Home ગુજરાત વાહ રે રૃપાણી…રાજ્ય સરકારે ઉત્સવો પાછળ અધધ…62 કરોડ રૃપિયા ખર્ચ્યા

વાહ રે રૃપાણી…રાજ્ય સરકારે ઉત્સવો પાછળ અધધ…62 કરોડ રૃપિયા ખર્ચ્યા

614
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.20

ઉત્સવઘેલી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં 14થી વધુ મહોત્સવો પાછળ 6,208 લાખ જેટલો જંગી ખર્ચ કર્યા બાદ પણ માત્ર 4,940 વિદેશી પ્રવાસીઓએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે બેફામ ખર્ચાઓમાં સૌથી વધુ ખર્ચ રૂપિયા 5,404 લાખ માત્ર ડેકોરેશન અને અન્ય ખર્ચ પાછળ જ ખર્ચી નાંખ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, પ્રવાસન વિભાગના 14 મહોત્સવમાંથી 10 ઉત્સવમાં તો એકપણ વિદેશી પર્યટક આવ્યા નથી.
રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા મહોત્સવના આયોજન અંગે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમારે પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં પ્રવાસન મંત્રીએ સ્વીકાર્યું હતું કે, પ્રવાસન વિભાગ દ્વારા વિવિધ 14 મહોત્સવ યોજવામાં આવ્યા હતા. જેની પાછળ 6208 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
પ્રવાસન મંત્રીએ ગૃહમાં આપેલી માહિતી મુજબ, વર્ષ 2016માં 2114 લાખ અને 2017માં 4094 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પ્રવાસન વિભાગે આ મહોત્સવ એટલા માટે યોજ્યા હતા કે, રાજ્યમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધે, પરંતુ આ મહોત્સવ માત્ર તાયફો બની રહી ગયા હતા. કારણ કે બે વર્ષમાં 14 મહોત્સવ પાછળ 6208 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં પુરા 5000 વિદેશી પર્યટકો પણ આવ્યા નહોતા.
વર્ષ 2016માં આ મહોત્સવમાં માત્ર 2218 વિદેશી પર્યટકો અને 2017માં 2722 વિદેશી પર્યટકો આવ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, 14 મહોત્સવોમાંથી 10 મહોત્સવમાં એક પણ વિદેશી પર્યટક આવ્યા નહોતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીએમ મોદી 2029 સુધી વડાપ્રધાન પદે રહેશે-રિપોર્ટ
Next articleમાનહાનિ કેસ-જેટલીએ કેજરીવાલના માફીનામા પ્રસ્તાવને ફગાવ્યો