Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૧૧/૦૬/૨૦૨૬)
- હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવીને કાયદાનો ડર ભૂલેલા બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા
- રાષ્ટ્રસેવાના ૧૨ વર્ષ પૂર્ણ : ગુજરાત રાજ્ય વકફ બોર્ડે પસાર કર્યો સર્વાનુમતે અભિનંદન ઠરાવ
- યુપીના કાનપુર સ્થિત નકલી ડિગ્રી રેકેટ 13 વર્ષથી ભારત, યુકે, કેનેડા અને સાઉદી અરેબિયામાં કાર્યરત; ૧૦ ની ધરપકડ
- કેન્દ્રીય કેબિનેટની અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને અપાઈ મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો 6 કિ.મી.નો રૂટ
- જેલમાંથી છૂટતા જ મોન્ટુ નામદારે ખાડિયામાં રોફ જમવા કર્યો નવો સ્ટંટ!
- NDA સંમેલનમાં 15 થી વધુ પક્ષો હાજરી આપી
- મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના ટીએમસી માટે બીજો મોટો ઝટકો
- પશ્ચિમ બંગાળ કેબિનેટ વિસ્તરણ: મુખ્યમંત્રી સુવેન્દુએ લીધું ગૃહ ખાતું, સ્વપ્ન દાસગુપ્તાને નાણાં ખાતું સોંપાયું
- આજથી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે CJP
- વિજય રૂપાણીની પુત્રીને એર ઇન્ડિયાએ સ્પષ્ટતા આપી: ‘ચુકવણી સ્વીકારવાનું કોઈ દબાણ નથી’
- મેલોનીથી મારાપે સુધી: વિશ્વના નેતાઓએ સતત ચૂંટણી લડતા પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીના રેકોર્ડની પ્રશંસા કરી
Author: gujdesk
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ સંકલ્પને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના ૧૧ વર્ષના કાર્યકાળ દરમિયાન ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે સમગ્ર દેશમાં મૂળ સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને જીર્ણોદ્ધાર માટે અનેક પગલા ભર્યા છે, તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યમાં વડાપ્રધાનના આ મંત્રને સતત આગળ ધપાવી રહ્યા છે અને રાજ્યના પૌરાણિક તેમજ સાંસ્કૃતિક વારસા ધરાવતા મુખ્ય ધાર્મિક સ્થળોનો સતત વિકાસ સાધી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર રાજ્યમાં આવેલ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સાંસ્કૃતિક વારસાને જીર્ણોદ્ધાર સાથે નવો ઓપ આપવાના સતત પ્રયત્નો…
(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બધી જ કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં સામાન્ય માનવીને રાખ્યો છે. આવી કલ્યાણ યોજનાઓનો લાભ મેળવવાથી કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિ વંચિત ન રહી જાય તેની કાળજી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સરકાર લે છે. એટલું જ નહીં, લાભાર્થીઓના ઘરે સામે ચાલીને સરકાર જાય છે અને તેમને મળવાપાત્ર સામાજિક- આર્થિક સુરક્ષા યોજનાઓના લાભ પહોંચાડે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નાગરિક કલ્યાણ લક્ષી અભિગમની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં મંત્રી…
(જી.એન.એસ) તા. 1 લૌઝેન, ગુજરાતના રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ શ્રી પી.ટી. ઉષા, રમતગમત સંઘના સચિવ શ્રી હરિ રંજન રાવ, ગુજરાતના રમતગમત વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી અશ્વિની કુમાર અને શહેરી વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી થેનારાસન સહિતના રમતગમત પ્રતિનિધિમંડળે સ્વિત્ઝરલેન્ડના લૌઝેન શહેરમાં વિશ્વ કક્ષાના રમતગમત પ્રતિનિધિમંડળો સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરી. ગુજરાતના રમતગમત પ્રતિનિધિમંડળે લૌઝેન સ્થિત વૈશ્વિક રમતગમત ઇવેન્ટ સંગઠન સ્પોર્ટએકોર્ડના અધ્યક્ષ સાથે બેઠક કરીને ગુજરાતમાં યોજાનારી સ્પોર્ટએકોર્ડ કોન્ફરન્સ માટે આમંત્રણ આપ્યું. જેમાં એક અગ્રણી રમતગમત ઇવેન્ટ ડેસ્ટિનેશન તરીકે આપણા રાજ્યની ક્ષમતા દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ ટીમ બર્સન સાથે આંતરરાષ્ટ્રીય રમતગમત ટુર્નામેન્ટ પ્રેઝન્ટેશન્સ, સહયોગ અને આ ક્ષેત્રમાં…
