Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પેટ્રોલિયમ ઉત્પાદનનો પૂરતો જથ્થો, ડ્રાઈ આઉટનો કોઈ બનાવ નથી: શ્રી સંજીબ કુમાર બેહરા
- રાજ્યમાં પ્રચંડ ગરમી – હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
- શેરી નાટકોના માધ્યમથી અમદાવાદ ગ્રામ્યના ગામોમાં ગુંજ્યો લોકશાહીનો સંદેશ: શાળાઓ દ્વારા મતદાન જાગૃતિનો અનેરો પ્રયાસ
- વિધાનસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને બંગાળમાં ચૂંટણી પંચે જપ્ત કરેલા રૂપિયા 1,000 કરોડને વટાવી ગયા
- ‘હું ટ્રોફી જીતવા માટે રમું છું’: આ વર્ષે પંજાબ કિંગ્સ માટે IPLનો મહિમા દર્શાવવા અંગે શ્રેયસ ઐય્યર
- રાજા શિવાજી ફિલ્મમાં મહારાષ્ટ્રના વારસાને ‘છેડછાડ અને અપમાન’ કરવા બદલ ટીકાનો જવાબ આપ્યો રિતેશ દેશમુખ
- દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની ઉંમર અંગે વધારાના પુરાવા રજૂ કરવાની અરજી ફગાવી દીધી
- પહેલગામ હુમલાના એક વર્ષ પછી પીએમ મોદીએ પીડિતોને યાદ કર્યા કહ્યું; ‘ભારત ક્યારેય આતંકવાદ સામે ઝૂકશે નહીં’
- દાહોદમાં ભાજપાની ભવ્ય બાઈક રેલી
- આજનું રાશિફળ (૨૨/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૨/૦૪/૨૦૨૬)
- લેખ- ડિજિટલ યુગમાં લુપ્ત થતી જતી માનવીય સંવેદનાઓ: શું આપણે યંત્રો બની રહ્યા છીએ?
Browsing: Featured
(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, હવામાન વિભાગના અહેવાલ મુજબ એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે. એક…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૩૬૬ સામે…
(જી.એન.એસ) તા. 28 ભુવનેશ્વર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025 અને મેક ઇન ઓડિશા પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. અહિં જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી, 2025માં ઓડિશાની આ તેમની બીજી મુલાકાત હતી. જેમાં પ્રવાસી ભારતીય દિવસ 2025નાં કાર્યક્રમનું ઉદઘાટન કરવા માટે તેમની મુલાકાતને યાદ કરવામાં આવી હતી. ઓડિશામાં આ અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ સમિટ હોવાનું નોંધતા શ્રી મોદીએ કહ્યું હતું કે, મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025માં આશરે 5થી 6 ગણા વધારે રોકાણકારો સહભાગી થયા છે. તેમણે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ ઓડિશાનાં લોકો અને સરકારને અભિનંદન પણ આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પૂર્વીય ભારત દેશનાં વિકાસમાં વૃદ્ધિનું એન્જિન છે અને ઓડિશા તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.” તેમણે જણાવ્યું કે ઐતિહાસિક ડેટા એ પણ દર્શાવે છે કે જ્યારે ભારતે વૈશ્વિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ત્યારે પૂર્વીય ભારતનું યોગદાન નોંધપાત્ર હતું. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, પૂર્વ ભારતમાં ઔદ્યોગિક કેન્દ્રો, બંદરો, વેપારનાં મોટાં કેન્દ્રો છે અને તેમાં ઓડિશાની ભાગીદારી નોંધપાત્ર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઓડિશા દક્ષિણ પૂર્વ એશિયાના વેપારમાં મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું અને બંદરો ભારત માટે પ્રવેશદ્વાર હતા.” તેમણે ઉમેર્યું હતું કે ઓડિશામાં આજે પણ બાલી યાત્રા ઉજવવામાં આવે છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની ભારતની તાજેતરની મુલાકાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેમનાં ડીએનએમાં ઓડિશાનાં ચિહ્નો હોવાની શક્યતા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઓડિશા વારસાની ઉજવણી કરે છે, જે તેને દક્ષિણ પૂર્વ એશિયા સાથે જોડે છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશાએ હવે 21મી સદીમાં ભવ્ય વારસાને પુનર્જીવિત કરવાનું શરૂ કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, સિંગાપોરનાં રાષ્ટ્રપતિએ તાજેતરમાં ઓડિશાની