Home ગુજરાત ગાંધીનગર પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં

પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં

21
0

(જી. એન. એસ) તા. 26

ગાંધીનગર,

પાટીદાર અનામત આંદોલન (પાસ) થી પ્રખ્યાત થયા બાદ નાટકીય ઢબે  આમ આદમી પાર્ટીમાં જોડાનાર પાટીદાર નેતાઓ આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. થોડા સમય પહેલા અલ્પેશ કથિરીયા તેમજ ધાર્મિક માલવિયા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી નાટકીય ઢબે રાજીનામું આપ્યું હતું. જે બાદ હવે તેઓ ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા રાજકારણમાં ભૂકંપ આવી જવા પામ્યો હતો.  

આદ આદમી પાર્ટીનાં બેનર હેઠળ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ તેમજ ધાર્મિક દ્વારા રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમજ તેઓ આમ આદમી પાર્ટીનાં કાર્યક્રમમાં પણ ગેરહાજર રહેતા હતા. જે બાદ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અલ્પેશ અને ધાર્મિક માલવીયા દ્વારા 18 એપ્રિલનાં રોજ એકાએક રાજીનામું આપી દેતા હડકંપ મચી જવા પામ્યો હતો.

સુરત આમ આદમી પાર્ટીનાં કદાવર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ બંને આપનાં બેનર પર વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંડલાવ્યું હતું. પરંતું ત્યારે બાદ એકાએક 18 એપ્રિલ નાં રોજ બંને નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વીતર્કો સર્જાયા હતા. ત્યારે આવતીકાલે 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાશે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડોદરામાં આઈસર ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 29 લોકો ઈજાગ્રસ્ત, એક નું મોત
Next articleUNGA: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી છે