Home વ્યાપાર જગત - BUSINESS ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં બુલરન યથાવત્…!!

ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં બુલરન યથાવત્…!!

118
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૯.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૪૮.૪૭ સામે ૬૦૩૦૩.૭૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૮૮૭.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૨૫.૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯.૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૦૭૭.૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૫૩.૬૦ સામે ૧૮૦૮૮.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૦૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૨.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૮૫૩.૬૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. ભારતીય શેરબજારમાં બુલરન યથાવત્ રહ્યુ છે. સ્થાનિક પરિબળો તેમજ ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના સાનુકૂળ સંકેતો અને ચીની રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે દેવા પર ડિફોલ્ટ થઈ શકે છે તે ભય દૂર થવાથી બજારને ટેકો મળ્યો હતો. ભારતીય શેરબજારના બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ ગત સપ્તાહે પહેલીવાર ૬૦,૦૦૦ની સપાટી કુદાવી છે અને આજે સપ્તાહના પ્રથમ દિવસે બીએસઇ સેન્સેક્સે ૬૦૪૧૨ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની મનોવૈજ્ઞાનિક સપાટી કુદવીને ૧૮૦૮૮ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

વિદેશી રોકાણકારોના સતત વધી રહેલા વિશ્વાસનું પ્રતિબિંબ પાડે છે. ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સમાં અંદાજીત  ૨૫% વધ્યો છે. આ દરમિયાન મીડકપે અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ઝડપી તેજી રહેતા અનુક્રમે ૪૨% અને ૫૫%નો ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન બીએસઇ ૫૦૦ ઇન્ડેક્સની ૪૨ કંપનીઓના શેરમાં ૧૫૦ થી ૩૭૦%નો ઉછાળો જોવા મળ્યો છે. તો એવા પણ કેટલીક સ્ટોક છે જેમાં રોકાણકારોને સમીક્ષાધીન સમયગાળામાં ૧૦૦થી ૧૪૯%નું રિટર્ન મળ્યુ છે. ઉપરાંત ૧૧૩ સ્ટોક્સમાં રોકાણકારોને ૫૫ થી ૯૯% સુઘીનું વળતર મળ્યુ છે. જોકે ભારતીય બજારની તેજી સામે સંભવિત કોરોના મહામારીની વધુ લહેરના જોખમ ઉપરાંત ઉંચો મોંઘવારી દર અને રિઝર્વ બેન્કની નીતિમાં ફેરફાર, જે તબક્કાવાર હશે. એવરગ્રાન્ડેની કટોકટીની પણ વૈશ્વિક બજાર પર અસર પડી શકે છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક, હેલ્થકેર, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, મેટલ અને કંઝ્યુમર ડ્યુરેબ્લસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૮ અને વધનારની સંખ્યા ૧૬૩૫ રહી હતી, ૧૮૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજારમાં અકલ્પનીય તેજી જોવા મળી રહી છે. શેરબજારમાં ઉછાળાને કેટલાક લોકો અર્થતંત્રમાં તીવ્ર સુધારાના સંકેત તરીકે જોઈ રહ્યા છે. પરંતુ શું શેરબજારને ખરેખર આર્થિક વૃદ્ધિના સૂચક તરીકે જોવું વ્યાજબી છે ખરું ? કારણ કે ભલે શેરબજાર ઉડાન ભરી રહ્યું હોય પરંતુ દેશમાં બેરોજગારી અને ઉત્પાદન જેવા અન્ય આર્થિક સૂચકાંકોના આંકડા કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં મોટો ઉછાળો આવ્યો નથી. દેશના આર્થિક વિકાસમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ આ વિસ્તારમાં ગતિવિધિઓ વેગ પકડતી હોય તેવું લાગતું નથી.

કોવિડ-૧૯ રોગચાળાના પ્રકોપ અને વધતા ખર્ચને કારણે માંગની અસરના કારણે ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન ભારતના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં ફરી મંદી જોવા મળી છે. આ ઉપરાંત દેશમાં શહેરી તેમજ ગ્રામીણ બેરોજગારીની સંખ્યા વધી છે. ધંધા- રોજગાર ધમધમતા થયા છે. પરંતુ અનેક લોકોની આવકને કોવિડ અગાઉની તુલનાએ ફટકો પડયો છે. આ સિવાયની અન્ય પ્રતિકૂળતાઓ પણ યથાવત્ છે. આમ, આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે ઘણું મોટું અંતર છે. પરંતુ એક સાનુકુળ પાસુ એ પણ છે કે ભારતીય શેરબજાર એકલું નથી જ્યાં જબરજસ્ત વૃદ્ધિ છે. યુ.એસ ફેડ રિઝર્વ દ્વારા ટેમ્પરિંગ પ્રોત્સાહન અને વ્યાજદરમાં વધારો કરવાના વલણ પછી વિશ્વભરના શેરબજારોમાં વધારો થયો છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારો પર પડનારી અસર પર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!
Next articleભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.