Home વ્યાપાર જગત - BUSINESS વિક્રમ સંવત ૨૦૭૮ના પ્રથમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!

વિક્રમ સંવત ૨૦૭૮ના પ્રથમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!

112
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૧૧.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૦૬૭.૬૨ સામે ૬૦૩૮૫.૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૭૭૯.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૨૯.૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૮.૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૫૮૫.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૯૧૬.૭૦ સામે ૧૭૯૪૭.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૮૫૨.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૧.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૧.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૩૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિક્રમ સંવત ૨૦૭૭ ઐતિહાસિક તેજીનું યાદગાર નીવડી વિદાય લીધા બાદ સપ્તાહના અને વિક્રમ સંવત ૨૦૭૮ના પ્રથમ ટ્રેડીંગ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગ શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સંવત ૨૦૭૭નું સમાપન બાદ આજે ભારતીય શેરબજારોમાં ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ફરી તેજીમાં આવી જઈને શેરોમાં સાર્વત્રિક લેવાલી કરી હતી. કોર્પોરેટ ઈન્ડિયાના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં અનેક કંપનીઓના પ્રોત્સાહક પરિણામોની પોઝિટીવ અસરે ફંડોએ આક્રમક તેજી કરી હતી. ફંડો, એનાલિસ્ટોએ ઐતિહાસિક નીવડેલા સંવત ૨૦૭૭ બાદ નવું  સંવત ૨૦૭૮ પણ તેજીનું રહેવાનો આશાવાદ વ્યકત કરતાં આજે ફંડોએ ઓઇલ એન્ડ ગેસ સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધૂમ ખરીદી કરતાં સેન્સેક્સે ફરી ૬૦૫૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી અને નિફટી ફ્યુચરે પણ ૧૮૧૫૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી. ઓટોમોબાઈલ કંપનીઓના ઓકટોબર મહિનાના વાહનોના વેચાણના આંકડા એકંદર વૃદ્વિના રહેતા ઓટો શેરોમાં પસંદગીની લેવાલી જોવા મળી હતી.

ભારતીય શેરબજારમાં કોરોના મહામારીના કાળમાં અન્ય ઉદ્યોગ – બિઝનેસોમાં મંદ વૃદ્વિની અસર છતાં શેરોમાં સતત તેજીનું ઓલ રાઉન્ડ ઐતિહાસિક તોફાન મચાવનારા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૧ની સીઝનમાં એકંદર સારા પરિણામ સાથે દેશ કોરોના કાળમાંથી બહાર આવીને ઝડપી આર્થિક – ઔદ્યોગિક વિકાસના પંથે સવાર થઈ રહ્યોના પોઝિટીવ પરિબળે નવી લેવાલી હાથ ધરતા આજે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર અને બેન્કેક્સ શેરોમાં જ વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૧ અને વધનારની સંખ્યા ૧૮૦૮ રહી હતી, ૧૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અર્થતંત્રને સ્પર્શતા વિવિધ પરિબળોને જોતાં વિક્રમ સંવત ૨૦૭૮માં પણ વધઘટ શેરબજારમાં આગેકૂચ જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. જો કે, નવા સંવત વર્ષમાં બજારમાં સતત તેજી જોવા મળવાની સંભાવના ઓછી છે. નવા વિક્રમ સંવતમાં અર્થતંત્ર સામે પડકારો તો ઉભા જ રહેશે. આગામી સમયમાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વધારો કરાશે તો બીજી તરફ નાણાંકીય તરલતાની સ્થિતિમાં પણ બદલાવ જોવા મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત ફેડરલના ટેપરીંગના નિર્ણય બાદ આગામી સમયમાં તેની પણ ભારતીય શેરબજાર ઉપર અસર જોવા મળશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની મુવમેન્ટની પણ આડકતરી રીતે શેરબજાર પર અસર થતી જોવાશે. આ ઉપરાંત અન્ય દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા ભરાનારા પગલાની પણ ઇક્વિટી બજાર પર અસર જોવા મળશે. આમ, સાનુકૂળ/ પ્રતિકૂળ પરિબળો વચ્ચે નવું સંવત ૨૦૭૮ ભારતીય શેરબજાર માટે મહત્ત્વનું પુરવાર થશે.

વિક્રમ સંવત ૨૦૭૭માં અંદાજીત ૪૯ કંપનીઓએ આઇપીઓ થકી અંદાજીત રૂ.૮૧૬૧૫ કરોડ ઉભા કર્યા બાદ નવા વિક્રમ સંવત વર્ષમાં પ્રાઇમરી માર્કેટમાં જાણીતી કંપનીઓના આઇપીઓની ધડબડાટી સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ તેજીનો માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભે જ પેટીએમ કંપનીનો આઇપીઓ ખુલશે જ રૂ.૧૮,૩૦૦ કરોડ ઉભા કરશે. ત્યારબાદ માર્ચ ૨૦૨૨ સુધીમાં એલઆઇસીનો આઇપીઓ બજારમાં પ્રવેશ કરશે. એલઆઇસીનો આઇપીઓ રૂ.૧ લાખ કરોડ આસપાસનો રહે તેવી સંભાવના છે. આ સિવાય અન્ય કંપનીઓ પણ મૂડી બજારમાં પ્રવેશ કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત દિપાવલીના શુભ અવસરે અદ્ભુત કલાત્મક રંગોળી..”
Next articleવિવિધ પ્રતિકૂળ અહેવાલો અને ઉછાળે નફારૂપી વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ યથાવત્…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.