Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૧૨/૦૬/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૧૨/૦૬/૨૦૨૬)
- રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ
- ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત
- ગુજરાતની સ્પેસ ટેક પોલિસી (2025-30) અંતર્ગત GIDC ખોરાજ ખાતે અત્યાધુનિક કોમન ટેકનિકલ ફેસિલિટીઝથી સજ્જ સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કની જાહેરાત
- એક અઠવાડિયામાં મમતા બેનરજીને ત્રીજો ઝટકો!
- બિહાર MLC ચૂંટણી: નીતિશ કુમારના પુત્ર, ભોજપુરી અભિનેતા પવન સિંહ સહિત 10 લોકો બિનહરીફ ચૂંટાયા; NDA ને 9 બેઠકો મળી
- ભાજપાના પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોન-૧ ની વક્તા પ્રશિક્ષણ કાર્યશાળા અને ઝોન બેઠક યોજાઈ
- વાયબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટ
- મેક ઇન ઇન્ડિયા માટે સીમાચિહ્નરૂપ: સ્વદેશી એરબસ C-295 એ વડોદરામાં તેની પ્રથમ ઉડાન ભરી
- દિલ્હીના પશ્ચિમ વિહારમાં ગુરુ રંધાવાના જીમમાં ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
- ઓમાન કિનારા નજીક હોર્મુઝ સ્ટ્રેટ નજીક કાર્ગો જહાજ પર અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત
Author: gujdesk
(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) ને હજારો કરોડના કથિત હોસ્પિટલ કૌભાંડના સંદર્ભમાં ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાનો સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે તપાસ શરૂ કરવા માટે ઔપચારિક મંજૂરી મળી ગઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાની ભલામણને પગલે 6 મે, 2025 ના રોજ તપાસને લીલી ઝંડી આપવામાં આવી હતી. તપાસ શરૂ કરનારી ફરિયાદ આ તપાસ 22 ઓગસ્ટ, 2024 ના રોજ ભાજપ નેતા વિજેન્દ્ર ગુપ્તા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ પરથી શરૂ થઈ છે, જેમાં બંને AAP નેતાઓના કાર્યકાળ દરમિયાન દિલ્હીના આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ફરિયાદ સૂચવે છે કે બંને મંત્રીઓએ અનેક આરોગ્યસંભાળ…
(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, મંગળવારે વહેલી સવારે દિલ્હી-હરિયાણા સરહદ પર દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને ગેંગના સભ્યો વચ્ચે થયેલી અથડામણમાં વોન્ટેડ ગેંગસ્ટર અને કાલા રાણા-નોની રાણા ગેંગના સક્રિય શૂટર રોમિલ વોહરાનું મોત થયું હતું. ગોળીબાર દરમિયાન બે પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલના કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટને રોમિલની હિલચાલ વિશે હરિયાણા પોલીસ તરફથી માહિતી મળી હતી. હરિયાણા પોલીસ તરફથી મળેલી બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન સીમા નજીકના ડેરા મંડી વિસ્તારમાં ઝડપથી સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 24 જૂનની વહેલી સવારે, રોમિલને એક બાતમીદારે જોયો, જેના કારણે પોલીસે કાર્યવાહી કરી. જ્યારે પોલીસ ટીમે તેને પકડવાનો…
(જી.એન.એસ) તા. 24 ઇટાનગર, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ કે ટી પારનાયકે હિમાલય ક્ષેત્રમાં ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરવા માટે સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક સમુદાયો વચ્ચે સહયોગી પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો છે. રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિમાલયમાં સ્વચ્છ પાણી ફક્ત મૂળભૂત જરૂરિયાત નથી પરંતુ અસ્તિત્વનો વિષય છે, તેમણે આબોહવા પરિવર્તન, હિમનદીઓના પીછેહઠ અને બિનટકાઉ પ્રથાઓથી વધતા જોખમો તરફ ધ્યાન દોર્યું. “આપણું ધ્યાન સ્થિતિસ્થાપક પ્રણાલીઓના નિર્માણ, સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને જાહેર આરોગ્યને મજબૂત બનાવવા પર રહેવું જોઈએ,” સોમવારે સાંજે અહીં ગોલ્ડન જ્યુબિલી બેન્ક્વેટ હોલમાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંવાદ ‘HIM સંવાદ 2025’નું ઉદ્ઘાટન કર્યા પછી પારનાયકે કહ્યું. સેવા…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો વાતાવરણ છે, તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. પુન:પૂરક પરીક્ષા અંગે માહિતી આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વરસાદ કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ચાલી રહી છે ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી નથી શક્યા તેમના માટે પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહી ગયેલા વિધાર્થીઓ માટે પરીક્ષા આપવા …
