Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
બ્રિટનની પાર્લામેન્ટમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ મુદ્દે વ્યાપક ચર્ચા યુ.કે.નાં શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે ભારપૂર્વક કહ્યું : ભારતને પોતાનાં રક્ષણ માટે પૂરતાં પગલાં લેવાનો પૂરો હક્ક છે (જી.એન.એસ) તા. 09 લંડન, જમ્મુ-કાશ્મીરના પહેલગાંમમાં થયેલ આતંકી હુમલા અને તેના વળતા પ્રહાર સમાન ભારતે હાથ ધરેલાં ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે અત્યંત વધેલી તંગદિલી સંદર્ભે બ્રિટનની પાર્લામેન્ટમાં વ્યાપક ચર્ચા થઇ હતી જેમાં દરેક પક્ષો ભાગ લીધો હતો, અને ચર્ચાની ફલશ્રૃતિ તે હતી કે તમામ પક્ષોએ બંને દેશોને તંગદિલી ઘટાડવા અપીલ કરી હતી. જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં ૨૨મી એપ્રિલે ત્રાસવાદીઓએ અચાનક હુમલો કરી ૨૬ નિર્દોષ સહેલાણીઓના જાન લીધા પછી ભારતે વળતા પ્રહારરૂપે બુધવાર…
(જી.એન.એસ) તા. 09 લાહોર, ભારત સાથે યુદ્ધ વધવાની શક્યતા કંગાળ પાકિસ્તાન દ્વારા ગુરુવારે અનેક સ્થળોએ ભારતીય હવાઈ હુમલાઓથી ડરેલા પાકિસ્તાને ગુરુવારે તમામ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી અને તમામ એરપોર્ટ બંધ કરી દીધા હતા. આજ ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) એ કરાચી, લાહોર અને સિયાલકોટ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી. PAA અનુસાર, લાહોર અને સિયાલકોટ એરપોર્ટ ગુરુવારે (સ્થાનિક સમય) બપોરે 12 વાગ્યા સુધી બધી ફ્લાઇટ્સ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ સસ્પેન્શનને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંનેના ફ્લાઇટ શેડ્યૂલ પર અસર પડી છે, આજ ન્યૂઝના અહેવાલ મુજબ. મુસાફરોને તેમના ફ્લાઇટના સમય…
ઉન્નત ગેરંટી કવર સાથે સ્ટાર્ટઅપ ક્રેડિટ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી યોજના (જી.એન.એસ) તા. 09 નવી દિલ્હી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT)એ CGSSના વિસ્તરણને સૂચિત કર્યું છે જે યોજના હેઠળ પ્રતિ ઉધાર લેનાર ગેરંટી કવરની ટોચમર્યાદા રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરી છે. 10 કરોડ રૂપિયા સુધીની લોન રકમ માટે ડિફોલ્ટ રકમના 85% અને 10 કરોડ રૂપિયાથી વધુની લોન રકમ માટે ડિફોલ્ટ રકમના ૭૫% સુધી ગેરંટી કવર આપવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ્સ માટે વાર્ષિક ગેરંટી ફી (AGF) 2% વાર્ષિકથી ઘટાડીને 1% વાર્ષિક કરવામાં આવી છે. ભારતની ઉત્પાદન અને સેવા ક્ષમતાઓને વેગ આપવા માટે સરકારે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ચેમ્પિયન સેક્ટર્સને ઓળખી કાઢ્યા છે. ચેમ્પિયન સેક્ટર્સ માટે AGFમાં ઘટાડો ઓળખાયેલા ક્ષેત્રો માટે ભંડોળને…
ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICAIએ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો (જી.એન.એસ) તા. 09 દેશની પ્રવર્તમાન સ્થિતિ જોઈને ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI)એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતપ જેમાં કહ્યું હતું કે, 9 મે 2025 થી 14 મે 2025 સુધી યોજાનારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) પરીક્ષા હવે નિર્ધારિત તારીખે યોજાશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂર પછી ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICAIએ CA પરીક્ષા મુલતવી રાખી છે. મે 2025માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC) ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન(INTT AT)ની બાકી રહેલી કેટલીક પરીક્ષાઓ નવમીથી 14મી મે દરમિયાન યોજાવાની હતી,…
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ(IOCL) નું દેશવાસીઓને આશ્વાસન (જી.એન.એસ) તા. 09 નવી દિલ્હી, પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન માટે લીધેલા કડક પગલાં બાદ ગુરુવારે બન્ને દેશો વચ્ચે તણાવ વધતાં, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે(IOCL) દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને LGPનો પર્યાપ્ત ભંડાર છે, જે માટે કોઈપણ પ્રકારની ગભરાહટમાં ખરીદી કરી સ્ટોક કરવાની જરૂર નથી. ઇન્ડિયન ઓઇલની સપ્લાઇ લાઇન સરળતાથી કામ કરી રહી છે અને તમામ આઉટલેટ્સ પર ઇંધણ અને LGPની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. કંપનીએ શુક્રવારે, 9 મે સવારે 5:15 વાગ્યે સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ વિશે જાણકારી આપી હતી. આ બાબતે ઇન્ડિયન ઓઇલે પોતાના…
