Home ગુજરાત માણસામાં તાલુકા કક્ષાના ૭૧મા વન મહોત્સવની ઊજવણી કરાઇ

માણસામાં તાલુકા કક્ષાના ૭૧મા વન મહોત્સવની ઊજવણી કરાઇ

225
0

(જી.એન.એસ.)માણસા,તા.૧૪

રુપાણી સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭૧મા વન મહોત્સવની ઊજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ માણસા તાલુકામાં પણ ૭૧મા વન મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. આ વન મહોત્સવ ૪૧ સમાજ વાડીમાં વૃક્ષારોપણ કરી કરવામાં આવ્યો હતો. આ વન મહોત્સવનો પ્રારંભ માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. વનમહોત્સવ થકી લોકોને વૃક્ષોનું જતન અને વૃક્ષોની માવજત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. દિવસે-દિવસે પ્રદૂષણનું સ્તર ઘટતા ગ્લોબલ વોર્મિંગ જેવી અસરો સર્જાઇ રહી છે. આ પ્રસંગે માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ કમલેશભાઇ પટેલ, મામલતદાર, ટીડીઓ, નાગરિક બેન્કના ચેરમેન ગોવિંદભાઇ, સમાજ વાડીના આગેવાન એ.એસ. પટેલ સહિત વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઇડરના વસાઇ ગામે લાઇબ્રેરી ના મકાનનો જીર્ણોદ્ધાર
Next articleરોયલ ક્ષત્રિય ઠાકોર સેનાનું માણસા મામલતદારે કોરોના વોરિયર્સ તરીકે સન્માન કર્યું