Home ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે મણીનગરમાં કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક...

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે મણીનગરમાં કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યકમ યોજાયો

246
0

(જી.એન.એસ.),તા.૦૬
અમદાવાદ


ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું. કેસરીયા યુથ ફેડરેશનના પ્રમુખ શાર્દુલભાઈ દેસાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જાેડાયા હતા અને સ્થાનિક તેમજ રાહદારીઓએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનો આનંદ માણ્યો હતો. મણીનગર વિધાનસભાના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ ના હસ્તે નિઃશુલ્ક છાશ વિતરણનો આરંભ કરાવવામાં આવ્યું હતું.


છેલ્લા ૭ વર્ષથી દર વર્ષે ઉનાળામાં કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે મણીનગરના ઘોડાસર ફિડલ કેનાલ, ગાર્ડન પાસે અમૂલ કોર્નર પાસે આ નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યુ હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleક્રુડ – ઓઈલના ભાવોમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
Next articleRBI દ્વારા મોનીટરી પોલીસી મીટિંગમાં વ્યાજ દરમાં વધારો થવાની શકયતાએ ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!