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય (જી.એન.એસ) તા. 09 નવી દિલ્હી, ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ સ્થિતિમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરિયાત સમયે કટોકટીની સત્તાનો ઉપયોગ કરવાના નિર્દેશ કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટકર્તાઓને પત્ર લખી સિવિલ ડિફેન્સ રૂલ્સ હેઠળ સાવચેતીના જરૂરી પગલાંના અસરકારક અમલ માટે ઈમરજન્સી પાવર (કટોકટીની સત્તા)નો ઉપયોગ…
સરહદી જિલ્લાઓ સહિત રાજ્યના તમામ જિલ્લાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇ મેડિકલ કૉલેજ સંલ્ગન હોસ્પિટલ કટોકટીની પરિસ્થિતિમાં જરૂરી તમામ સેવા-સુવિધાઓથી સજ્જ (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતમાં આરોગ્યસેવા અને સુવિધાઓ સંલગ્ન સતર્કતા અને સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી. મંત્રીશ્રીએ ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઇ, જમીની અને હવાઇ સીમાથી જોડાયેલ સરહદી જિલ્લાઓમાં વિશેષત: કટોકટી સમયે જરૂરી આરોગ્ય સેવા-સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ તમામ જિલ્લાઓમાં દવાના જથ્થા, બેડની , આઇ.સી.યુ.ની સુવિધાઓ, બ્લડની જરૂરિયાત સંદર્ભેની આગોતરી વ્યવસ્થાની તમામ વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી. કટોકટિની તમામ પરિસ્થિતિને પહોંચી…
ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસને રજૂ કરતી કલાકૃતિઓ તેમજ જાપાનીઝ ભાષામાં શ્રીમદ્ ભગવદ ગીતા ગુજરાત ઝોનમાં દર્શાવવામાં આવી એક્સ્પો શરૂ થયાના પાંચ દિવસ સુધી દરરોજ સરેરાશ 11,000 મુલાકાતીઓએ ભારત પેવેલિયન ખાતેના ગુજરાત ઝોનની મુલાકાત લીધી (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સતત વિકાસની આગેકૂચ કરી છે, અને વિશ્વ ફલક પર એક વિકસિત રાજ્ય તરીકે પોતાની મજબૂત છબિનું નિર્માણ કર્યું છે. ગુજરાતના ઇતિહાસ અને તેની સંસ્કૃતિ પ્રત્યે વિશ્વભરના લોકોમાં આકર્ષણ છે અને જાપાનના ઓસાકામાં યોજાયેલા વર્લ્ડ એક્સ્પો 2025માં ગુજરાતની સંસ્કૃતિને જોવા માટે વિશ્વભરના મુલાકાતીઓ ઉમટી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, જાપાનના ઓસાકા…
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં રેલવે વિભાગનો મોટો નિર્ણય (જી.એન.એસ) તા. 9 અમદાવાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એલર્ટ આપવામાં આવ્યું છે. દેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભૂજ-અમદાવાદ-ભૂજ, ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ભૂજ-રાજકોટ-ભૂજ ટ્રેનો રદ કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x’ પર પોસ્ટ કરીને રદ કરવામાં આવેલી ટ્રેનોની માહિતી આપવામાં આવી હતી. જેમાં ભૂજ, ગાંધીનગર, રાજકોટ રૂટની પાંચ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રદ કરવામાં આવેલી ટ્રેનો:- Train No. 94801 અમદાવાદ-ભૂજ નમો ભારત રેપિડ રેલ (9 મે 2025) Train No. 94802 ભૂજ-…
(જી.એન.એસ) તા. 09 ઇસ્લામાબાદ, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) એ ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં એક ઔપચારિક અરજી દાખલ કરીને જેલમાં બંધ તેના સ્થાપક અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે, જેમાં લાંબા સમય સુધી અટકાયતને કારણે તેમના જીવને જોખમ અને બગડતી તબિયતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અરજી પક્ષ વતી ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુર દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે 72 વર્ષીય ખાનને પેરોલ અથવા પ્રોબેશન પર મુક્ત કરવામાં આવે. તેઓ હાલમાં રાવલપિંડીની આદિયાલા જેલમાં છે, જ્યાં તેઓ 2023 ના મધ્યભાગથી અનેક કાનૂની કેસોના સંદર્ભમાં જેલમાં બંધ છે. પીટીઆઈ દ્વારા વોટ્સએપ…
