Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૦૬/૦૬/૨૦૨૬)
- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ખાતેથી દક્ષિણ ગુજરાતમાં રૂ.૧૮,૭૭૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
- ૧૨ વર્ષ – વિકાસના, જનવિશ્વાસના અને જનકલ્યાણના
- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વંદે ભારત ટ્રેન દ્વારા અમદાવાદથી વાપી સુધી કરી મુસાફરી
- નડિયાદ માહિતી કચેરી ખાતે કલમની શક્તિએ લીધો હરિયાળો સંકલ્પ
- આજનું રાશિફળ (૦૬/૦૬/૨૦૨૬)
- આજનું રાશિફળ (૦૩/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૩/૦૬/૨૦૨૬)
- ICC એ ક્રિકેટ કેનેડાની સભ્યપદ સસ્પેન્ડ કર્યું
- ઇઝરાયલના નેતન્યાહૂએ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હુમલાઓનો આદેશ આપ્યો
- આજનું રાશિફળ (૦૧/૦૬/૨૦૨૬)
- આજનું પંચાંગ (૦૧/૦૬/૨૦૨૬)
Author: gujdesk
(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર/સુરત, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ના 232 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિરથી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં બાયોડાયવર્સિટી પાર્ક, સીવેજ પ્રોજેક્ટ, શાળાઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમનો સમાવેશ થાય છે. વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટ કાકરા ખાડીના કિનારે 145 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. શહેર માટે “ફેફસાં” તરીકે કલ્પના કરાયેલા આ પાર્કમાં ચાલવા અને સાયકલિંગ ટ્રેક, બાળકોના રમતના વિસ્તારો અને 85 વિવિધ પ્રજાતિઓના 500,000 વૃક્ષો અને છોડનો સમાવેશ થાય છે. આ પાર્કના વિકાસથી શહેરના હરિયાળા આવરણમાં વધારો થશે. 24 કરોડ રૂપિયાના ગટર પ્રોજેક્ટમાં મધ્યવર્તી ONGC સીવેજ પમ્પિંગ સ્ટેશનથી ગેવિયર…
(જી.એન.એસ) તા. 27 ગાંધીનગર/અમદાવાદ, ગુજરાતના પાડોશી રાજ્યમાં વર્ષોનો રેકોર્ડ તોડીને ચોમાસું વહેલું પધાર્યું છે ત્યારે ગુજરાતભરમાં વાતાવરણ પલટાયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 1 જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 6 દિવસ મોટાભાગના વિસ્તારોમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકવવાની અને ગાજવીજ સાથે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ચાલો જાણીએ કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 6 દિવસ પવનની ગતિ તેજ રહેવાની સાથે વરસાદી માહોલ જોવો મળશે.…
(જી.એન.એસ) તા. 26 ગાંધીનગર, ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું આજ તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ છે. ઉપરોક્ત વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે એટલે કે, આજે તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ ચૂંટણી અધિકારી સમક્ષ કોઈપણ ઉમેદવારીપત્ર રજૂ કરવામાં આવેલ નથી. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉક્ત વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૫ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની…
મેષ આજના દિવસે તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. તમારા માતૃપક્ષ થી આજ તમને ધન લાભ થવા ની પુરી શક્યતા છે. શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. આજે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રી ની સફાઈ માં વિતાવશો. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે. વૃષભ આજે પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના…
તિથિ અમાવાસ્યા (અમાસ) – 08:34:51 સુધી, પ્રથમા (એકમ) – 29:05:34 સુધી નક્ષત્ર રોહિણી – 26:51:54 સુધી કરણ નાગવ – 08:34:51 સુધી, કિન્સ્તુઘ્ના – 18:48:13 સુધી પક્ષ કૃષ્ણ યોગ સુકર્મા – 22:53:57 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:54:38 સૂર્યાસ્ત 19:18:45 ચંદ્ર રાશિ વૃષભ ચંદ્રોદય ચંદ્રોદય નહીં ચંદ્રાસ્ત 19:52:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 13 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત વૈશાખ દિન કાળ 13:24:06 અશુભ સમય દુર મુહુર્ત 08:35:27 થી 09:29:03 ના કુલિક 13:57:06 થી 14:50:42 ના દુરી / મરણ 06:48:14 થી 07:41:50 ના રાહુ કાળ 15:57:43 થી 17:38:14 ના કાલવેલા/અર્ધ્યામ 08:35:27 થી 09:29:03 ના યમ…
