Author: devarshi

(જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા તારીખ ૧૫મી ફેબ્રુઅરીથી ૧૯મી ફેબ્રુઅરી સુધી અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમાં હરિયાણા રાજ્યના કુલ ૫ જિલ્લાઓ ફરીદાબાદ, જીંદ, રોહતક , પાનીપત અને ભિવાનીના ૨૭ યુવાનો ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને ગુજરાત રાજ્યની કળા, સંસ્કૃતિ, ખાનપાન , રહન-સહન અને ભાષાની માહિતી આપવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર જિલ્લાના વિવિધ પ્રસિદ્ધ એતિહાસિક, શેક્ષણિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રી કચેરી નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય…

Read More

(જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે, તેમને કહ્યું હતું કે, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું એ ભાજપ દ્વારા શાસન કરવામાં અસમર્થતાનો વિલંબિત સ્વીકાર છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પ્રત્યેની તેમની જવાબદારીને નકારી શકે નહીં. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું એ ભાજપ દ્વારા મણિપુરમાં શાસન કરવામાં તેની સંપૂર્ણ અસમર્થતાનો વિલંબિત સ્વીકાર છે, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું. હવે વડાપ્રધાન મોદી મણિપુર માટે તેમની સીધી જવાબદારી નકારી શકે નહીં. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આખરે પાર્ટી જે માંગણી કરી રહી હતી તે 20 મહિનાથી થઈ…

Read More

અગાઉ પશ્ચિમ બંગાળ પોલીસે ધોરણ 10 ની પરીક્ષાઓનું કારણ આપીને રેલી યોજવાની પરવાનગી નકારી કાઢી હતી (જી.એન.એસ) તા. 14 કોલકાતા, 16 ફેબ્રુઆરી, 2025 ના રોજ પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) ની રેલી યોજાવાની છે, જેના માટે પશ્ચિમ બંગાળ પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, આરએસએસ દ્વારા કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, કોલકાતા હાઈકોર્ટના એક ન્યાયાધીશે બંગાળ સરકારના વાંધાને ફગાવી દેતા આરએસએસ રેલીને શરતી પરવાનગી આપી છે. આ રેલીમાં આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજરી આપે તેવી શક્યતા છે. હાઈકોર્ટે કહ્યું કે રેલી શાંતિપૂર્ણ રીતે યોજવી જોઈએ અને અવાજ ઓછો…

Read More

સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ ને કહ્યું અલવિદા (જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ ના પુત્ર ફૈઝલ એ જાહેરાત કરી છે કે હવે તેઓ કોંગ્રેસ માટે કામ નહીં કરે. તેમના આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભુકંપ આવ્યો છે. કોંગ્રેસથી દૂર જતા પહેલા ફૈઝલ પટેલે એક ભાવનાત્મક પોસ્ટ પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, “ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.” ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ યાત્રા રહી છે. મારા સ્વર્ગસ્થ પિતા અહેમદ પટેલે પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત…

Read More

હવે એડવાન્સ ટેક્ષ ચૂકવનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપવામાં આવશે (જી.એન.એસ) તા. 14 અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2025, શુક્રવાર ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. ગ્રીન અમદાવાદ અને સ્મલ મુક્ત અમદાવાદ કરવાનું બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. ખારીકટ કેનાલ ફેઝ 2નું નવીનીકરણ કરાશે તેમજ અંગદનની જાગૃતિ માટે 1 કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.શાસક પક્ષે સુધારા સાથે 1501 કરોડનો વધારો કર્યો છે જેમાં કમિશનરનું ડ્રાફ્ટ બજેટ 14001 કરોડનું હતું જેમાં 1501 કરોડના…

Read More

જામનગરમાં મોટાપાયે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ (જી.એન.એસ) તા. 14 જામનગર, જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ગેરકાયદે ખડકાયેલી 51 જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ વેળાએ ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાગ બગીચા માટે રિઝર્વ રખાયેલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. આ મેગા ડિમોલેશન દરમિયાન જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે તમામ પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે સમગ્ર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢીંચડા રોડ પર ૩૦ મીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે…

