(જી.એન.એસ),તા.૧૧
આજરોજ તારીખ ૧૧/૧૨/૨૦૨૩ ને સોમવારે વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલ ના પ્રાંગણમાં પ્રોજેક્ટ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 12 ના આશરે 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ કુલ 75 જેટલા પ્રોજેક્ટ તૈયાર કરી પોતાના કૌશલ્યને પ્રદર્શિત કર્યા હતા. આ પ્રોજેક્ટ પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગરથી પ્રાધ્યાપક શ્રી કે. એસ. પરમાર સાહેબ, સત્ કેવલ મંદિરના મહંત શ્રી જનકદાસજી સ્વામી , ચિલોડા મોટી હાઇસ્કુલ ના આચાર્યશ્રી માકાણી સાહેબ, સિહોલી મોટી હાઇસ્કુલના આચાર્યશ્રી સી. એસ. ઠાકોર સાહેબ તથા શ્રી રસિકભાઈ ચાવડા સાહેબ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારી હતી.
પ્રોજેક્ટ પ્રદર્શનના અંતે વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી અજીતસિંહ વાઘેલા સાહેબ તથા માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યશ્રી ભરતભાઈ ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટ પ્રદર્શનની સફળતા બદલ સંસ્થા ના પ્રમુખ શ્રી ડૉ. કુલદીપસિંહ સિસોદિયા સાહેબે અને શાળા ના કેમ્પસ ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પ્રજાપતિ સાહેબે સૌને અભિનંદન પાઠવ્યા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.