Home વ્યાપાર જગત - BUSINESS ફુગાવા – મોંઘવારીની સતત નેગેટીવ અસરે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં દરેક...

ફુગાવા – મોંઘવારીની સતત નેગેટીવ અસરે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનું વલણ…!!

63
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૪.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૫૨૧.૦૬ સામે ૫૭૮૧૭.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૯૦૨.૩૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૭૩.૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૦.૧૯ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૧૭૬.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૬૦.૩૫ સામે ૧૭૩૦૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૮૫.૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૩.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૭.૩૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૧૩૩.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે આજે ફંડોએ ફરી તેજીનો વેપાર હળવો કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ચાઈનામાં કોરોનાના ફરી વધતાં ઉપદ્રવ પાછળ લોકડાઉન લંબાવવામાં આવતાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી હોઈ ફયુલની માંગમાં ઘટાડા અને વૈશ્વિક ઔદ્યોગિક – આર્થિક મંદીની પરિસ્થિતિ વકરવાની શકયતા અને બીજી તરફ વધી રહેલા ફુગાવા – મોંઘવારીની સતત નેગેટીવ અસરે વૈશ્વિક બજારોમાં આજે ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. યુ.એસ.ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કરેલા નિવેદનમાં ફુગાવો અસાધારણ ઊંચાઈએ  પહોંચ્યો હોઈ અંકુશમાં લેવા વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કરવો અનિવાર્ય હોવાનું જણાવતાં અને ચાઈના, ભારત સહિતમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા હોઈ ચિંતાએ ફંડો, મોટા ખેલાડીઓએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કરતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

યુક્રેન – રશીયા યુદ્વ વકરી રહ્યા સાથે વિશ્વ પર ફુગાવો – મોંઘવારીનો ભરડો વધી રહ્યો હોઈ ભારતની ચિંતા પણ વધતાં આર્થિક વિકાસ આગામી દિવસોમાં રૂંધાવાની શકયતા અને ઓઇલ એન્ડ ગેસ, એનર્જી અને પાવર શેરોમાં ઘટાડો અને યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલીએ બીએસઇ સેન્સેક્સ ૪૬૦ પોઈન્ટ તૂટીને અને નિફટી ફ્યુચર ૧૨૭ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી નોંધાતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૫૦ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૬.૯૭  લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, પાવર, યુટિલિટીઝ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, ટેલિકોમ અને ટેક શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૫ અને વધનારની સંખ્યા ૧૧૮૫ રહી હતી, ૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, યુક્રેન પર રશિયાનો હુમલો અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે કોમોડિટીના ભાવમાં અતિશય વધારો થયો છે, જેની અસરે ભારતમાં પણ ફુગાવો ઝડપથી વધ્યો છે. ભારત આ પડકારોનો સામનો માળખાંગત સુધારા અને મજબૂત પીઠબળ સાથે કરી રહ્યુ છે અને આગામી સમયમાં ટકાઉ વૃદ્ધિને ટકાવી રાખવા માટે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવુ મહત્વપૂર્ણ રહેશે. અર્થવ્યવસ્થાના મોટાભાગના સેક્ટરોની કામગીરી કે દેખાવ કોરોના મહામારી પૂર્વેના સ્તરે પહોંચી ગઇ છે અથવા તેને વટાવી ગયા છે. બેંક ધિરાણમાં તેજી વૃદ્ધિ થઇ છે અને જોબ માર્કેટમાં તેજી આવી રહી છે. ટ્રાવેલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે પ્રગતિના પંથે છે. કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ કામકાજ વધી રહ્યા છે. જો કે ઉભરતા બજારોની અર્થવ્યવસ્થાઓ રિસ્ક સેન્ટિમેન્ટ્સમાં ઝડપી પરિવર્તન અને કડક બનેલી રહેલી વૈશ્વિક નાણાકીય નીતિ સામે સંઘર્ષ કરી રહી છે જે આર્થિક વૃદ્ધિમાં સંકોચન લાવશે અને રિકવરીને નિષ્ફળ બનાવી શકે છે અથવા તો રોકેટ ફુગાવો અને આથક મંદીનું કારણ બની શકે છે.

ભારતીય અર્થતંત્ર પણ આ નકારાત્મક બાહ્ય પરિબળોથી અલિપ્ત રહી શક્યુ નથી અને ક્રૂડ ઓઇલ સહિત કોમોડિટીના ભાવમાં આવેલા ઉછાળાના પગલે પહેલાથી જ ફુગાવાનું જોખમ સર્જાયુ છે, જેમાં વધતી આયાત પરિસ્થિતિને વધારે વિકટ બનાવી શકે છે. રિઝર્વ બેન્કે બુલેટિનમાં જણાવ્યુ છે કે, ઝડપથી પહોળી થઇ રહેલી વેપાર ખાધ અને ચાલુ ખાતાની ખાધની સાથે સાથે વિદેશી રોકાણકારોના ભારતીય બજારમાંથી આઉટફ્લો બાહ્ય પરિબળોનો સામનો કરવાની તાકાત પર દબાણ લાવે છે, જો કે આંતરિક ફંડામેન્ટલ્સની મજબૂતાઈ અને વિદેશી હૂંડિયામણ તેની સામે રક્ષણ પૂરું પાડે છે. ભારતીય અર્થવ્યવસ્થા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ મૂડી ખર્ચને ઉત્તેજન આપીને, મહત્તમ કોરોના રસીકરણ, નાણાકીય ક્ષેત્રની સ્થિતિસ્થાપકતા, મજબૂત નિકાસ અને રેમિટન્સ તેમજ રાજકોષીય સદ્ધરતાના આધારે આ પડકારોનો સામનો કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાન PMને સાઉદી અરબમાં જોઈ લોકોમાં “ચોર-ચોર”ના લાગ્યા નારા
Next articleરશિયાએ પશ્ચિમી દેશોના પ્રતિબંધો પર પલટવાર : ચાર દેશ પર કરવી પડશે કાર્યવાહી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.