Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૧૧/૦૬/૨૦૨૬)
- હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવીને કાયદાનો ડર ભૂલેલા બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા
- રાષ્ટ્રસેવાના ૧૨ વર્ષ પૂર્ણ : ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પસાર કર્યો સર્વાનુમતે અભિનંદન ઠરાવ
- યુપીના કાનપુર સ્થિત નકલી ડિગ્રી રેકેટ 13 વર્ષથી ભારત, યુકે, કેનેડા અને સાઉદી અરેબિયામાં કાર્યરત; ૧૦ ની ધરપકડ
- કેન્દ્રીય કેબિનેટની અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને અપાઈ મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો 6 કિ.મી.નો રૂટ
- જેલમાંથી છૂટતા જ મોન્ટુ નામદારે ખાડિયામાં રોફ જમવા કર્યો નવો સ્ટંટ!
- NDA સંમેલનમાં 15 થી વધુ પક્ષો હાજરી આપી
- મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના ટીએમસી માટે બીજો મોટો ઝટકો
- પશ્ચિમ બંગાળ કેબિનેટ વિસ્તરણ: મુખ્યમંત્રી સુવેન્દુએ લીધું ગૃહ ખાતું, સ્વપ્ન દાસગુપ્તાને નાણાં ખાતું સોંપાયું
- આજથી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે CJP
- વિજય રૂપાણીની પુત્રીને એર ઇન્ડિયાએ સ્પષ્ટતા આપી: ‘ચુકવણી સ્વીકારવાનું કોઈ દબાણ નથી’
- મેલોનીથી મારાપે સુધી: વિશ્વના નેતાઓએ સતત ચૂંટણી લડતા પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીના રેકોર્ડની પ્રશંસા કરી
Author: gujdesk
(જી.એન.એસ) તા. 03 ભારતીય આર્ય ભજનોપદેશક પરિષદનું વાર્ષિક અધિવેશન ગુરુકુલ કુરુક્ષેત્ર ખાતે સંપન્ન થયું હતું. અધિવેશનના મુખ્ય અતિથિ, ગુજરાતના રાજ્યપાલ અને ગુરુકુલ કુરુક્ષેત્રના સંરક્ષક શ્રી આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજના ઉપદેશકોને સંબોધતાં કહ્યું કે, હવે તેઓ પ્રાકૃતિક ખેતીને પણ પોતાનું ‘મિશન’ બનાવો અને હિન્દી આંદોલન તથા ગૌરક્ષા આંદોલનની જેમ જન-જન સુધી પહોંચાડો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આર્ય સમાજે હંમેશાં સમાજમાંથી કુરિવાજો, પાખંડ, અંધશ્રદ્ધા અને છુત-અછૂત જેવી સામાજિક બદીઓને દૂર કરી માનવ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આજે એવી જ જાગૃતિ ખેતી ક્ષેત્રે લાવવાની જરૂર છે, કારણ કે રાસાયણિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા યુરિયા, ડીએપી અને પેસ્ટિસાઈડ્સથી ભૂમિ, પાણી, પર્યાવરણ અને…
(જી.એન.એસ) તા. 3 ભોપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભૂતપૂર્વ વડા પ્ધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા બદલ ટીકા કરી હતી કારણ કે તે સમયે તેમણે “જૂતા પહેર્યા” હતા. ભાજપના નેતાએ રાહુલ ગાંધીની ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમના દાદીને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમના જૂતા ન ઉતારવા બદલ ટીકા કરી હતી. મધ્ય પ્રદેશના ભોપાલની મુલાકાત દરમિયાન, કોંગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતાએ રાજ્ય પક્ષના મુખ્યાલયની સામે સ્થિત ઇન્દિરા ગાંધીની આદમ કદની પ્રતિમાની મુલાકાત લીધી. ઓનલાઈન શેર કરાયેલા કાર્યક્રમની તસવીરો અને વીડિયોમાં, રાહુલ ગાંધી જૂતા પહેરીને તેમની દાદીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા જોવા મળ્યા હોવાનું કહેવાય છે. “વિરોધ પક્ષના…
(જી.એન.એસ) તા. 03 અમદાવાદ, ગુજરાતના કેટલાક જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં જ 60 નવા કેસ નોંધાયા હોવાની માહિતી સામે આવી છે. આ સાથે હવે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 241 એ પહોંચી છે. અત્યાર સુધી 2 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યા હોવાની માહિતી છે. શહેરનાં વીએસ હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે સારવારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા વધીને 241 એ પહોંચી છે. જ્યારે અત્યાર સુધી 2 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યા હોવાની મહિતી છે.…
(જી.એન.એસ) તા. 03 ગાંધીનગર/અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૃથ્વીમાતાને હરિયાળા વૃક્ષોથી આચ્છાદિત કરીને પર્યાવરણ જાળવણી અને આપણી જીવનદાત્રી માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, 2024થી કરાવી છે. વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને પોતાની માતાઓ માટેના પ્રેમ, આદર અને સન્માનના પ્રતિકરૂપે એક વૃક્ષ વાવવા અને ધરતી માતાનું ગ્રીન કવર વધારવા 2024ના વિશ્વ પર્યાવરણ દિવસે આહવાન કર્યું હતું. આ અભિયાનને પાંચ જૂન, 2025ના એક વર્ષ પૂર્ણ થવાનું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં નવી દિલ્હીમાં બુદ્ધ જયંતી પાર્કમાં પીપળાના વૃક્ષના વાવેતરથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. “એક પેડ માં કે નામ” અંતર્ગત…
