Author: devarshi

(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, માત્ર 10 વર્ષમાં જ દિલ્હીમાં સત્તાથી બહાર થઈ ગઈ આમ આદમી પાર્ટી, વર્ષ 2015 માં 67 બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવનાર આમ આદમી પાર્ટી માત્ર 10 વર્ષ પછી દિલ્હીમાં સત્તાથી બહાર થઈ ગઈ છે. ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે. 70 બેઠકો ધરાવતી દિલ્હીમાં સરકાર બનાવવા માટે 36 ધારાસભ્યોની જરૂર છે. અરવિંદ કેજરીવાલ અણ્ણા આંદોલન દ્વારા રાજકારણમાં આવ્યા હતા. તેઓ ભ્રષ્ટાચાર ખતમ કરવા અને લોકપાલ લાગુ કરવાનું વચન આપતા રહ્યા, પરંતુ તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા. કેજરીવાલ તેમની સામે ભ્રષ્ટાચારની કહાનીનો અંત લાવી શક્યા નહીં. આમ આદમી પાર્ટીની હારનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર અને કામ ન કરવાના…

Read More

વિશ્વ બંધુત્વની ભારતની પ્રતિબદ્ધતા બિમસ્ટેકના વ્યાપ અને સક્રિયતામાં જોવા મળી રહી છે: શ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી BIMSTEC Youth Summit “બિમસ્ટેક યુથ સમિટ”નો પ્રારંભ કેન્દ્રીય ખેલકૂદ અને યુવા કાર્યક્રમોના મંત્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. બે ઑફ બંગાલ ઇનીશિએટિવ ફૉર મલ્ટી-સેક્ટોરલ ટેક્નિકલ એન્ડ ઇકોનૉમિક કોઑપરેશન (BIMSTEC-બિમસ્ટેક) રાષ્ટ્રોના યુવાઓની આ પાંચ દિવસીય પ્રથમ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાઈ રહી છે. બિમસ્ટેકના સભ્ય દેશોની યુવાશક્તિનું યોગદાન ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-૨૦૩૦’ ‘Sustainable Development Goals-2030’સાકાર કરવામાં પ્રેરિત કરવાના સામૂહિક વિચારમંથન માટે આ સમિટ યોજવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું…

Read More

(જી.એન.એસ) તા. 8 નવી દિલ્હી, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે, જેમાં 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે અને સમગ્ર ચૂંટણી દરમિયાન AAPનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. હવે આ પરિણામો પર રાજકીય નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. સમાજસેવક અણ્ણા હજારેએ કહ્યું, “…લોકોને નવી પાર્ટીમાં વિશ્વાસ હતો. પરંતુ પાછળથી, દારૂની દુકાનોની સંખ્યામાં વધારો થવાને કારણે તેમની (અરવિંદ કેજરીવાલની) છબી ખરાબ થવા લાગી. નિઃસ્વાર્થપણે લોકોની સેવા કરવી એ ભગવાનની પૂજા છે, આ તેઓ સમજી શક્યા નહીં, જેના કારણે તેઓ ખોટા રસ્તે ચાલ્યા ગયા.” આમ આદમી પાર્ટી- આપ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે…

Read More

ભારતીય સેનાએ 4-5 ફેબ્રુઆરીની રાત્રે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો (જી.એન.એસ) તા. 7 જમ્મુ, ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘુસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકવાદીઓ પણ શામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ 4-5 ફેબ્રુઆરીની રાત્રે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની ઘુસણખોરો માર્યા ગયા છે. આ ઘુસણખોરોમાં 2 થી 3 પાકિસ્તાની સેનાના સૈનિકો પણ સામેલ હતા. આ ઘટના જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં બની હતી.…

Read More

(જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની લેખિત પરીક્ષા અંગે જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, માર્ચ મહિનાનાં અંતમાં કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં લેખિત પરીક્ષા લેવાઈ શકે છે. જણાવી દઈએ કે, 31 જાન્યુઆરી, 2025 સુધીમાં શારીરિક પરીક્ષા લેવાઈ હતી. ગુજરાત પોલીસની ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની લેખિત પરીક્ષાની તારીખો અંગે માહિતી સામે આવી છે. શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજે માર્ચ-2025 નાં છેલ્લા સપ્તાહમાં અથવા તો એપ્રિલ-2025 માં યોજાઈ…