આઇકોનિક રોડ પર વિવિધ ટેબ્લો, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને જીવંત બનાવ્યું (જી.એન.એસ) તા. 26 અમદાવાદ, અમદાવાદ ખાતે ઓપરેશન સિંદૂરના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવતા રોડ શોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદીઓએ ઉમળકાભેર આવકાર્યા હતા. વડાપ્રધાનશ્રીએ રોડ શૉમાં સૌનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ પણ આ રોડ શોમાં જોડાયા હતા. અમદાવાદમાં એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શૉમાં ‘મા ભારતી’ના જયઘોષ સાથે અમદાવાદીઓએ ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ ભારતીય સૈન્ય અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા…
રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી (જી.એન.એસ) તા. 26 કિવ, રશિયાએ ફરી એકવાર યુક્રેન ભયંકર હુમલો કર્યો હતો જેમાં 367 જેટલા ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા. જે હુમલાથી યુક્રેનમાં મોટા પ્રમાણમાં તબાહી મચી ગઈ છે. આ યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો ગણાવાય રહ્યો છે. માહિતીના અનુસાર, ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. તે પછી યુક્રેને દાવો કર્યો છે કે, તેમની એરફોર્સે રશિયાના 266 ડ્રોન અને 45 મિસાઈલોને તોડી પાડ્યા છે. જો કે, નુકસાનને સંપૂર્ણ રીતે રોકી ન શકાયું. આ હુમલામાં એપાર્ટમેન્ટ અને બિલ્ડિંગ્સને…
અમેરિકનોએ અનેક યુદ્ધોનો ફાયદો ઉઠાવ્યો : પાક. મંત્રી આસીફ (જી.એન.એસ) તા. 26 ઇસ્લામાબાદ, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓએ અમેરિકા પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, બે દેશો વચ્ચે યુદ્ધ કરાવીને અમેરિકા પોતાના હથિયારો વેચીને કરોડો ડોલર કમાય છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફ આ વીડિયોમાં કહી રહ્યા છે કે અમેરિકા યુદ્ધો પેદા કરે છે, આ કામ તે છેલ્લા ૧૦૦ વર્ષથી કરતુ આવ્યું છે. અમેરિકાએ આશરે ૨૬૦ જેટલા યુદ્ધો લડયા છે. ક્યારેક આ દેશને અન્ય દેશ સાથે લડાવી દે છે. બે દેશો વચ્ચે યુદ્ધ કરાવીને અમેરિકા બાદમાં મોટી…
વડોદરા બાદ અમદાવાદમાં પણ પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ, લોકોએ તીરંગા અને ભરતમાતાના જયઘોષ સાથે કર્યું સ્વાગત (જી.એન.એસ) તા. 26 અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. જેમાં પ્રથમ દિવસે વડાપ્રધાન મોદી ભુજ પછી અમદાવાદ પહોંચ્યા છે, ત્યારે 26 મેની સાંજે વડાપ્રધાનનો ‘રોડ શૉ’ અમદાવાદના એરપોર્ટથી ઈન્દીરા બ્રિજ સર્કલ સુધી યોજાયો હતો. આ દરમિયાન ખુબજ મોટી સંખ્યામાં લોકો રોડ શૉમાં જોડાયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાનશ્રી સાંજે અમદાવાદ એરપોર્ટ પર પધાર્યા ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રી મનોહરલાલ તથા…
(જી.એન.એસ) તા. 26 નવી દિલ્હી, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ આઠ બેઠકો ભરવા માટે દ્વિવાર્ષિક રાજ્યસભા ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યું છે – આસામમાંથી બે અને તમિલનાડુમાંથી છ. જૂન અને જુલાઈમાં વર્તમાન સભ્યોની મુદત પૂર્ણ થયા પછી, ચૂંટણીઓ 19 જૂન, 2025 ના રોજ યોજાશે. આસામના રાજ્યસભા સભ્યો બિરેન્દ્ર પ્રસાદ વૈશ્ય અને મિશન રંજન દાસ, બંને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના છે, તેમનો કાર્યકાળ 14 જૂન, 2025 ના રોજ સમાપ્ત થશે. તમિલનાડુમાં, છ સભ્યો – અંબુમણિ રામદાસ (પીએમકે), એન. ચંદ્રશેખરન (એઆઈએડીએમકે), એમ. શનમુગમ અને પી. વિલ્સન (ડીએમકે), અને વૈકો (એમડીએમકે) – 24 જુલાઈ, 2025 ના રોજ નિવૃત્ત થશે. દ્વિવાર્ષિક ચૂંટણી માટે સૂચના…
