Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્…!!

125
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૮૩૨.૯૭ સામે ૫૭૫૫૧.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૧૬૭.૦૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૯૭૪.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૯.૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૬૮૩.૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૭૮.૦૫ સામે ૧૭૨૦૬.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૮૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૦૮.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. યુક્રેન – રશીયા યુદ્વનું ટેન્શન હળવું થવાના પરિણામે છતાં અમેરિકાની હજુ રશીયા દ્વારા યુક્રેન પર હુમલો  કરવાની ચિંતાએ અમેરિકી શેરબજારમાં ગત સપ્તાહે નોંધપાત્ર ઘટાડો નોંધાતા વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે ભારતીય શેરબજારમાં પણ ફોરેન ફંડોએ સતત સાવચેતીમાં તેજીનો વેપાર વધુ હળવો કર્યો હતો. એશીયા – યુરોપના દેશોના બજારોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. ભારતીય શેરબજારમાં ફોરેન ફંડો, મહારથીઓ, ઓપરેટરોએ સેન્સેક્સ, નિફટી બેઝડ સાંકડી વધઘટ બતાવીને સતત સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી ચાલુ રાખી હતી. જેથી માર્કેટબ્રેડથ નેગેટિવ રહી હતી.

બેંકિંગ શેરોમાં પસંદગીની  લેવાલી સામે ઓઇલ એન્ડ ગેસ, મેટલ, યુટિલિટીઝ, બેઝિક મટિરિયલ્સ અને પાવર શેરોમાં વેચવાલીએ સેન્સેક્સ ૧૪૯.૩૮ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૬૯.૫૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. કોરોના સંક્રમણમાંથી વિશ્વ મુક્ત થવા લાગ્યું હોઈ હેલ્થકેર – ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્ર માટે હાલ તુરત તીવ્ર વૃદ્વિના દિવસો પૂરા થવાના અંદાજોએ બિઝનેસ વૃદ્વિ મંદ પડવાની શકયતાએ હેલ્થકેર શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ આજે સાંકડી વધઘટના અંતે નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઓપરેટરોનું  વ્યાપક વેચવાલી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં અંદાજીત રૂ.૩.૧૧ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૭.૩૭ લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૭૮ અને વધનારની સંખ્યા ૭૧૦ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વર્ષ ૨૦૦૮ની નાણાંકીય કટોકટીના સમયગાળામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીઝમાં આવેલી એકધારી વેચવાલી કરતા હાલમાં થયેલી વેચવાલીનો આંક ઘણો જ મોટો હોવાનું પ્રાપ્ત આંકડામાં જણાય છે. વર્ષ ૨૦૨૧ના ઓકટોબરથી વર્તમાન વર્ષના જાન્યુઆરી સુધીના ચાર મહિનામાં ભારતીય ઈક્વિટીઝમાં એફપીઆઈની અંદાજે રૂ.૧.૪૦  લાખ કરોડની નેટ વેચવાલી કરવામાં આવી છે જ્યારે વર્ષ ૨૦૦૭ – ૦૮ની નાણાંકીય કટોકટી વેળાએ ૨૦૦૭ના  નવેમ્બરથી ૨૦૦૮ના નવેમ્બર સુધી એફપીઆઈ સતત નેટ વેચવાલ રહી હતી. માત્ર વર્ષ૨૦૦૮માં વિદેશી રોકાણકારોએ એક લાખ કરોડથી વધુની ઈક્વિટીઝ વેચી હતી. એફપીઆઈસ ઊભરતી બજારોની ઈક્વિટીઝમાંના પોતાના રોકાણને પાછું ખેંચી લઈ હવે કોમોડિટીઝમાં રોકાણ કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ક્રુડ ઓઈલના વૈશ્વિક ભાવ હાલમાં પ્રતિ બેરલ ૯૦ડોલરની સપાટી આસપાસ બોલાઈ રહ્યા છે, ત્યારે ફેબ્રુઆરી માસમાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહી છે અને અત્યાર સુધીમાં અંદાજીત રૂ.૧૯૩૯૮ કરોડની વેચવાલી કરવામાં આવી છે.

અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાના સંકેત બાદ એફપીઆઈસ ઊભરતી બજારોની ઈક્વિટીઝમાંથી પોતાના રોકાણ પાછી ખેંચી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. બીજી બાજુ ઈક્વિટીઝમાં સતત વધારાને પરિણામે રિટેલ રોકાણકારોનો રસ પણ સતત વધી રહ્યો છે. એનએસઈ પર લિસ્ટેડ કંપનીઓમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં વધીને ૭.૩૨% સાથે ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. એફપીઆઇની સતત વેચવાલીને જોતાં, એવું દેખાય છે કે, એફપીઆઇ ભવિષ્યના સંભવિત ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને રણનીતિ અપનાવી રહ્યા છે. દુનિયાના વિકસીત રાષ્ટ્રોમાં મોંઘવારી વધતા મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારી રહી છે. હાલ સૌની નજર અમેરિકાની ફેડ રિઝર્વ બેન્ક કેટલા પ્રમાણમાં વ્યાજદર વધારશે તેના પર છે. તેની ઉંડી અને વ્યાપક અસર ઉભરતા દેશોના બજાર પર થશે. ક્રૂડ ઓઇલની તેજી અને રશિયા-યુક્રેનના તણાવથી પણ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા બની રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબીસીસીઆઈ હવે રિદ્ધિમાન સાહા મામલે સંપૂર્ણ કાર્યવાહી કરવાના મૂડમાં
Next articleભારત અને સિંગાપુરને હાઈ ઈન્ટરનેટ સબમરીન કેબલ સાથે જોડાશે : રિલાયન્સ જિયો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.