મુલાકાત લીધી હતી અને સિંગાપોર ઓડિશા સાથેનાં તેમના સંબંધોને લઈને અતિ ઉત્સાહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આસિયાન દેશોએ ઓડિશા સાથે વેપાર અને પરંપરાગત જોડાણોને મજબૂત કરવા માટે પણ રસ દાખવ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આઝાદી પછી અત્યાર સુધીમાં અગાઉ ક્યારેય નહોતી એવી અનેક તકો ખુલી રહી છે. તેમણે ઉપસ્થિત તમામ રોકાણકારોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, અત્યારે ઓડિશાની વિકાસયાત્રામાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે અને તેમણે ખાતરી આપી હતી કે, તેમનું રોકાણ સફળતાની નવી ઊંચાઈઓ તરફ દોરી જશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “ભારત કરોડો લોકોની આકાંક્ષાઓથી સંચાલિત વિકાસનાં માર્ગે અગ્રેસર છે.” શ્રી મોદીએ જણાવ્યું હતું કે, એઆઇનો અર્થ ભારતની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આકાંક્ષા એમ બંને છે, જે દેશની તાકાત છે. તેમણે કહ્યું હતું કે જ્યારે લોકોની જરૂરિયાતો પૂર્ણ થાય છે, ત્યારે આકાંક્ષાઓ વધે છે અને વીતેલા દાયકામાં કરોડો નાગરિકોને સશક્ત બનાવ્યાં છે, જેનાથી દેશને લાભ થયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશા આ આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ઓડિશાને ઉત્કૃષ્ટ ગણાવ્યું હતું, જે નવા ભારતનાં આશાવાદ અને મૌલિકતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશા પાસે અસંખ્ય તકો છે અને તેનાં લોકોએ હંમેશા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટેનો જુસ્સો દર્શાવ્યો છે. ઓડિશાનાં લોકોનાં કૌશલ્ય, આકરી મહેનત અને પ્રામાણિકતાને નિહાળવાનો પોતાનો વ્યક્તિગત અનુભવ ગુજરાતમાં વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઓડિશામાં નવી તકો ઊભી થવાની સાથે રાજ્ય ટૂંક સમયમાં વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચશે. તેમણે ઓડિશાનાં વિકાસને વેગ આપવાનાં પ્રયાસો માટે મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી અને તેમની ટીમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઓડિશા ખાદ્ય પ્રસંસ્કરણ, પેટ્રોરસાયણ, બંદર સંચાલિત વિકાસ, મત્સ્યપાલન, આઇટી, એડ્યુટેક, ટેક્સટાઇલ્સ, પ્રવાસન, ખાણકામ અને હરિત ઊર્જા સહિત વિવિધ ઉદ્યોગોમાં ભારતનાં અગ્રણી રાજ્યોમાંનું એક બની રહ્યું છે. ભારત ઝડપથી દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં પ્રગતિ કરી રહ્યું છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પાંચ ટ્રિલિયન ડોલરનાં અર્થતંત્રની સીમાચિહ્નરૂપ સિદ્ધિ બહુ દૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં ઉત્પાદન ક્ષેત્રમાં ભારતની તાકાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારતનાં અર્થતંત્રનું વિસ્તરણ બે મુખ્ય આધારસ્તંભ છેઃ નવીન સેવા ક્ષેત્ર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની ઝડપી પ્રગતિ ફક્ત કાચા માલની નિકાસ પર નિર્ભર ન હોઈ શકે અને એટલે સંપૂર્ણ ઇકોસિસ્ટમ નવા વિઝન સાથે પરિવર્તિત થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત ખનિજોનાં ઉત્પાદન અને મૂલ્ય સંવર્ધન માટે તેને વિદેશમાં મોકલવાનાં વલણમાં પરિવર્તન લાવી રહ્યું છે, જેથી એ ઉત્પાદનો ભારતમાં પાછાં ફરે. એ જ રીતે, તેમણે ઉમેર્યું હતું કે, અન્ય દેશોમાં પ્રોસેસિંગ માટે સીફૂડની નિકાસ કરવાના ટ્રેન્ડમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકાર ઓડિશામાં સંસાધનો સાથે સંબંધિત ઉદ્યોગો રાજ્યની અંદર સ્થાપિત થાય એ સુનિશ્ચિત કરવા કામ કરી રહી છે. તેમણે પ્રકાશ પાડ્યો કે ઉત્કર્ષ ઓડિશા કોનક્લેવ 2025એ આ દ્રષ્ટિને સાકાર કરવા માટેનું એક સાધન છે. વિશ્વ સતત જીવનશૈલી પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને હરિયાળા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે એ બાબતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ગ્રીન જોબ્સની સંભવિતતામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેમણે સમયની માંગ અને જરૂરિયાતોને સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારત ગ્રીન ટેકનોલોજી અને સૌર, પવન, હાઇડ્રો અને ગ્રીન હાઇડ્રોજન સહિત હરિયાળા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે વિકસિત ભારતની ઊર્જા સુરક્ષાને ઊર્જા પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઓડિશામાં આ સંબંધમાં પ્રચૂર સંભવિતતા છે અને તેમણે જણાવ્યું હતું કે, દેશે રાષ્ટ્રીય સ્તરનાં ગ્રીન હાઇડ્રોજન અને સૌર ઊર્જા અભિયાનો શરૂ કર્યા છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ઓડિશામાં પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લેવામાં આવ્યાં છે અને હાઇડ્રોજન ઊર્જાનાં ઉત્પાદન માટે કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હરિયાળી ઊર્જાની સાથે-સાથે ઓડિશામાં પેટ્રો અને પેટ્રોરસાયણ ક્ષેત્રનાં વિસ્તરણ માટે પણ વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે પારાદીપ અને ગોપાલપુરમાં સમર્પિત ઔદ્યોગિક ઉદ્યાનો અને રોકાણ ક્ષેત્રો વિકસાવવામાં આવી રહ્યાં છે, જે આ ક્ષેત્રમાં રોકાણની નોંધપાત્ર સંભવિતતા સૂચવે છે. શ્રી મોદીએ ઓડિશા સરકારને રાજ્યમાં વિવિધ પ્રદેશોની સંભવિતતાને ધ્યાનમાં રાખીને ઝડપી નિર્ણયો લેવા અને નવી ઇકોસિસ્ટમ વિકસાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “21મી સદી એ ભારત માટે કનેક્ટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીનો યુગ છે.” શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં જે સ્કેલ અને ઝડપે વિશિષ્ટ માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, તે દેશને રોકાણ માટે ઉત્કૃષ્ટ સ્થળ બનાવી રહી છે. તેમણે નોંધ્યું હતું કે સમર્પિત નૂર કોરિડોર પૂર્વ અને પશ્ચિમ દરિયાકિનારાને જોડતા હતા, જે અગાઉ જમીનથી ઘેરાયેલા પ્રદેશો માટે દરિયામાં ઝડપથી પ્રવેશ પૂરો પાડતા હતા. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ ધરાવતાં ડઝનેક ઔદ્યોગિક શહેરોનું નિર્માણ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓડિશામાં પણ આવી જ તકો વધી રહી છે અને રાજ્યમાં રેલવે અને હાઇવે નેટવર્ક સાથે સંબંધિત હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, ઓડિશામાં ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે સરકાર બંદરોને ઔદ્યોગિક ક્લસ્ટર્સ સાથે જોડી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હાલનાં બંદરોનું વિસ્તરણ અને નવા બંદરોનું નિર્માણ એમ બંને થઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્લ્યૂ ઈકોનોમીની દ્રષ્ટિએ ઓડિશા દેશના ટોચના રાજ્યોમાંનું એક બનવાનું છે.…
(જી.એન.એસ) તા. 28 ભારતની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને ICC દ્વારા 2024ની શ્રેષ્ઠ ODI મહિલા ક્રિકેટર તરીકે નો એવોર્ડ આપવામાં આવ્યો છે,…
જીટીયુના વિવિધ વિદ્યાશાખાના ૩૮,૯૨૮ વિદ્યાર્થીઓને પદવી, ૭૦ વિદ્યાર્થીઓને પીએચ.ડી તથા ૧૪૬ વિદ્યાર્થીઓને મેડલ પ્રદાન કરાયા (જી.એન.એસ) તા. 28 અમદાવાદ/ગાંધીનગર, ગુજરાત…
(G.N.S) Dt. 28 ગાંધીનગર, ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. વડાપ્રધાન…
(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રીએ A.I. અને IOT લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના ૧૦ એવોર્ડ્સ MSMEને…
આપણે વૈદિક પરંપરાઓના લોકો છીએ. આપણો દેશ વિશ્વ કલ્યાણ માટે હંમેશા અગ્રેસર રહ્યો છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ,…
ગુજરાતના વધુને વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધારે બસો મૂકવા અંગે નિર્ણય લેવાશે : મંત્રી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૧.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૧૯૦ સામે…
