Home વ્યાપાર જગત - BUSINESS ડો. રેડ્ડીના પરિણામ અપેક્ષાથી નબળા આવતાં કંપનીના શેરમાં ૧૦%ની નીચલી સર્કિટની નેગેટીવ...

ડો. રેડ્ડીના પરિણામ અપેક્ષાથી નબળા આવતાં કંપનીના શેરમાં ૧૦%ની નીચલી સર્કિટની નેગેટીવ અસરે ફાર્મા શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી…!!

255
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૭.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૮૫૨.૨૭ સામે ૫૨૯૯૫.૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૪૩૩.૧૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૯૧.૫૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૩.૫૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૫૭૮.૭૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૨૦.૪૫ સામે ૧૫૮૪૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૯૩.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૬.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૩૩.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

દેશભરમાં ચોમાસાની સારી પ્રગતિ છતાં દેશભરમાં કોરોના મહામારીથી સર્જાયેલી ભયંકર હેલ્થ કટોકટી દરમિયાન ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા દવાઓની માંગમાં અસાધારણ વધારાને લઈ સતત ફાર્મા શેરોમાં તેજી કર્યા બાદ ઓવરબોટ પોઝિશનની પરિસ્થિતિ નોંધાતા ફંડો, મહારથીઓ દ્વારા આજે ફાર્મા શેરોમાં ઉછાળે ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામોમાં ડો. રેડ્ડીના પરિણામ અપેક્ષાથી નબળા આવતાં કંપનીના શેરમાં ૧૦%ની નીચલી સર્કિટની નેગેટીવ અસરે ફંડોએ આજે તમામ ફાર્મા શેરોમાં નફારૂપી વેચવાલી કરી હતી.

વૈશ્વિક સ્તરે યુ.એસ. – ચાઈના વચ્ચેનો તણાવ વધુ તીવ્ર થતાં અને ચીન દ્વારા હોંગકોંગ પર કેટલાંક આકરા પ્રતિબંધો ઝીંકી દેવામાં આવતા છેલ્લા બે દિવસ દરમિયાન હેંગ સેન્ગ ઈન્ડેક્ષમાં અંદાજીત ૮%થી વધુનો કડાકો બોલી ગયો છે. ચાઈનામાં ટેકનોલોજી કંપનીઓ પર સરકારના આકરાં પગલાંઓથી આઈટી શેરોમાં સતત ધોવાણ સાથે યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગ પૂર્વે ભારત સહિત વિશ્વભરના શેરબજારો પર તેની વ્યાપક અસરો જોવા મળી રહી છે. સ્થાનિક સ્તરે ઘણા સમયથી ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા બાદ કોરોનાના ડેલ્ટા સંક્રમણમાં થઈ રહેલા વધારાની ચિંતા સાથે ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે શેરોમાં વેચવાલીનું દબાણ રહેતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું અને માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૫૮ અને વધનારની સંખ્યા ૧૬૦૭ રહી હતી, ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણમાં ભારતમાં બીજી લહેર બાદ ફરી ત્રીજી લહેરની ચિંતા વધવા લાગતાં અને વિશ્વભરમાં પણ વિવિધ દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા સામે કોર્પોરેટ ઈન્ડિયાના આવી રહેલા જૂન ૨૦૨૧ના અંતના પરિણામોના કારણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલીના આંકડા જોવા મળી રહ્યા છે. કોરોનાના પરિબળની સાથે હાલ ફુગાવો – મોંઘવારીનું પરિબળ પણ નેગેટીવ બની રહ્યું છે. ક્રુડ ઓઈલના ભાવ ફરી ઝડપી વધી રહ્યા હોવા સાથે પેટ્રોલ, ડિઝલના સતત ઊંચા નવી વિક્રમી ઊંચાઈએ પ્રવર્તતા ભાવોથી મોંઘવારીમાં થઈ રહેલા સતત વધારા અને વધતી જતી બેરોજગારીની સમસ્યાને ધ્યાનમાં લેતાં આગામી દિવસો અત્યંત પડકારરૂપ નીવડવાની શકયતાએ બજારનું સેન્ટીમેન્ટ ખરડાઈ શકે છે. જેથી સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની રહેશે.

કોરોનાની ત્રીજી લહેરની દહેશતે કેન્દ્ર સરકાર દ્વારા આ માટે તૈયારી શરૂ કરી દીધી હોઈ આગામી દિવસોમાં ત્રીજી લહેરના સંજોગોમાં ફરી લોકડાઉન સહિતના અંકુશો લાદવાની ફરજ પડવાની સ્થિતિમાં બજારનું સેન્ટીમેન્ટ ડહોળાઈ શકે છે. આ સાથે કોર્પોરેટ પરિણામોની શરૂ થયેલી સીઝનમાં જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામો અપેક્ષાથી સાધારણ આવતાં શેરોમાં પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જોવાઈ મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે વિદેશી સંસ્થાઓની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
Next articleડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.