Home ગુજરાત દુષ્કર્મી આસારામ પ્રત્યે શિક્ષણમંત્રીને હજુ પણ પ્રેમ અને આદર સત્કાર કેમ….?

દુષ્કર્મી આસારામ પ્રત્યે શિક્ષણમંત્રીને હજુ પણ પ્રેમ અને આદર સત્કાર કેમ….?

593
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.29
મધ્ય પ્રદેશના છિંદવાડા ખાતેના પોતાના જ આશ્રમમાં ભણતી એક સગીરા પર બળાત્કાર સહિત અન્ય ગુનાઓ માટે રાજસ્થાન જોધપુરની જેલમાં જન્મટીપની સજા ભોગવી રહેલા ગુજરાતના આસારામ તેમના ભક્તો માટે ભલે હજુ પણ સંત કે આદરણીય હોય પરંતુ વ્યવસાયે એડવોકેટ એવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમના માટે સંતશ્રી શબ્દનો પ્રયોગ કરીને છબરડો તો વાળ્યો તેની સાથે તેમણે જે કાયદાકીય રીતે ગુનેગાર અને બળાત્કારી પૂરવાર થયા છે તેમના દ્વારા ચાલતી સંસ્થાઓ પર ધ્યાન આપવાને બદલે તેમના વખાણ કરે ત્યારે શિક્ષણમંત્રી સમાજ અને ભાવિ પેઢીને શું સંદેશો આપવા માંગે છે એવા સવાલો એટલા માટે ઉભા થયા છે કેમ કે શિક્ષણમંત્રીએ આસારામ આશ્રમ દ્વારા ચાલતી એક સમિતિને પાઠવેલા શુભેચ્છા સંદેશામાં આસારામના નામની આગળ સંતશ્રીનો ઉલ્લેખ કરીને ભાજપ સરકાર હજુપણ તેમને સંત માનતી હોય તેમ લાગી રહ્યું છે. સાબરમતી ખાતે યોગ વેદાંત સેવા સમિતિએ 14 ફેબ્રુઆરીનો દિવસ માતૃ-પિતૃ પૂજન દિન તરીકે ઉજવવાની જાહેરાત કરીને શિક્ષણમંત્રીનો શુભેચ્છા સંદેશો માંગ્યો હતો. શિક્ષણમંત્રી દ્વારા લેટરહેડ પર જે શુભેચ્છા સંદેશો આપવામાં આવ્યો છે તેમાં આસારામની સંસ્થાના ભારોભાર વખાણ કરવામાં આવ્યા છે. આસારામના મોટેરા આશ્રમમાં બે માસુમ બાળકોના અપમૃત્યુનો કિસ્સો હજુ ભૂલાયો નથી. તે હજુ એક રહસ્ય છે. ત્યારે એવી વિવાદાસ્પદ સંસ્થા પર દેખરેખ માટે કોઇ વ્યવસ્થા ગોઠવાય જેથી વધુ કોઇ માસુમ બાળકોના મોત ના થાય. તેના બદલે તેમણે હોંશે હોંશે શુભેચ્છા સંદેશા દ્વારા પ્રમાણિત કર્યું કે આસારામ ભલે બળાત્કારી, આસારામ ભલે ગુનેગાર અને જન્મટીપની સજાવાળો પરંતુ તેમના માટે તો વંદનીય અને સંતશ્રી આશારામ જ છે…! આવી માનસિક્તાવાળા ભક્તોને કારણે આસારામ જેવા પાખંડીઓ પાપલીલા આચરતા અચકાચા નહોતા. છેવેટે પાપ છાપરે ચઢીને પોકાર્યું અને પાકા કેદી તરીકે જેલમાં બંધ છે. તેમને પેરોલ પણ આપવામાં આવતી નથી એટલું કડક વલણ જેલ સત્તાવાળાઓનું છે આ દુષ્કર્મી પ્રત્યે. તેમ છતાં ભાજપ સરકારનો તેમના પ્રત્યે હજુ પણ એવો જ પ્રેમ અને આદર સત્કાર હોય તો યોગ વેદાંત સેવા સમિતિમાં ભણતાં ભીલકાઓ પર શું અસર પડશે…? એવો સવાલ પણ કોઇ કરી શકે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleEVM દેવતાના ચમત્કારોની કથા ભાજપના નેતાઓને ડરાવવા માટે છે
Next articleચૂંટણી પહેલા મોદી-ભાજપના હિન્દુ-રાષ્ટ્રવાદના કારણે સાંપ્રદાયિક હિંસા ભડકવાની શક્યતાઃ US