Home દેશ - NATIONAL માનહાનિ કેસ-જેટલીએ કેજરીવાલના માફીનામા પ્રસ્તાવને ફગાવ્યો

માનહાનિ કેસ-જેટલીએ કેજરીવાલના માફીનામા પ્રસ્તાવને ફગાવ્યો

505
0

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.20

માનહાનિના અનેક કેસનો સામનો કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ વધુ એક ઝાટકો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ કેજરીવાલે મોકલેલા માફીનામાના પ્રસ્તાવને અરૂણ જેટલીએ ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે જ દિલ્હીના મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને કોંગ્રેસના નેતા કપિત સિબ્બલની માફી માંગી લીધી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નાણાં મંત્રી અરૂણ જેટલી હવે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવાના મૂડમાં નથી અને તેમણે ટૂંકમાં જ કહી દીધું છે કે, જ્યાં સુધી આપના અન્ય નેતાઓ આશુરોષ, રાઘવ ચઠ્ઠા અને સંજય સિંહ પણ તેમની માફી નહીં માંગે ત્યાં સુધી માફીનો સ્વિકાર નહીં કરવામાં આવે.
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, જેટલીએ ડીડીસીએમાં તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ આરોપ બાદ અરૂણ જેટલીએ કેજરીવાલ વિરૂદ્ધ 10 કરોડ રૂપિયાની માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. નાણાં મંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી ઉપરાંત આપના અન્ય 5 નેતાઓ વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
બીજી તરફ અગાઉ કરેલા આરોપ પર માફી માંગવાને લઈને અરવિંદ કેજરીવાલ તેમની જ પાર્ટીના કેટલાક નેતાઓના નિશાને છે. પંજાબના અકાલી દળના નેતા બિક્રમ મજીઠિયાને ડ્રગ માફિયા કાફિયા કહ્યાં બાદ માનહાનીના કેસમાં માફી માંગવાના કારણે આપના પંજાબ યૂનિટમાં ભંગાણ પડ્યું છે. પાર્ટીમાંથી જ વિરોધી સૂરનો સામનો કરી રહેલા કેજરીવાલને હવે કોર્ટની બહાર સમાધાનની આશા પર પણ પાણી ફરતું જણાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરવિંદ કેજરીવાલ તેમના વિરૂદ્ધ ચાલી રહેલા અનેક માનહાનીના કેસથી પરેશાન છે અને તેઓ આ મુદ્દે કોર્ટની બહાર જ માફી માંગીને સમાધાન કરવા માંગે છે. જોકે કેજરીવાલની આ આશાને અરૂણ જેટલીએ ભારે ઝાટકો આપ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાહ રે રૃપાણી…રાજ્ય સરકારે ઉત્સવો પાછળ અધધ…62 કરોડ રૃપિયા ખર્ચ્યા
Next articleઈરાકમાં અપહરણ થયેલ 39 ભારતીયોની આઈએસઆઈએસએ હત્યા કરી-સુષ્મા સ્વરાજ