Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
(તખુભાઈ સાંડસુર દ્વારા) દાવોસ, દુનિયાના સૌથી રમણીય દેશ એવા સ્વીઝર્લેન્ડમાં “માનસ મહામંત્ર”રામકથા પુ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઈ રહી છે. આજે આ રામકથા પાંચમા દિવસમાં પ્રવેશ કરીને રામ જન્મ સાથે વિરામ પામી. પૂ. મોરારિબાપુ એ સુત્રાત્મક વાત કરતા આજે મંત્રોની દિશામાં વધુ એક મંત્ર સાહસ વિશે પોતાનું ચિંતન વ્યક્ત કર્યું. બાપુએ કહ્યું કે સાધક કે કોઈને બાધક થવું ન જોઈએ. બુદ્ધ પુરુષનું સ્મરણ સાંભળવા કરતા વધુ છે. દરેક વ્યક્તિએ છ વખત ક્રોધ ન કરવો જોઈએ. જાગીને,સૂતી વખતે,ભોજન કરતી વખતે, પૂજા કરતી વખતે,કામ પર જતી વખતે અને કામ પરથી પરત આવતી વખતે. આ સમયને આપણે સાચવી લઈએ તો આપણું ઘર એ શાંતિ…
(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી, ભારતીય સંરક્ષણ સંપદા સેવા, લશ્કરી ઇજનેર સેવાઓ અને કેન્દ્રીય જળ ઇજનેરી સેવાના પ્રોબેશનરોએ આજે (23 જુલાઈ, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. ભારતીય સંરક્ષણ સંપદા સેવાના અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ઝડપી ટેકનોલોજીકલ પરિવર્તનના આ યુગમાં, ડિજિટલ સોલ્યુશન્સનું એકીકરણ એક આવશ્યકતા છે. ટેકનોલોજીકલ પ્રગતિથી વાકેફ રહેવું અને તેમને તેમના કાર્યમાં લાગુ કરવું એ તેમની ફરજ છે. તેમણે જણાવ્યું હતું કે કૃત્રિમ બુદ્ધિ, ડ્રોન-આધારિત જમીન સર્વેક્ષણ, ઉપગ્રહ છબી અને મિલકત રેકોર્ડ જાળવણી માટે બ્લોકચેન હવે ભવિષ્યવાદી ખ્યાલો નથી, તે શાસનનો ભાગ બની રહ્યા છે. તેમણે તેમને માળખાગત વિકાસમાં ગ્રીન પ્રેક્ટિસ અપનાવવા, નવીનીકરણીય ઉર્જા ઉકેલો અપનાવવા, બગાડ ઘટાડવા અને છાવણીઓમાં પાણી…
ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજરને એસીબી દ્વારા લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો
(જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજરને એસીબીની ટીમ દ્વારા રંગેહાથ પકડી પાડવામાં આવ્યો છે. આરોપીએ આવાસ યોજનાના હપ્તા માટે લાંચ માંગી હતી. ACBએ આરોપી કર્મચારી ઝંખીત રાવળને 3500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે મીડિયા સુત્રો થકી પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના માણસામાં તાલુકા પંચાયતનો વર્ક મેનેજર ઝંખીત રાવળે ફરિયાદીના પિતાના નામે સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મંજુર થયેલા મકાન બનાવવા ફરીયાદીના પિતાના બેંક ખાતામાં 50 હજારનો હપતો જમા કરાવવાના અવેજ પેટે લાંચની માંગ કરી હતી. આરોપી વર્ક મેનેજરે લાંચ માંગતા ફરિયાદી લાંચ આપવા તૈયાર નહીં હોવાથી તેમણે…
(જી.એન.એસ) તા. 23 નવી દિલ્હી/બીજિંગ, ભારતે બુધવારે ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરવાની જાહેરાત કરી, જે દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા તરફ વધુ એક પગલું છે, જે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લશ્કરી ગતિરોધને કારણે છ દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા હતા. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર આ પગલું જાહેર કર્યું, જે ભારત અને ચીન એપ્રિલમાં પાંચ વર્ષના અંતરાલ પછી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા પર સંમત થયાના લગભગ બે મહિના પછી આવ્યું છે – જેને લોકો-થી-લોકોના આદાનપ્રદાનમાં પ્રથમ મોટી સફળતા તરીકે જોવામાં આવે છે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે WeChat પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ચીની…
(જી.એન.એસ) તા. 23 પાલનપુર, યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન લગભગ એક કરોડ પચ્ચીસ લાખ જેટલા મોહનથાળ પ્રસાદનું વેચાણ કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાને ધ્યાને રાખતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા તમામ માપદંડોને આધારે અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા તથા મંદિરના ખાદ્ય વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ કામગીરીનું પ્રતિબિંબ છે. ખાસ કરીને આ સફળતા શ્રી આરાસુરી અંબાજી માતા…
