Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Gujarat Desk
(જી.એન.એસ) તા. ૨૦ લોસ એન્જલેસ, લોસ એન્જલસના મેયર કરેન બાસે મંગળવારે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં લાગેલી આગના કારણ અંગે ફેડરલ તપાસ ચાલી રહી હોવાથી પેલિસેડ્સ આગ અંગે કાર્યવાહી પછીનો અહેવાલ રજૂ કરવામાં વિલંબ થયો છે. રાજ્યના કાયદા મુજબ શહેરના પ્રતિભાવની સમીક્ષા કરવા માટે રિપોર્ટની જરૂર છે, પરંતુ બાસે જણાવ્યું હતું કે યુએસ એટર્ની ઓફિસે લોસ એન્જલસના અધિકારીઓને રોકવા કહ્યું હતું. તે જ સમયે, દારૂ, તમાકુ, અગ્નિ હથિયારો અને વિસ્ફોટકો બ્યુરો 7 જાન્યુઆરીએ આગ શા માટે લાગી તે અંગે તેની તપાસ ચાલુ રાખે છે. ઇમરજન્સી સર્વિસિસ એક્ટ કહે છે કે ઇમરજન્સી સર્વિસિસ ઓફિસ દરેક જાહેર કરાયેલી આપત્તિના 180 દિવસની અંદર રિપોર્ટ…
(જી.એન.એસ) તા. 18 અમદાવાદ, અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા 31 પીઆઈની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે, અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 31 પીઆઈની આંતરિક બદલીઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે, ત્યારે સારી કામગીરી કરનાર અધિકારીઓને સારી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું હોવાની વાત પણ સામે આવી છે, અમદાવાદ શહેરમાં રથયાત્રા બાદ બદલીઓ આવશે તે વાતે જોર પકડયું હતુ, ત્યારે 15 ઓગસ્ટના પર્વ બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે પીઆઈઓની આંતરિંક બદલી કરી દીધી છે અને ખુશીનો માહોલ શહેર પોલીસમાં જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં 31 પીઆઈની બદલી કરવામાં આવી છે જેમાં પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લયું, એસસીએસટીસેલ, ટ્રાફિક,…
સબસીડીવાળા ખાતરમાં ચાલતી ગડબડી મુદ્દે રાજ્ય સરકાર એકશનમાં (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર સબસિડીવાળા ખાતરમાં ચાલતી ગડબડી મામલે હવે રાજ્ય સરકાર એકશનમાં આવી છે, ખાતરની 400 બોરી બારોબર વેચી નાંખવાના મામલે નોધાઇ પોલીસ ફરિયાદ કરી છે, સરકારે 214 સંચાલકો ને શો કોઝ નોટિસ પાઠવી છે. સરકારે આ મામલે 6 વિક્રેતાના લાયસન્સ રદ કર્યા છે અને બે વેપારીઓના પરવાના રદ કર્યા છે. તેમજ ઉલ્લેખનીય છે કે ખાતરની સબસિડીમાં રાજ્યમાં ચાલી રહેલા કૌભાંડ મામલે રાજ્ય સરકારે એકશન મોડમાં જોવા મળી હતી, બારોબાર ખાતર વેચી મારતી એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, વડાલી મહેતા નામની એજન્સી સામે પણ…
શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજનના ઉપક્રમમાં સોમનાથ દાદાના દર્શને શ્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે લાડુના દૈનિક પોષણ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 18 ગીર સોમનાથ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરોના દર્શન-પૂજનનો ઉપક્રમ શ્રદ્ધાપૂર્વક પ્રયોજયો છે. તદઅનુસાર, શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ, ત્યારબાદ બીજા સોમવારે ભરૂચના કાવી-કંબોઇ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ અને ત્રીજા સોમવારે ઐતિહાસિક ધરોહર સમાન વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન-પૂજન…
(જી.એન.એસ) તા. 18 જુનાગઢ, આજના સોશિયલ મીડિયાના યુગમાં લોકો અમુકવાર ભાન ભૂલી જતા બેફામ થઇ જતા હોય છે અને પછી તેમની પર કાયદેસરની કાર્યવાહી થાય છે કેમ કે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા લોકો માટે તેના ફાયદા અને ગેરફાયદા નું ખુબ ધ્યાન રાખવું પડતું હોય છે. જૂનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો હતો જેમાં, સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓએ આપના સમર્થક બનીને મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં રહેતા 5 શખ્સોએ આપના સમર્થક બનીને મહિલા પીએસઆઇ સામે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી હતી. આ…
