Home વ્યાપાર જગત - BUSINESS RBI દ્વારા મોનીટરી પોલીસી મીટિંગમાં વ્યાજ દરમાં વધારો થવાની શકયતાએ ઉછાળે નફારૂપી...

RBI દ્વારા મોનીટરી પોલીસી મીટિંગમાં વ્યાજ દરમાં વધારો થવાની શકયતાએ ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૪.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૧૦.૪૧ સામે ૫૯૪૦૨.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૯૭૭.૩૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૨૭.૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭૫.૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૦૩૪.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૬૭.૪૫ સામે ૧૭૭૬૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૯૩.૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૩.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૫.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૪૨.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. યુ.એસ.ફેડરલ રિઝર્વના ગવર્નર દ્વારા બેલેન્સશીટની સાઈઝ ઝડપથી ઘટાડવાના સંકેત આપતાં વ્યાજ દર વધારવાના નિર્દેશ વચ્ચે બોન્ડસ, યુ.એસ. માર્કેટમાં ફયુચર્સમાં ધોવાણ સાથે આજે યુરોપ, એશીયાના બજારોમાં ધોવાણ થયું હતું. ભારતીય શેરબજારમાં પણ આજે સતત ત્રીજા દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડો જોવાયો હતો. ભારતમાં પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા શુક્રવારે મોનીટરી પોલીસી માટેની મીટિંગમાં ફુગાવો કાબૂ બહાર જાય એ પૂર્વે તકેદારીના પગલાં તરીકે વ્યાજ દરમાં વધારો થવાની શકયતાએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સાથે ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, યુટિલિટીઝ, પાવર અને મેટલ શેરોમાં સતત ફંડોની વેચવાલી રહી હતી. આ સાથે આજે  ફોરેન ફંડોના આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઈન્ડસ્ટ્રીયલ  શેરોમાં ફંડોના ઓફલોડિંગે બીએસઇ સેન્સેક્સ ૫૭૫.૪૬ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૧૨૫.૪૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.

ત્રણ દિવસમાં બીએસઇ સેન્સેક્સમાં અંદાજીત ૧૬૦૦ પોઈન્ટ અને નિફટીમાં ૩૫૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. યુક્રેન મામલે રશિયા પર યુરોપ, અમેરિકાના નવા પ્રતિબંધોની તૈયારી વચ્ચે વૈશ્વિક ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બે-તરફી અથડાતાં રહ્યા બાદ આજે સાંજે વધીને બ્રેન્ટ ક્રુડ ૧૧૦ ડોલર નજીક રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક મોટાપાયે વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૩૨ લાખ કરોડ ઘટીને રૂ.૨૭૧.૨૫ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, બેન્કેક્સ, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૪ અને વધનારની સંખ્યા ૧૬૯૪ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતના ઈતિહાસના સૌથી મોટા આઈપીઓ એલઆઈસીમાં રશિયા – યુક્રેન યુદ્ધને કારણે વિલંબ થઈ રહ્યો છે. માર્ચમાં લોન્ચ થનાર એલઆઇસીના આઈપીઓને હવે મે મહિનામાં લોન્ચ કરવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી છે. ભારત સરકાર જાહેર ક્ષેત્રની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનના જાહેર ભરણા થકી આવતા મહિને આશરે રૂ. ૫૦,૦૦૦ કરોડ કે ૬.૬ અબજ ડોલર એકત્ર કરવાનું વિચારી રહી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવે સરકાર આઈપીઓ થકી એલઆઈસીમાં ૭% જેટલો હિસ્સો વેચવાનું વિચારી રહી છે. મહત્વની વાત એ છે કે આઈપીઓ માટે મળેલ વર્તમાન મંજૂરીઓ ૧૨ મેના રોજ સમાપ્ત થાય તે પહેલાં સરકાર શેર સેલ ઓફર શરૂ કરવાનો હેતુ ધરાવે છે. એલઆઈસીના આઈપીઓ માટેની યોજનાઓ સૌપ્રથમ ફેબ્રુઆરી, ૨૦૨૦માં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરવામાં આવી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે મણીનગરમાં કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યકમ યોજાયો
Next articleઈન્ડો-ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ વચ્ચે ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ હોવો જોઈએઃ કેન્દ્રીય મંત્રી ગોયલ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.