Author: gujdesk

(જી.એન.એસ) તા. 5 રીવા, મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો હતો જેમાં સોહાગી પહાડની નજીક ચાલતા ઑટો રિક્ષા પર સીમેન્ટની શીટ ભરેલો ટ્રક ઑટો રિક્ષા પર પલટી ગયો. ઑટો રિક્ષામાં સવાર 8માંથી 7 તીર્થયાત્રીઓના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ અકસ્માત મામલે મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, તીર્થયાત્રીઓ પ્રયાગરાજથી ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. ઑટો રિક્ષામાં સવાર તમામ તીર્થયાત્રી મઉગંજના નિવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Read More

‘ઓપરેશન સિંદૂર’ની સ્મૃતિમાં ચાંદલોડિયા વોર્ડમાં ૫૫૧ સિંદૂર વૃક્ષો સાથેનું ‘સિંદૂર વન’ તૈયાર કરાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનના ટેબ્લો અને ૧૧ વૃક્ષરથનું પ્રસ્થાન કરાવ્યું (જી.એન.એસ) તા. 5 અમદાવાદ, ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર (4) મિલિયન ટ્રીઝ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદલોડિયા વોર્ડમાં નિર્માણ પામનારા ‘સિંદૂર વન’ના નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મરણ પામેલા નાગરિકોના સ્મરણાર્થે તથા ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ના સન્માનમાં ચાંદલોડિયા વોર્ડમાં…

Read More

સમગ્ર સચિવાલય પરિસરમાં 16 હજાર વૃક્ષોના વાવેતરથી માતૃવન વનકવચ બનાવવામાં આવશે (જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ 2025 પાંચમી જૂને ‘એક પેડ માં કે નામ 2.0’ અંતર્ગત ગાંધીનગરમાં સચિવાલય સંકુલના પટાંગણમાં માતૃવન વનકવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2024ના વિશ્વ પર્યાવણ દિવસે દેશવાસીઓને ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાઈને પોતાની માતાના નામે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનું આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતે આ અભિયાનમાં 17.48 કરોડ રોપાઓના વાવેતર સાથે દેશભરમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસથી ‘એક પેડ…

Read More

પ્રકૃતિનું સંવર્ધન અને જતન કરવું તે આ સમયની તાતી જરૂરીયાત: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા (જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, “હરિયાળી વાવો, સમૃધ્ધિ પામો, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવોના” સંકલ્પ સાથે ૫ જુને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં આવેલા પુનિતવનમાં આંગણવાડીના ભૂલકાઓ સાથે વૃક્ષારોપણ કર્યું હતું. ગાંધીનગરની બોરીજની ત્રણ આંગણવાડી કેન્દ્રોના ૯૨ બાળકો અને વાલીઓ સાથે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત શૌર્ય અને ઔષધીઓથી ભરપુર સિંદુરના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક નાગરીકે પ્રકૃતિનું સંવર્ધન અને જતન કરવું…

Read More

(જી.એન.એસ) તા. 5 વડોદરા, વિશ્વ પર્યાવરણ દિને વડોદરામાં વોર્ડ નં-16માં પાલિકા દ્વારા ફોરેસ્ટ ગાર્ડનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. વોર્ડમાં બે કોર્પોરેટર ભાજપના અને બે કોર્પોરેટર કોંગ્રેસના છે. કાર્યક્રમ સમયે કોંગ્રેસના કોર્પોરેટર અલકાબેન પટેલને આવવામાં 15 મિનિટ જેટલું મોડું થયું હતું. કાર્યક્રમમાં તેમની વાટ નહીં જોવાતા અને કાર્યક્રમ સમયે તેમને છેલ્લે ઉભા રાખવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા. કોંગ્રેસના કોર્પોરેટર અલકાબેન પટેલે મીડિયાને જણાવ્યું કે, જ્યારે અહિંયા કશું ન્હતું, ત્યારે હું અને ભથ્થુભાઇ અમે ગાર્ડન લાવ્યા, અમે સ્વખર્ચે બધુ તૈયાર કર્યું છે. આ ગાર્ડમાં ખાતમુહૂર્ત, વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારે અમને છેલ્લે મોકલી દેવામાં આવે છે. તેઓ આજે અહિંયા વૃક્ષારોપણના દિવસે આવ્યા…

