read More

આજે દિલ્હી ના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ રામલીલા મેદાનમાં યોજાશે (જી.એન.એસ) તા. 19 નવી દિલ્હી, 26 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં આવનાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા મુખ્યમંત્રી નામની જાહેરાત કરી દેવાઈ છે. રેખા ગુપ્તા આગામી મુખ્યમંત્રી બનશે, જ્યારે પરવેશ વર્માને નાયબ મુખ્યમંત્રી માટે પસંદ કરવામાં આવ્યા છે. આજે રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. પાર્ટીના બંને નિરીક્ષકો, રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડે પાર્ટી કાર્યાલયમાં એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને પછી તેમના નામ જાહેર કર્યા. વિજેન્દ્ર ગુપ્તા વિધાનસભા અધ્યક્ષ રહેશે. દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવેલ કોણ છે રેખા ગુપ્તા, આવો જાણીએ તેમના વિષે:- રેખા ગુપ્તા…

Read More

(જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તા.૨૭ ફેબ્રુઆરી થી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક સબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતા અને રાજય કક્ષાનામંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચુઅલ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતેવિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. સમગ્ર રાજ્યમાં મુક્ત,ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાઇ તે માટે શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે માર્ગદર્શન આપ્યુ હતુ. આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીની રૂપરેખા,કેન્દ્રોની સંખ્યા,બ્લોક વ્યવસ્થા,તમામ પરીક્ષા સ્થળો…

Read More