Read More

(જી.એન.એસ) તા. 14 બીજાપુર, છત્તીસગઢ પોલીસ દ્વારા એક દાવો કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ઠાર મરાયેલા 31 માઓવાદીઓમાંથી 17 પુરૂષ અને 11 મહિલાઓ સહિત 28 ની ઓળખ કરી લેવાઇ છે. આ તમામના માથે કૂલ 1.10 કરોડ રૂપિયાનું ઇનામ હતું. મૃત્યુ પામેલા માઓવાદીઓમાં 6 જાન્યુઆરીએ થયેલા આઇઇડી વિસ્ફોટનો માસ્ટર માઇન્ડનો સમાવેશ થાય છે. વિસ્ફોટમાં આઠ સુરક્ષા કર્મચારીઓ અને એક નાગરિકનો જીવ ગયો હતો. આ ઉપરાંત અનેક અન્ય ધાકત હુમલા પણ થયા હતા. આ મામલે બસ્તર રેંજના ઇન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે, ઠાર મરાયેલા 31 ઉગ્રવાદીઓમાં હુંગા કર્માનો પણ સમાવેશ થાય છે, જે પ્રતિબંધિત ભારતીય…

Read More

(જી.એન.એસ) તા. 14 વોશિંગ્ટન, અમેરિકા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાંગ્લાદેશના મુદ્દે ચર્ચા થઇ છે. સમાચાર છે કે, ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલી પરિસ્થિતિઓમાં અમેરિકાની ભુમિકાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. સાથે જ દેશ અંગે નિર્ણય પણ પીએમ મોદી પર છોડ્યો છે. સાથે જ ભારતીય પીએમએ રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીના નિર્દેશક તુલસી ગબાર્ડ સાથે પણ બાંગ્લાદેશની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વોશિંગ્ટનમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક આયોજીત થઇ. આ દરમિયાન બંન્ને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર અને સંબંધો અંગે ચર્ચા કરી હતી. સાથે જ ટ્રમ્પે કહ્યું કે, હું બાંગ્લાદેશના મુદ્દો પીએમ મોદી પર…

Read More

(જી.એન.એસ) તા. 14 ગોધરા, પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકામાં છબનપુર બાયપાસ માર્ગ પર રોડની સફાઈ કરી રહેલી મહિલાનું એસટી બસની ટક્કરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકામાં છબનપુર બાયપાસ માર્ગ પર હાઇવેની સફાઇનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન, એક શ્રમિક મહિલા ડિવાઇડરની સફાઈ કરી રહી હતી ત્યારે સંતરામપુર ગોધરા એસટી બસ ગોધરા તરફ આવી રહી હતી અને તે દરમિયાન સફાઈ કરી રહેલી મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને ગંભીર ઇજાઓ થતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…

Read More

(જી.એન.એસ) તા. 14 ઉત્તર પ્રદેશ સરકાર અને જાપાનના યામાનાશી પ્રીફેક્ચર વચ્ચે 23 ડિસેમ્બર 2024 ના રોજ ઉત્તર પ્રદેશમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, સંગ્રહ, તકનીકી વિકાસ, શ્રેષ્ઠતા કેન્દ્ર અને પુરવઠાના ક્ષેત્રમાં તકનીકી સહયોગ, રોકાણ પ્રોત્સાહન, આંતરરાષ્ટ્રીય પુરવઠો અને પરસ્પર સંકલન માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એમઓયુ હેઠળ, ગ્રીન હાઇડ્રોજન, શહેરી વિકાસ અને ઉર્જા ક્ષેત્રમાં પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવા માટે, ઉત્તર પ્રદેશના મંત્રી શ્રી એ.કે. ગુરુવારે લખનૌની તાજ હોટેલમાં શર્મા અને જાપાનના યામાનાશી પ્રીફેક્ચરના ડેપ્યુટી ગવર્નર શ્રી કો ઓસાડાની હાજરીમાં એક ચર્ચા બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, વધારાના ઉર્જા સ્ત્રોત વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી નરેન્દ્ર ભૂષણ, યુપીપીસીએલના…

Read More