(જી.એન.એસ) તા. 3 ઇસ્લામાબાદ, મીડિયા સૂત્રોના રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનની 17 વર્ષીય ટિકટોક સ્ટાર સના યુસુફની સોમવારે ઇસ્લામાબાદમાં તેના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સુમ્બલ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં બની હતી, જેના કારણે તાજેતરમાં દેશભરમાં આવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. આ મામલે મીડીયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સના પર એક અજાણ્યા હુમલાખોરે નજીકથી ગોળીબાર કર્યો હતો, જેણે કથિત રીતે તેના ઘરમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો અને ભાગી જતા પહેલા ગોળીબાર કર્યો હતો. પોલીસ સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “હત્યારાએ ઘરમાં ઘૂસીને ઘટનાસ્થળેથી ભાગી જતા પહેલા ગોળીબાર કર્યો હતો.” મૂળ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલની…
આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ અને કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એક જ સ્થળે શક્ય બનશે (જી.એન.એસ) તા. 03 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આરોગ્ય સેવાઓને સુદૃઢ, સરળ અને લોકઉપયોગી બનાવીને જનસુખાકારીમાં વધારો કરવાના સતત પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજ્યના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનિટરિંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર તૈયાર કરાયું છે. આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે આગામી તા. 5મી જૂનના રોજ ગાંધીનગર સ્થિત નવનિર્મિત આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. આરોગ્ય વિભાગની…
ગુજરાતનું ડેરી ક્ષેત્ર: પ્રગતિનો આધારસ્તંભ: પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર (જી.એન.એસ) તા. 03 ગાંધીનગર, યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) અને ગુજરાત સરકારના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) પર રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમારે જણાવ્યું હતું કે, પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં એન્ટીબાયોટિક્સના ઉપયોગ અને રેસિસ્ટન્સના સ્તર પર દેખરેખ રાખવા માટે વિવિધ અભ્યાસો અને સંશોધન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રયાસો પશુપાલન ક્ષેત્રમાં AMRના નિયંત્રણ માટે માર્ગદર્શક બની રહી છે. મનુષ્યોમાં સારવાર દરમિયાન વપરાતા એન્ટીબાયોટીક ઊપરાંત, પશુઓમાં સારવાર, રોગ નિવારણ, અથવા વૃદ્ધિ પ્રમોટર માટે વપરાતા એન્ટિબાયોટિક્સનો વધારે પડતો ઉપયોગથી…
(જી.એન.એસ) તા. 03 અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે મંગળવારે અમદાવાદ શહેરમાં બપોર બાદથી ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની હતી ત્યારે મેચ શરુ થાય તે પહેલાં જ અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થતાં ક્રિકેટ ફેન્સ ચિંતામાં મૂકાયા છે. શહેરના એસજી હાઇવે, ગોતા, સાબરમતી, ચાંદખેડા, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, માનસી, શિવરંજની, ડ્રાઇવ ઇન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. 3. Heading- છેલ્લા ત્રણ વર્ષમાં હાથશાળ-હસ્તકલાનાં અંદાજે કુલ ૨૪ હજાર જેટલા કારીગરો દ્વારા રૂ. ૧૨૪ કરોડ કરતાં…
(જી.એન.એસ) તા. 03 અમદાવાદ, મંગળવારે એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલ 2025ની ફાઇનલ મેચ રમાવવાની હતી ત્યારે સરદાર પટેલ રિંગ રોડ પાસે આવેલ જીનેવા લિબ્રલ શાળાને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ઈ-મેલ મળતાં સ્કૂલે પોલીસ અને DEO કચેરીને જાણ કરી હતી. ત્યારબાદ બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જીનેવા સ્કૂલને મોકલવામાં આવેલા ઈ-મેલમાં દહેજ અને દુષ્કર્મના એક કેસ અંગે વાત કરવામાં આવી છે. આ કેસમાં દિવિજ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દિવિજના માતા પિતા દ્વારા પુત્રવધુ પાસે એક કરોડના દહેજની માંગણી કરાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. દિવિજના માતા પિતા સામે દહેજના કેસમાં…
(જી.એન.એસ) તા. 03 સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠે 03 જૂન, 2025ના રોજ ભોપાલ ખાતે રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)ના ખાસ સંયુક્ત રાજ્ય પ્રતિનિધિ અને એડીશનલ/ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (JS R&A/D) કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે દેશભરમાં NCCના ત્રણ લાખ કેડેટ્સ દ્વારા વિસ્તરણની પણ જાહેરાત કરી, જેમાં ઘણા રાજ્યોએ પહેલાથી જ તેમની સંમતિ આપી દીધી છે અને જરૂરી તાલીમ માળખાને ઝડપથી વધારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સભાને સંબોધતા શ્રી સંજય સેઠે રાષ્ટ્ર નિર્માણ અને યુવા વિકાસમાં NCCની ભૂમિકાની પુનઃપુષ્ટિ આપી. તેમણે ભૂતપૂર્વ સૈનિકોને NCC પ્રશિક્ષકો તરીકે સામેલ કરવા, નિવૃત્ત સૈનિકો માટે નવી રોજગારીની તકો પૂરી પાડવા સહિતની તાજેતરની પહેલો પર પ્રકાશ પાડ્યો અને સ્વચ્છ ભારત અભિયાન, નવી સવેરા યોજના અને નશા મુક્તિ અભિયાન જેવા રાષ્ટ્રીય અભિયાનોમાં NCCની…