નમો લક્ષ્મી યોજનાની સફળતાને પગલે એક જ વર્ષમાં માધ્યમિક શાળાઓમાં કન્યાઓના નામાંકનમાં ૧૬ ટકાનો વધારો થયો (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની શાળાઓના ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૭૨૪ કરોડની સહાય નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના અન્વયે સિંગલ ક્લિક દ્વારા DBT થી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે યોજનાઓના લાભ સંબંધિત લાભાર્થીઓને સરળતાથી પહોંચે તેવો ટ્રાન્સપરેન્ટ, સ્પીડી અને ટેકનોલોજી યુક્ત ગવર્નન્સનો અભિગમ અપનાવ્યો છે. તદ્દઅનુસાર મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ મંત્રી શ્રી ડો.કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની…
આ ઉપરાંત સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજોમાં વિઝીટીંગ સર્જિકલ-નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટના પ્રતિ દિન વેતનમાં પણ કરાયો વધારો (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, રાહત નિયામકશ્રી અધ્યક્ષસ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં IMD ના અધિકારીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું છે. એન.ડી.આર.એફ.ના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને…
(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, અમદાવાદમાં એસ. જી હાઇવે પર આવેલ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે, ગ્રામ્ય કોર્ટે કાર્તિક પટેલની જામીન અરજીને ફગાવી દીધી છે. ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનાં આરોપી કાર્તિક પટેલે નિયમિત જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જો કે, રાજ્ય સરકારનાં વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જો કે આ પહેલા આરોપી કાર્તિક પટેલને ગ્રામ્ય કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. આરોપી કાર્તિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. આરોપીની આ અરજીને કોર્ટે મંજૂર કરી હતી. કાર્તિક પટેલે પોતાની જમીન વેચાણ કરવા માટે હંગામી જામીન માગ્યા હતા. આથી, અમદાવાદ ગ્રામ્ય…
(જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ પુષ્ટિ આપી હતી કે, આ મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાંથી મળેલા બ્લેક બોક્સની હાલમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમણે એવી બધી અટકળોને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી કે મહત્વપૂર્ણ ડેટા રેકોર્ડરને વિશ્લેષણ માટે વિદેશ મોકલવામાં આવશે, અને કહ્યું હતું કે તપાસ ભારતીય અધિકારક્ષેત્રમાં રહેશે. આ દુ:ખદ ઘટના 12 જૂનના રોજ બની હતી, જ્યારે લંડન જતું એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ મિનિટોમાં ક્રેશ થયું હતું. વિમાન એક હોસ્ટેલ કોમ્પ્લેક્સ સાથે…
આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા અને અસરકારકતામાં વધારો થતા પ્રજાજનોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થશે: પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં વર્તમાન પરિપ્રેક્ષ્ય અને જરૂરીયાતોને ધ્યાને રાખી, આરોગ્યની સેવાઓ સુચારૂ ઢબે ચાલે તથા આ સેવાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં સુગમતા રહે તે હેતુથી આરોગ્ય સંસ્થાઓમાં નાણાકીય સત્તામાં વધારો કરવા અને તે માટેની ખરીદ સમિતિઓમાં આવશ્યક ફેરફાર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય…