સાયબર ફ્રોડથી સાવધાન (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, રાજ્યના વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા RTO દ્વારા આપવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ વાહન વ્યવહાર કમિશનર કચેરીની અધિકૃત વેબસાઈટના ‘e-challan’ પોર્ટલ https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જઈને જ ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં, RTO દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી. જો કોઈ સોશિયલ મીડિયા માધ્યમ, થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા અનઅધિકૃત મેસેજ મારફતે વાહનના ચલણ ભરવાની લિંક આવે તો તેને ઓપન ન કરવી. આમ, થોડી સાવધાની રાખવાથી સાયબર ફ્રોડનો ભોગ બનવાથી બચી શકાય છે, તેમ વાહન વ્યવહાર…
(જી.એન.એસ) તા. 23 દાંતા, બનાસકાંઠાનાં દાંતા તાલુકામાં GSRTC બસને અકસ્માત નડ્યો હતો જેમાં, કુંવારસી નજીક આવેલ ઘાટીમાં એસટી બસ અચાનક ગરમ થઈને બંધ થઈ હતી અને રોડની નીચે ઉતરી ગઈ હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, બસમાં સવાર 40-45 મુસાફરો પૈકીનાં 10-12 મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે અંબાજી અને દાંતાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને દાંતા મામલતદાર અને હડાદ પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના અંબાજી નજીક કુંવારસી નજીક ખેડબ્રહ્માથી ધાનેરા જતી ST બસ આજે (23 જુલાઈ) બપોર બાદ દાંતા તાલુકાના કુંવારસી ઘાટી નજીક…
(જી.એન.એસ) તા. 23 અમદાવાદ, રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે અને આ માટે ડાક વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ જીપીઓ અને નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે ખાસ રાખડી કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું. રક્ષાબંધનમાં મોકલવા માટે પોસ્ટ ઓફિસો દ્વારા ખાસ ડિઝાઇન કરેલા રંગબેરંગી ડિઝાઇનર રાખી કવર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ ખાસ રાખડી કવર અમદાવાદમાં અમદાવાદ જીપીઓ, નવરંગપુરા અને રેવડી બજાર હેડ પોસ્ટ ઓફિસ ઉપરાંત ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં હેડ પોસ્ટ ઓફિસ અને પસંદગીની સબ પોસ્ટ ઓફિસોમાં વેચાણ માટે ઉપલબ્ધ…
આતંકવાદ વિરૂદ્ધ ગુજરાત ATS ને મળી મોટી સફળતા (જી.એન.એસ) તા. 23 અરવલ્લી/અમદાવાદ, ગુજરાત ATS દ્વારા લાંબા સમયથી વોચ રાખ્યા બાદ ATSની ટીમે નકલી ભારતીય ચલણી નોટ મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. તેમજ આ ચાર લોકો અલકાયદાના આતંકવાદી મોડલ સાથે સંકળાયેલા ચારેય આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલીક સસ્પેક્ટ ઍપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા ફેલાવવાની કામગીરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના બે આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હોવાનું સામે આવ્યું છે સાથેજ રાજ્યનાં અલગ-અલગ જિલ્લાઓમાં ATS દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ગુજરાત ATSની ટીમે અલકાયદા AQIS સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી…
(જી.એન.એસ) તા. 23 થાણે, મહારાષ્ટ્ર પોલીસે બુધવારે થાણેના સાગર નગર વિસ્તારમાં પાર્કિંગના વિવાદ બાદ એક યુવક પર હુમલો કરતા અને તલવાર લહેરાવતા શિવસેનાના એક નેતાની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ આકાશ આનંદ ભાલેરાવ તરીકે થઈ છે, જે શિવસેનાના એક પક્ષના એકમના વડા છે. પોલીસે આકાશના એક સહયોગી સૂરજ દત્તા હજારેની પણ ધરપકડ કરી છે, જે આ ઘટનામાં પણ સામેલ હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં 25 વર્ષીય આકાશ તલવાર લહેરાવતા અને પીડિતને ધમકી આપ્યા પછી હુમલો કરતા જોઈ શકાય છે. સાગર નગર વિસ્તારમાં, જે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના પક્ષનો ગઢ માનવામાં આવે છે. પોલીસે…
