Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Gujarat Desk
(જી.એન.એસ) તા. ૧ ઢાકા, બાંગ્લાદેશની એક કોર્ટે સોમવારે જમીન કૌભાંડના કેસમાં પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે તેમની બહેન શેખ રેહાનાને સાત વર્ષની જેલની સજા અને તેમની ભત્રીજી, બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને બે વર્ષની સજા ફટકારી છે. આ કેસ મીડિયા સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યો છે. ઢાકામાં સ્પેશિયલ જજ કોર્ટ-4 ના જજ મોહમ્મદ રબીઉલ આલમ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારના કેસોમાં હસીના સામે ચોથો ચુકાદો અહેવાલમાં જણાવાયું છે કે ભ્રષ્ટાચાર વિરોધી કમિશન (ACC) દ્વારા દાખલ કરાયેલા ભ્રષ્ટાચારના કેસોમાં હસીનાને સંડોવતો આ ચોથો ચુકાદો છે. ACC એ પૂર્વાચલ ન્યૂ ટાઉન પ્રોજેક્ટ હેઠળ પ્લોટ ફાળવણીમાં…
યાત્રાળુઓએ ૫૬૨ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો માહિતી બ્યુરો-સુરત: રવિવાર: દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ચેતનાના પ્રતિક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે મુંબઈથી પ્રસ્થાન થયેલી ‘ગોદાવરી પ્રવાહ યાત્રા’ આજે સુરતના વાલક પાટીયા સ્થિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે આવી પહોંચી હતી. યાત્રાના આગમન પ્રસંગે ઢોલ-નગારાના નાદ સાથે યુવા કાર્યકરોનું પરંપરાગત તિલક કરી દેશભક્તિના સૂરો વચ્ચે યાત્રાળુઓને આવકાર્યા હતા. સાથોસાથ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોના ૩૦૦થી વધુ યુવા કાર્યકરોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સૌ યાત્રાળુઓએ ગુજરાતી ભોજનનો આસ્વાદ માણ્યો હતો. તા.૧લી ડિસેમ્બરના રોજ ગોદાવરી પ્રવાહના યાત્રાળુઓએ વાલક પાટીયા…
એક દિવસ પહેલા જ ગુજરાત આવેલા લવપ્રિતસિંઘને ATS-SOGએ મેઘપરથી દબોચ્યો, અમૃતસર પોલીસને સોંપાશે (જી.એન.એસ),તા.૦૧ અમદાવાદ પંજાબના અમૃતસર ખાતે હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ગુજરાત ATS અને જામનગર SOG દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જામનગરના મેઘપર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી કંપનીમાં એક દિવસ પહેલા જ હેલ્પર તરીકે છૂટક મજૂરીકામ કરવા આવ્યો હતો. પંજાબ પોલીસની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. એક મહિના પહેલા પંજાબના અમૃતસરના ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મખનસિંઘ મધોળુરામની હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ધરમવિરસિંઘ, કરમવિરસિંધ, બિક્રમજીતસિંઘ અને જોનની પંજાબ પોલીસે અટકાયત કર્યા બાદ તેમણે અન્ય વોન્ટેડ આરોપી તરીકે લવપ્રિતસિંઘ હરજીતસિંઘનું નામ આપ્યું…
મહેસાણા પોલીસે નિયમ તોડનારાઓને કાયદાનું ભાન કરાવ્યું (જી.એન.એસ),તા.૦૧ મહેસાણા મહેસાણા જિલ્લામા શંકાસ્પદ પરિવહન કરતા વાહનો મામલે લોકોમાં ભારે ભય સતાવતો હતો. ત્યારે આ મામલે અહેવાલ બાદ મહેસાણા જિલ્લામાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.પોલીસે વિવિધ જગ્યાએથી નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફિલ્મ વાળા વાહનચાલકોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક નબીરાઓ વાહનોના કાળા કાચ અને નંબર પ્લેટ લગાવ્યા વિના જ ફરતા હોવાની બુમરાડ પ્રજાજનોમાં ઉઠી હતી. નબીરાઓની આ પ્રવૃત્તિને તંત્ર દ્વારા નજરઅંદાજ કરવામાં આવતા તે ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર નિયમનો ભંગ કરવા પૂરતી સીમિત ન રહેતા રસ્તામાં કે જાહેર સ્થળોએ સામાન્ય નાગરિકો પર…
ગાંધીનગરના PG સંચાલક સાથે શેરબજારમાં રોકાણના નામે 10 લાખની ઠગાઈ (જી.એન.એસ),તા.૦૧ ગાંધીનગર ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં પી.જી. ચલાવતા એક મહિલા સંચાલકને ફેસબુક પર આવેલી શેરબજારમાં રોકાણની જાહેરાત ભારે પડી છે. કોટક સિક્યોરિટીઝના નામે શરૂ કરાયેલા વોટ્સએપ ગ્રુપ મારફતે અજાણ્યા ઠગોએ મહિલા પાસેથી તબક્કાવાર કુલ 10 લાખ પડાવી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે અત્યાર સુધીમાં 5.18 લાખ જેટલી રકમ રિકવર કરી છે, જ્યારે બાકીના રૂ.4.82 લાખ પરત મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. ગાંધીનગર કુડાસણ પ્રમુખ હોમ્સ ખાતે હાલમાં પોતાની દીકરી સાથે રહેતા અને એમ.કે. પી.જી.ના સંચાલક રક્ષાબેન મધુકાંતભાઈ ભટ્ટ આશરે સવા વર્ષ પહેલા D-304, શ્રીનાથ હોમ્સ ખાતે રહેતા…