Read More

મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ, ૨૦૨૫ (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, વડાપ્રધાનશ્રીના મિલેટ માઇન્ડફુલનેસની જાગૃતિના અભિયાનને સાર્થક કરવા રાજયમાં મિલેટ પાકોની ખેતીને પ્રોત્સાહન આપવા અને મિલેટ આધારિત પ્રોડક્ટ્સના પ્રદર્શન સહ વેચાણ હેતુ તા.૦૮/૦૨/૨૦૨૫ અને તા.૦૯/૦૨/૨૦૨૫ દરમ્યાન બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ, ૨૦૨૫ નું અમદાવાદ, સુરત, જામનગર, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ કુલ સાત મહાનગર પાલિકા ખાતે તેમજ તે પૈકી અમદાવાદ મહાનગરપાલિકા ખાતે રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે જે પૈકી ગાંધીનગર જિલ્લામાં સેક્ટર 11 રામકથા મેદાન ખાતે મિલેટ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય પોષક અનાજ…

Read More

(જી.એન.એસ) તા. 7 લુધિયાણા, અભિનેતા સોનુ સૂદ ની તકલીફોમાં વધારો થયો છે, સોનુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. લુધિયાણાની એક કોર્ટે છેતરપિંડીના કેસમાં તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ કેસ બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્નાએ મોહિત શુક્લા નામના એક વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને નકલી રિજિકા સિક્કામાં રોકાણ કરવા માટે લલચાવવામાં આવ્યા હતા. સોનુ સૂદને જુબાની માટે કોર્ટમાં બોલાવવામાં આવ્યો હતો. જોકે, જ્યારે તે કોર્ટમાં હાજર ન થયો, ત્યારે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રમણપ્રીત કૌરે અભિનેતા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટ દ્વારા…

Read More

અમેરિકામાં વધુ એક પ્લેન દુર્ઘટના..??!! અલાસ્કામાં 10 યાત્રીઓ સાથેનું બેરિંગ એર વિમાન ગુમ (જી.એન.એસ) તા. 7 અલાસ્કા, અમેરિકાથી 10 મુસાફરોને લઈને અલાસ્કાના નોમ નજીક ગુરુવારે બપોરે બેરિંગ એરની એક ફ્લાઇટ અચાનક ગુમ થઈ ગઈ, જેમા 10 મુસાફરો સવાર હતા. શિયાળાના સખત તોફાનવાળા વાતાવરણમાં વિમાનનું સંપર્ક તૂટતાં તાત્કાલિક શોધ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ ટીમો વિમાનનું છેલ્લું સ્થાન શોધવાનો પ્રયાસ કરી રહી છે, જેથી શક્ય તેટલી વહેલી મદદ પહોંચાડી શકાય. આ ઘટનાએ ચિંતાનો માહોલ ઉભો કર્યો છે અને સ્થાનિક એવિએશન અધિકારીઓ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. અલાસ્કા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી અનુસાર, બેરિંગ એરનું કારવાં વિમાન…

Read More

HMPVના ફેલાવાને નિયંત્રિત કરવા માટે લેવામાં આવેલા પગલાં ICMR અને IDSP નેટવર્ક દ્વારા ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ગંભીર શ્વસન બિમારી માટે મજબૂત સર્વેલન્સ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી (જી.એન.એસ) તા. 7 નવી દિલ્હી, હ્યુમન મેટાપ્યુનોવાયરસ (HMPV), 2001થી વૈશ્વિક સ્તરે હાજર છે. ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP)ના ડેટા દેશમાં ક્યાંય પણ ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી/ગંભીર તીવ્ર શ્વસન બીમારીના કેસોમાં કોઈ અસામાન્ય વધારો દર્શાવતા નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સર્વેલન્સ ડેટા દ્વારા પણ આ વાતની પુષ્ટિ થઈ છે. 6 જાન્યુઆરી, 2025થી 29 જાન્યુઆરી, 2025 સુધીમાં, ભારતના 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 59 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે HMPV કેસોની દેખરેખ અને નિયંત્રણ માટે અને HMPVના લક્ષણો અને નિવારણ વ્યૂહરચનાઓ…

Read More

ચૂંટણી સંદર્ભે જોડાયેલ અન્ય વ્યવસ્થાઓ અને  પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ  કરી ચૂંટણી સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, આગામી સમયમાં યોજાનાર માણસા નગરપાલિકાની ચૂંટણી 2025 તથા આમજા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા સ્થળ મુલાકાત યોજવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે.દવે દ્વારા માણસા નગરપાલિકા સામાન્ય ચૂંટણી તેમજ આમજા તાલુકા પંચાયત સીટ પેટા ચૂંટણી સંદર્ભે માણસા કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ, રીસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર અને કાઉન્ટિંગ હોલની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત અંતર્ગત ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી કલોલ…

Read More