Home વ્યાપાર જગત - BUSINESS એનર્જી અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૪૩૬ પોઈન્ટનો...

એનર્જી અને આઇટી – ટેક સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૪૩૬ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!! દરેક ઉછાળે સાવચેતી યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૬.૨૦૨૨ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૩૮૧.૧૭ સામે ૫૫૩૮૨.૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૧૩૫.૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫૬.૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૬.૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૮૧૮.૧૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૫૦૮.૧૦ સામે ૧૬૪૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૩૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૫.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૧.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૩૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતી સાથે થઈ હતી, પરંતુ ફંડો દ્વારા એનર્જી, ઓઇલ એન્ડ ગેસ શેરો અને આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોની આગેવાનીએ ફરી ઈન્ડેક્સ બેઝડ તેજી કરતાં ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે ચીનમાં કોરોનાનો પ્રકોપ હળવો થતા લોકડાઉનમાં મળેલી રાહતના પગલે ચાઈના લોકડાઉનમાંથી બહાર આવીને ફરી ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિઓથી ધમધમતું થઈ રહ્યાના પોઝિટીવ પરિબળે અને વૈશ્વિક બજારોમાં તેજી સાથે સ્થાનિકમાં મોંઘવારીથી રાહત મળે એવા કેન્દ્ર સરકારના પગલાં અને વૈશ્વિક અર્થતંત્રમાં વ્યાજ દરનો વધારો ધારણા કરતા ઓછો તીવ્ર રહે એવી અપેક્ષાએ શેરબજારમાં તેજી જોવા મળી હતી.

મોંઘવારી, ફુગાવો વધુ વધવાની ચિંતા અને ધિરાણ દરો વધતાં પ્રવાહિતા રૂંધાવવાના અંદાજોએ અને જીએસટી એકત્રિકરણમાં મે મહિનામાં ૧૬%નો ઘટાડો નોંધાયા સાથે એફએમસીજીની માંગ મંદ પડી રહ્યાના અહેવાલ સામે ક્રુડ ઓઈલના ભાવ ચાઈનાની ઔદ્યોગિક પ્રવૃતિમાં વૃદ્વિ અને રશિયા પાસેથી ઓઈલની ખરીદી સહિતના યુરોપના પણ પ્રતિબંધને પગલે ભાવ વધીને બ્રેન્ટ ક્રુડના ૧૨૪ ડોલર પહોંચી ગયા બાદ ઘટીને આવતા અને દેશના આર્થિક વિકાસ દરમાં વૃદ્વિના પગલે શેરોમાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડો, ખેલંદાઓની ઘટાડે ખરીદી વધતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૬ લાખ કરોડ વધીને રૂ.૨૫૮.૯૭ લાખ કરોડ પહોંચ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, ફાઈનાન્સ, કેપિટલ ગુડ્સ અને બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૯ અને વધનારની સંખ્યા ૧૯૭૦ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા નાણાંકીય નીતિને કડક બનાવવી અને રૂસ – યુક્રેન યુદ્ધ અને ચીનના લોકડાઉનના કારણે કોમોડિટીના ભાવમાં થયેલા વધારાએ ચિંતા વધારી છે. રશિયા યુક્રેન યુદ્ધ લંબાતું હોવાથી અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાના કારણે એફપીઆઇનું સ્થાનિક સ્તરે વેચાણ વધ્યું છે. ભારતીય શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ગત મે માસમાં રૂ.૪૫૨૭૬ કરોડનું ભંડોળ પાછું ખેંચાયું છે જે અત્યાર સુધીમાં બીજા ક્રમની સૌથી વધુ માસિક વેચવાલી છે. આ અગાઉ માર્ચ ૨૦૨૦માં સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સપડાયું હતું ત્યારે એફપીઆઇએ રૂ.૬૨,૦૦૦ કરોડની જંગી વેચવાલી કરી હતી જે તેના ૧૯૯૩માં ભારત પ્રવેશ બાદની સર્વાધિક વેચવાલી હતી. મહામારી પછી વિદેશી રોકાણકારોએ ગત ઓક્ટોબરથી વેચાણ શરૂ કર્યું હતું. મે મહિનામાં તેઓ સતત આઠમા મહિને ચોખ્ખા વેચાણકર્તા હતા.

આઠમા મહિનાના સમયગાળા દરમિયાન અંદાજીત રૂ.૨ લાખ કરોડની વેચવાલી કરી છે. જો કે, ભારતના એકંદર માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ તાજેતરનું વેચાણ પ્રમાણમા ઓછું છે જે સૂચવે છે કે બજાર FPIs દ્વારા વેચવાલી સહન કરી શકે છે. માર્ચ ૨૦૨૦માં ૮ બિલિયન ડોલરનું વેચાણ થયું હતું જે ભારતીય બજાર માટે એક મોટો ફટકો હતો કારણ કે સરેરાશ બજાર મૂડી માત્ર રૂ.૧૨૫ લાખ કરોડ હતી જે હવે વધીને રૂ.૨૫૩ લાખ કરોડ થઈ ગઈ છે. એ જ રીતે જાન્યુઆરી ૨૦૦૮માં વૈશ્વિક નાણાંકીય કટોકટી દરમિયાન ૪.૪ બિલિયન ડોલરનું ભંડોળ પાછું ખેંચવામાં આવ્યું હતું જ્યારે તે સમયે બજાર મૂડી માત્ર રૂ.૬૭ લાખ કરોડ હતી. ફેડરલ રિઝર્વે હજુ સુધી તેની બેલેન્સશીટના કદમાં ઘટાડો કર્યો નથી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં હજી વધુ વેચવાલી જોવા મળી જોવા મળી શકે છે તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
Next articleભારતીય શેરબજારમાં ફોરેન ફંડોની સતત વેચવાલી થકી દરેક ઉછાળે સાવચેતીનો માહોલ…!!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.