(G.N.S) Dt. 9
ગાંધીનગર,
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા આજે શ્રી રાજદિપસિંહ ગુમાનસિંહજી દેવધરાને વિદ્યુત લોકપાલ, અમદાવાદ તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના ચેરમેન શ્રી પંકજ જોષી તેમજ આયોગના સભ્યશ્રીઓ સમક્ષ શ્રી રાજદિપસિંહ ગુમાનસિંહજી દેવધરાએ આજે શપથવિધિ પૂર્ણ કરી વિદ્યુત લોકપાલ તરીકે ફરજ સંભાળી છે.
તેઓએ વિદ્યુત લોકપાલશ્રીની કચેરી, સી.એમ.ટી.એસ. બિલ્ડીંગ, ટેલિફોન એક્ષચેન્જ, બીમાનગર, જીવનધામ રોડ, આંબાવાડી, અમદાવાદ ખાતે કાર્યભાર સંભાળ્યો હતો તેમ, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

