Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ તેજી તરફી માહોલ…. નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની...

ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ તેજી તરફી માહોલ…. નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

25
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૨.૨૦૨૩ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૮૪૧.૮૮ સામે ૬૦૮૪૭.૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૩૪૫.૬૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૦૧.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૪.૯૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૫૦૬.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૦૨.૧૫ સામે ૧૭૮૪૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૭૪૪.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૬.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૦૫.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અદાણી મામલે અમેરિકી શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચના રીપોર્ટના પરિણામે અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં છેલા સાત દિવસમાં જ ઐતિહાસિક અંદાજીત રૂ.૧૦ લાખ કરોડ જેટલું ધોવાણ થતા વૈશ્વિક સ્તરે પડેલા આકરાં પ્રત્યાઘાત બાદ સંસદમાં વિરોધ પક્ષોએ બન્ને ગૃહોને સતત બીજા દિવસે ઠપ્પ કરી દેતાં આખરે સરકારે સ્પષ્ટતા કરવાની ફરજ પડતા આજે સાવચેતીમાં ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. નાણા પ્રધાન નિર્મલા સીતારામને અદાણી ગ્રુપને ધિરાણ, એક્સ્પોઝર મામલે એલઆઈસી અને સ્ટેટ બેંક મર્યાદામાં એક્સપોઝર ધરાવતા હોવાના નિવેદને સેન્ટીમેન્ટ સુધર્યું હતું, જો કે દરેક ઉછાળે વેચવાલીએ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મોરચે ફરી અમેરિકા અને ચાઈના વચ્ચે ઈરાનથી ઓઈલ ખરીદવા મુદ્દે અને રશીયા સાથે સહયોગ મામલે ઘર્ષણથી જીઓપોલિટીકલ ટેન્શનની શકયતા અને લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ અવિરત ખરીદી સામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલીએ તેમજ મેટલ, યુટિલિટીઝ, પાવર અને કમોડિટીઝ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૧૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૬.૫૪ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, યુટિલિટીઝ, પાવર, કમોડિટીઝ, આઈટી, ટેક, બેન્કેક્સ, ઓટો, એનર્જી અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૬૦ અને વધનારની સંખ્યા ૧૮૪૬ રહી હતી, ૧૮૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમિતિની આજરોજથી થનારી આ બેઠક ૮ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. સંભવતઃ બુધવારે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ જણાવશે કે નીતિગત વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ વધારો કરાશે કે નહીં. અહેવાલોનું માનીએ તો ભારતીય રિઝર્વ બેંક આ વખતે પણ વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. જોકે રેપો રેટની વૃદ્ધિમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળશે. અહેવાલ મુજબ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. ગત વર્ષે ભારતીય રિઝર્વ બેંકએ રેપો રેટમાં ૫ વખત વધારો કર્યો હતો અને રેપો રેટ ૬.૨૫% સુધી પહોંચાડી દીધો હતો.

ગત  કેલેન્ડર વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં નાણાંકીય નીતિ સમિતિએ વ્યાજ દરમાં ૦.૩૫નો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. કુલ વધારો ૨૨૫ બેસિસ પોઈન્ટનો કરાયો હતો. આ વ્યાજ દરમાં ૩ વખત ૦.૫૦% વધારો કરાયો હતો. રેપો રેટ વધવાના કારણે બેંકો માટે ભારતીય રિઝર્વ બેંક પાસેથી નાણાં લેવા મોંઘા થઈ જાય છે અને તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે. બેંકો પણ ગ્રાહકો માટે લોન મોંધી કરી દે છે. અગાઉથી જ હોમ લોનનો વ્યાજ દર ૮.૫૦%ની ઉપર પહોંચી ગયું છે. ફરી વ્યાજ દર વધવાથી વધુ તેની ઉપર જવાની આશંકા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો-કચ્છમાં આયોજિત G-20 ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે
Next articleપ્રાકૃતિક ખેતી મારા માટે ‘મિશન’ અને સૌથી મહત્વનો વિષય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.