(જી.એન.એસ) તા. 18 યુવાનોને રમત ગમત પ્રત્યે વધુ પ્રોત્સાહિત કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા તરણેતરના મેળામાં ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૬ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર ૨૦માં ગ્રામિણ ઓલમ્પિકમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૧૦૦ મી.દોડ, ૪૦૦ મી.દોડ, ૮૦૦ મી.દોડ, ગોળાફેંક, લાંબી કુદ, ૪ x ૧૦૦ મી.રીલે દોડ, નારીયેળ ફેંક, સ્ટ્રોન્ગેસ્ટમેન, સાતોડી (નારગોલ), ખાંડના લાડવા ખાવાની હરીફાઇ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તા.૨૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૬ વર્ષ સુધીના ભાઈઓ – બહેનો માટે ૧૦૦ મી.દોડ, ૨૦૦ મી.દોડ, ૮૦૦ મી.દોડ, લાંબીકુદ અને ૧૨ વર્ષના બાળકો માટે…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫માં મહત્વપૂર્ણ નિર્ણય (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરોને જોડતા, શહેરોમાંથી પસાર થતાં રસ્તાઓને વિકાસ પથ અન્વયે અદ્યતન સુવિધાયુક્ત બનાવવા માટે ૮૨૨ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત વિકાસ પથ યોજનામાં આવા ૨૩૩ કિલોમીટર લંબાઇના ૯૧ માર્ગોને જરૂરિયાત અનુસાર કામગીરી કરીને અદ્યતન બનાવવામાં આવશે. રાજ્યમાં શહેરોને જોડતા – શહેરોમાંથી પસાર થતા હોય અને માર્ગ મકાન વિભાગ હસ્તકના હોય તેવા માર્ગોનો આ વિકાસ પથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તદઅનુસાર, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત…
ગુજરાત પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી યુવક-યુવતીના જીવ બચાવી ‘જીવન આસ્થા કેન્દ્ર’ ખાતે લઈ જઈ તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ આજે બપોરે નર્મદા કેનાલના સર્વિસ રોડ પર પોતાની ફરજ દરમિયાન એક યુવક અને યુવતીને આત્મહત્યા કરવા માટે કેનાલમાં કૂદતા જોઈને ત્વરિત બચાવ કાર્યવાહી કરી હતી. તેમણે કોઈ પણ જાતના વિલંબ વિના કેનાલમાં કૂદીને સ્થાનિક લોકોની મદદથી બંનેનો જીવ બચાવ્યો હતો. આ ઘટના ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોબાથી ઈન્દિરાબ્રિજ માર્ગ પર નભોઈ કેનાલ પાસે બની હતી, જ્યાં એ.એસ.આઈ. વિષ્ણુભાઈ નારણભાઈ મુખ્યમંત્રીશ્રીના બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા હતા. બપોરે લગભગ…
કપાસના ઉભા પાકમાં ગુલાબી, ટપકાવાળી અને લીલી ઈયળના ઉપદ્રવને ઘટાડવા ખેડૂત મિત્રોએ આટલું જરૂર કરવું….!!
ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, ખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે વિવિધ રોગ-જીવતના વ્યવસ્થાપન માટેના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ સિઝનમાં કપાસના ઉભા પાકમાં ગુલાબી ઈયળ, ટપકાવાળી ઈયળ અને લીલી ઈયળ સહિતના રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે. કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:- • ગુલાબી ઇયળની મોજણી માટે નર ફુદાને આકર્ષતા લ્યુર સાથેના ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર બે લગાડવા, રોજ ફુદાની સંખ્યા તપાસવી અને…
(જી.એન.એસ) તા. 18 જામનગર, ફરી એકવાર જામનગર પોલીસની ઉમદા કામગીરી સામે આવી છે, સીટી એ ડીવીઝન પોલીસની ટીમે એક એવી ટોળકીને ઝડપી છે જે લોકોને પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી લુંટ કરતી હતી. આ સમગ્ર ઘટના મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકે ગત 14 ઓગષ્ટના રોજ 70 વર્ષીય વૃધ્ધા સવીતાબેન બચુભાઇ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી. વૃધ્ધા પોતે પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી જતા હોય ત્યારે રીક્ષામાં રહેલા અન્ય લોકો અને રીક્ષા ચાલકે સાથે મળીને જોરથી પકડી રાખી મુઢ ઇજાઓ કરી મોઢુ દબાવી હાથમા પહેરેલ એક સોનાની બંગળી આશરે એક તોલાની કિ.રૂ.80000/- ની બળજબરીથી કટરથી કાપી…