Read More

(જી.એન.એસ) તા. 5 આણંદ/વડોદરા, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના આણંદ-ગોધરા સેક્સનના ટીંબા રોડ-સેવાલિયા સ્ટેશનોની વચ્ચે બ્રિજ સંખ્યા 65 ના (અપ લાઇન) પર સ્પૈન (45.7 મીટર લંબાઈ) ની રી-રી ગર્ડરિંગ (લોન્ચિંગ અને ડી-લોન્ચિંગ) કાર્યને કારણે એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી 05 જૂન 2025 (ગુરુવાર)ના રોજ કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત રહેશે. ટ્રેન નંબર 69135 આણંદ-ડાકોર મેમુ ટ્રેન તથા ટ્રેન નંબર 69136 ડાકોર-આણંદ મેમુ ટ્રેન 05 જૂને રદ રહેશે. જયારે 05 જૂનના રોજ, ટ્રેન નંબર 69190 દાહોદ-આણંદ મેમુ ટ્રેન ગોધરા સુધી ચાલશે અને ગોધરા-આણંદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. રેલવે પ્રશાશન તરફથી મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.

Read More

‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત, જાપાનીઝ પદ્ધતિથી 400 હેક્ટરમાં તૈયાર થશે ગાઢ જંગલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ‘વન કવચ’ પહેલ હેઠળ શહેરી વનીકરણ મામલે અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બન્યું ગુજરાત (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું છે. મિયાવાકી પદ્ધતિ જાપાનના વનસ્પતિશાસ્ત્રી ડૉ. અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી છે જેનો ઉદ્દેશ ઓછી જમીનમાં ઝડપથી સઘન વનરાજી ઊભી કરવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રાજ્યમાં ઝડપથી વૃક્ષો ઉગાડવા માટે વન કવચ બનાવવાનું બીડું ઝડપ્યું…

Read More

(જી.એન.એસ) તા. 4 અમદાવાદ, સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવી ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવાનો છે, ત્યારે ભગવાનને ગજવેશ ધારણ કરીને વર્ષમાં એક વખત કરવામાં આવતી જળયાત્રા આગામી 11 જૂનના રોજ નીકાળવામાં આવશે. રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા આગામી 11 જૂનની સવારે 8 વાગ્યે હાથી, બેન્ડવાજા, ધજા પતાક, ભજન મંડળી સાથેની શોભાયાત્રા મંદિરેથી પાછળ સાબરમતી નદીના ભુદર ખાતે પહોંચશે અને નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આશે. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી, મેયર…

Read More

સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની રહેશે પ્રેરક ઉપસ્થિતિ (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫”નો રાજ્ય કક્ષાનો ઉજવણી સમારોહ આવતીકાલ તા. ૫ જૂનના રોજ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે યોજાશે. આ સમારોહમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી સમારોહ પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવા સચિવાલય-ગાંધીનગર ખાતે “માતૃવન – વન કવચ” મિયાવાકી જંગલનું ભૂમિપૂજન થશે. તદુપરાંત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સના પ્રદર્શનનું લોકાર્પણ…

Read More

તિથિ દશમી (દશમ) – 26:18:19 સુધી નક્ષત્ર હસ્ત – પૂર્ણ રાત્રિ સુધી કરણ તૈતુલ – 13:05:17 સુધી, ગરજ – 26:18:19 સુધી પક્ષ શુક્લ યોગ સિદ્ધિ – 09:12:35 સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:53:19 સૂર્યાસ્ત 19:22:36 ચંદ્ર રાશિ કન્યા ચંદ્રોદય 14:24:59 ચંદ્રાસ્ત 26:21:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 22 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:29:17 અશુભ સમય દુર મુહુર્ત 10:23:05 થી 11:17:02 ના, 15:46:48 થી 16:40:45 ના કુલિક 10:23:05 થી 11:17:02 ના દુરી / મરણ 15:46:48 થી 16:40:45 ના રાહુ કાળ 14:19:07 થી 16:00:17 ના કાલવેલા/અર્ધ્યામ 17:34:42 થી 18:28:39…

Read More