Home વ્યાપાર જગત - BUSINESS RBI દ્વારા વ્યાજદરોમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવતા ભારતીય શેરબજારમાં અફડાતફડીના...

RBI દ્વારા વ્યાજદરોમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવતા ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૬.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૧૦૭.૩૪ સામે ૫૫૩૪૫.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૬૮૩.૩૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૪૦.૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૪.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૮૯૨.૪૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૪૨૯.૨૫ સામે ૧૬૪૭૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૩૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૪.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૩૫૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ત્રીજા દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષાના બુધવારે નિર્ણય ધારણા મુજબ વ્યાજદરોમાં ૦.૫૦%નો વધારો કરવામાં આવતા અને યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા પણ ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજ દરમાં મોટો વધારો થવાની મૂકાતી ધારણા પાછળ બોન્ડ યીલ્ડમાં ઝડપી ઉછાળો નોંધાતાં આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાઈ હતી. ભારતમાં મોંઘવારી વધી રહી હોઈ પેટ્રોલ, ડિઝલ પરની એકસાઈઝમાં ઘટાડા છતાં આંતરરાષ્ટ્રીય ક્રુડના વધતાં ભાવોએ આગામી દિવસોમાં ફુગાવો વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેવા અહેવાલ અને નોમુરાએ ભારતમાં ચાલુ વર્ષમાં ફુગાવો કાબૂ બહાર જવાના સંકેત અને દેશના આઈટી સેક્ટરની મજબૂત વૃદ્વિ છતાં જેપી મોર્ગન દ્વારા ભારતના આઈટી સેક્ટરને ડાઉનગ્રેડ કરાતાં નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

આરબીઆઇ દ્વારા વ્યાજદરોમાં આજે ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો અને આગામી સમયમાં મોંઘવારી પણ વધુ રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. આજ રોજ સમાપ્ત થયેલ જૂન માસની મોનિટરી પોલિસી બેઠકમાં એમપીસીના તમામ સભ્યોએ એકમતે આરબીઆઈએ વ્યાજદરમાં ૦.૫૦%નો વધારો કરતા હવે રેપો રેટ ૪.૯૦% થયો છે. આ સિવાય બેંકો માટે અતિ મહત્વના MSF રેટમાં પણ આરબીઆઈએ વ્યાજદર વધાર્યા છે. સ્ટેન્ડિંગ ડિપોઝીટ ફેસિલિટી એન્ડ માર્જિનલ સ્ટેન્ડિંગ ડિપોઝીટ ફેસિલિટી દર પણ ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બંને દર અનુક્રમે વધારીને ૪.૬૫% અને ૫.૧૫% કર્યા છે. આ સિવાય એમપીસીએ મોનિટરી પોલિસીને અકોમોડેશનથી અગ્રેસિવ કરવા માટે મહત્વના જરૂરી પગલાં લેવાની તૈયારીઓ દર્શાવી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, આઇટી, હેલ્થકેર અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૯૯ અને વધનારની સંખ્યા ૧૫૧૩ રહી હતી, ૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ રહી છે. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. ચાલુ જૂન માસ દરમિયાન એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ રહી છે. આ નેગેટીવ ભૂમિકા પાછળ અનેક રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય ઇક્વિટીને ઊંચા વેલ્યુએશનના કારણે ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કરી હતી. વૈશ્વિક મોરચે ફુગાવા, વ્યાજ દરમાં વધારા સાથે જીઓપોલિટીકલ ટેન્શનના અનિશ્ચિતતાના પરિબળો વચ્ચે વૈશ્વિક બજારોમાં અફડાતફડી સાથે ભારતીય શેરબજારમાં પણ બે તરફી અફડાતફડી જોવા મળી રહી છે.

ફોરેન ફંડો હજુ ભારતીય શેર બજારોમાં કેશ સેગ્મેન્ટમાં સતત નેટ વેચવાલ બની રહ્યા છે ત્યારે સ્થાનિક ફંડોની ખરીદી જળવાઈ રહેતાં નીચા મથાળે બજારમાં ઓવર સોલ્ડ પોઝિશન હળવી થતાં ઈન્ડેક્સ બેઝડ રિકવરી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે આકર્ષણ જોવાયું છે. પરંતુ હજુ બજારમાં અનિશ્ચિતતાનો દોર જળવાયેલો હોવાથી આ તબક્કે શેરોમાં મોટી ખરીદીની ઉતાવળ નહીં કરવા સાથે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. કોર્પોરેટ પરિણામો બાદ હવે બજારની નજર ચોમાસાની પ્રગતિ રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉર્ફી જાવેદે મીકાના સ્વયંવરમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યો
Next articleRBIએ કર્યો રેપો રેટમાં 0.50%નો વધારાથી હવે થશે લોનના હપ્તા વધુ મોંઘા
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.