10.4 ડિગ્રી સાથે કંડલા સૌથી વધુ ઠંડુ નલિયાના તાપમાનમાં 1.2 ડિગ્રીનો વધારો (જી.એન.એસ),તા.૦૧ અમદાવાદ આજે રાજ્યમાં 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે કંડલા સૌથી વધુ ઠંડુ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાના લઘુત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળ્યો છે, તો કેટલાંક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયમાં ગરમી અનુભવાઈ રહી છે. સતત ઠંડુ રહેતું શહેર નલિયામાં ગઈકાલે 14.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનમાં છેલ્લા બે દિવસથી…
“રાજ્યના એક્ઝિક્યુટિવ કાર્યોનું જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે નહીં, રાજ્ય સરકાર પાસે કમિટી રચવાનો પાવર” ઃ HC (જી.એન.એસ),તા.૦૧ અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં સુરતથી અરજદાર અબ્દુલ વહાબ સોપારીવાલાએ રાજ્યમાં બનેલી UCC કમિટીને પડકારતી અરજી એડવોકેટ ઝમીર શેખ મારફતે દાખલ કરી હતી. જેમાં અરજદાર અને સરકાર એમ બંને પક્ષોને સાંભળીને ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજે ચુકાદો અનામત રાખ્યો હતો. જેમાં જુલાઈ મહિનામાં ચુકાદો આપતા ગુજરાત હાઇકોર્ટે અરજદારની અરજી નકારી હતી. જેથી આ ચુકાદા સામે અરજદારે હાઇકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. આજે આ મુદ્દાની સુનવણીમાં હાઇકોર્ટે અરજદારને કહ્યું હતું કે કમિટીની રચના કરવી તે સંપૂર્ણ પણે રાજ્યનું એક્ઝિક્યુટિવ કાર્ય છે. કોર્ટ…
દિલ્હી કોર્ટે અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જવાદ અહેમદ સિદ્દીકીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
(જી.એન.એસ) તા. ૧ નવી દિલ્હી, દિલ્હીની એક કોર્ટે સોમવારે અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જાવેદ અહેમદ સિદ્દીકીને આતંકવાદ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સિદ્દીકીને 19 નવેમ્બરના રોજ 13 દિવસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. સોમવારે, તેમને એડિશનલ સેશન્સ જજ શીતલ ચૌધરી પ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે તેમને 15 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. સુનાવણી દરમિયાન, ED ના વકીલે દલીલ કરી હતી કે સિદ્દીકીને કોર્ટમાં રજૂ કરવાનું અકાળ હતું કારણ કે તેમની 13 દિવસની કસ્ટડીનો સમયગાળો મંગળવારે રાત્રે 1 વાગ્યે જ સમાપ્ત થશે, એટલે કે સોમવાર તકનીકી રીતે…
(જી.એન.એસ) તા. ૧ નવી દિલ્હી, ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ તમામ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM) અને આયાતકારોને એક નિર્દેશ જારી કર્યો છે, જેમાં ભારતમાં ઉત્પાદિત અથવા આયાત કરાયેલા તમામ નવા મોબાઇલ હેન્ડસેટ પર સંચાર સાથી એપ્લિકેશનનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. મીડિયા સુત્રો દ્વારા જોવામાં આવેલા DoT નિર્દેશ અનુસાર, એપ્લિકેશન પ્રથમ ઉપયોગ સમયે દૃશ્યમાન હોવી જોઈએ, તેની કાર્યક્ષમતા અક્ષમ કરી શકાતી નથી. Apple, Oppo, Vivo, Xiaomi અને Samsung જેવા OEM પાસે આ આવશ્યકતાનું પાલન કરવા માટે 90 દિવસનો સમય હશે. નિર્દેશ અનુસાર, Apple, Oppo, Vivo, Xiaomi, Samsung જેવા OEM પાસે નવા મોબાઇલ ફોન પર એપ્લિકેશનને પ્રી-ઇન્સ્ટોલ કરવા માટે 90 દિવસનો સમય…
(જી.એન.એસ) તા. ૧ ઢાકા, સરકારી વકીલોએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની એક કોર્ટે સોમવારે બ્રિટિશ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી ટ્યૂલિપ સિદ્દીકને જમીનના પ્લોટના ગેરકાયદેસર ફાળવણી સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ગેરહાજરીમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના, જે સિદ્દીકના કાકી છે, તેમને ગેરહાજરીમાં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેમની બહેન રેહાનાને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હસીના સાથેના નાણાકીય સંબંધોની તપાસ બાદ જાન્યુઆરીમાં નાણાકીય સેવાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસો માટે જવાબદાર બ્રિટનના મંત્રી તરીકે રાજીનામું આપનાર સિદ્દીક, એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રાયલ પ્રક્રિયા “ખામીયુક્ત અને હાસ્યાસ્પદ” હતી. હસીના ઓગસ્ટ 2024…
