Home મનોરંજન - Entertainment ‘સિંઘમ અગેઇન’ દિવાળીની આસપાસ રિલીઝ થાય તેવી શક્યતા

‘સિંઘમ અગેઇન’ દિવાળીની આસપાસ રિલીઝ થાય તેવી શક્યતા

41
0

(જી.એન.એસ),તા.૧૪

મુંબઈ,

રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’ 15મી ઓગસ્ટે રિલીઝ થવાની હતી. એ જ દિવસે અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 ધ રુલ’ પણ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો કે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ‘સિંઘમ અગેઇન’ પોસ્ટપોન થઈ શકે છે. કદાચ નિર્માતાઓ પુષ્પા ટુ સાથે ટકરાવથી બચવા માંગે છે. સૂત્રોના કહેવા પ્રમાણે આ ફિલ્મને સ્થગિત કરવામાં આવી છે. કારણ કે હજુ સુધી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું નથી. આશા છે કે જલ્દી નવી રિલીઝ ડેટ જાહેર કરાશે. હવે દિવાળીની આસપાસ ‘સિંઘમ અગેઇન’ રિલીઝ થાય તેવી શક્યતા છે. રોહિત અને અજય દેવગનને ફિલ્મને લઈને કોઇ ઉતાવળ નથી. એક સૂત્રએ જણાવ્યું કે, રોહિત શેટ્ટી, અજય દેવગન અને આખી ટીમ ફિલ્મના શૂટિંગ માટે દિવસ-રાત લાગેલી છે, જેથી આ ફિલ્મ 15મી ઓગસ્ટે 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થકે.

જોકે, શૂટિંગમાં ધારણા કરતા વધુ સમય લાગી રહ્યો છે, કારણ કે ‘સિંઘમ અગેઇન’ જેવી એક્શન અને વીએફએકસ આધારિત ફિલ્મ પર ખૂબ ધ્યાન આપવું પડે તેમ છે તેથી રોહિત શેટ્ટી અને અજય દેવગન ઉતાવળ કરવા ઇચ્છતા નથી. તેઓ ઈચ્છે છે કે સ્કેલ અને વિઝન સાથે કોઇ બાંધછોડ ન થાય. જિયો સ્ટુડિયોએ રોહિત અને અજયને દિવાળીની આસપાસ ફિલ્મ રિલીઝ કરવાનું સૂચન કર્યું છે અને તેઓ તારીખ પર વિચારણા કરી રહ્યા છે. દિવાળીને ધ્યાનમાં રાખીને હવે વીએફએક્સ અને બેકગ્રાઉન્ડ સ્કોર પર ફરીથી કામ કરવામાં આવી રહ્યું છે. એમ પણ અજય દેવગન અને રોહિત શેટ્ટી માટે દિવાળી લકી સાબિત થઈ છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત રણવીર સિંહ, અક્ષયકુમાર, કરીના કપુર, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ અને અર્જુન કપુર છે. ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3’ દિવાળી પર રિલીઝ થવાની છે. એવામાં જો ‘સિંઘમ અગેઇન’ પણ આ દિવસોમાં રિલીઝ થશે, તો બે મોટી ફિલ્મોની ટક્કર થશે. આમ હવે કાર્તિક આર્યન સાથે અજય દેવગનની ટક્કર થવાની પુરતી શક્યતા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતને પ્રજાસત્તાક કહેવામાં આવ્યું તેમ છતાં, ત્રણ વર્ષ પછી બંધારણને બાળવાની વાત કરી
Next articleશ્રદ્ધા કપૂર જેવી દેખાતી છોકરી રાતોરાત ફેમસ