(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે RailOne મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી, જે મુસાફરોને ટિકિટ બુકિંગ, ટ્રેન અને PNR પૂછપરછ, મુસાફરી આયોજન, રેલ સહાય અને ભોજન બુકિંગ સહિત વિવિધ સેવાઓની સુવિધાજનક ઍક્સેસ પ્રદાન કરવા માટે રચાયેલ છે. સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) ના 40મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ એપ્લિકેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રેલવે મંત્રાલય તરફથી એક પ્રેસ રિલીઝમાં RailOne એપ્લિકેશનને મુસાફરોની બધી જરૂરિયાતો માટે એક વ્યાપક ઉકેલ તરીકે વર્ણવવામાં આવી હતી. તેમાં હાઇલાઇટ કરવામાં આવ્યું હતું કે વપરાશકર્તાઓ એપ્લિકેશન દ્વારા સીધા જ અનામત અને બિન-અનામત ટિકિટિંગ, પ્લેટફોર્મ ટિકિટ,…
(જી.એન.એસ) તા. 1 વોશિંગ્ટન, મંગળવારે (સોમવાર રાત્રે યુએસ સમય મુજબ) યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અબજોપતિ ઉદ્યોગસાહસિક એલોન મસ્ક પર આકરા પ્રહારો કર્યા, ચેતવણી આપી કે યુએસ સરકારના સમર્થન વિના, ટેસ્લાના સીઈઓ કદાચ “દક્ષિણ આફ્રિકા પાછા ફરશે.” ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા, ટ્રમ્પે કહ્યું, “એલોન મસ્ક જાણતા હતા કે, રાષ્ટ્રપતિ પદ માટે તેમણે મને આટલું મજબૂત સમર્થન આપ્યું તે પહેલાં, હું EV મેન્ડેટનો સખત વિરોધ કરું છું. તે હાસ્યાસ્પદ છે, અને હંમેશા મારા અભિયાનનો મુખ્ય ભાગ રહ્યો છે. ઇલેક્ટ્રિક કાર સારી છે, પરંતુ દરેકને એક રાખવાની ફરજ પાડવી જોઈએ નહીં.” ‘કસ્તુરી ફેડરલ સબસિડી પર ખૂબ જ નિર્ભર છે’ ટ્રમ્પે આગળ વધીને…
એક મહિનામાં ગાંધીનગર સેન્ટરમાં કુલ ૧,૪૧૦ ઓ.પી.ડી.(OPD) અને ૭૭ દર્દીઓને ઇન્ડોર તરીકે સારવાર અપાઈ (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ગાંધીનગર ખાતેના કાર્ડિયાક અને ન્યુરો સેન્ટરનું લોકાર્પણ 27 મે ના રોજ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર કાર્યરત થયાના એક મહિનામાં ગાંધીનગર અને આસપાસના દર્દીઓને કાર્ડિયાક અને ન્યુરો સંબંધિત સારવારમાં સરળતા મળી રહી છે. આ સેન્ટરમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કેથલેબની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર સેન્ટરની શરૂઆત કર્યેના એક મહિનામાં કાર્ડિયાક અને ન્યુરો કેર સેન્ટરમાં કુલ ૧,૪૧૦ ઓ.પી.ડી.ના દર્દીઓની (OPD) અને ૭૭ ઇન્ડોર દર્દી (દાખલ થયેલ) (IPD) તરીકે…
નાણા મંત્રીશ્રીના હસ્તે રાજ્ય કર વિભાગનો વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિક અહેવાલ પણ પ્રકાશિત કરાયો (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, તા. ૧ જુલાઈ – GST દિવસ નિમિત્તે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ગુજરાત રાજ્ય કર વિભાગનો નવો અધિકૃત લોગો જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ, રાજ્ય કર વિભાગનો વર્ષ ૨૦૨૪-૨૫ માટેનો વાર્ષિક અહેવાલ પણ નાણા મંત્રીશ્રીના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અવસરે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ નાણા વિભાગ દ્વારા રાજ્યની કર નીતિ, શાસન અને આવકમાં સુધારાઓ લાવવા માટે કરવામાં આવેલા વિશિષ્ટ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને વિશ્વાસની સ્થાપના, ઇઝ ઓફ કમ્પ્લાયન્સ (પાલનની સરળતા) અને ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગ દ્વારા…
ગુજરાત કોંગ્રેસની કમાન કોના હાથમાં આપવી તેની પાછળ એઆઈસીસી નું મનોમંથ શરૂ (જી.એન.એસ) તા. 1 અમદાવાદ, ગુજરાતમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના અચાનક આપેલ રાજીનામાં બાદ પાર્ટીનું કેન્દ્રીય સંગઠને નવા પ્રદેશ પ્રમુખની શોધ શરૂ કરી દીધી છે. આમ જોવા જઈએ તો કોંગ્રેસમાં આંતરિક એવી ચર્ચાઓ હતી કે વર્ષ 1994માં પીવી નરસિંહ રાવ અને અહેમદ પટેલ દ્વારા સમજાવ્યા પછી પણ રાજીનામું આપવા તૈયાર ન રહેલા શક્તિ સિંહ ગોહિલ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવાથી રાજીનામું પાછું ખેંચી શકે છે, પરંતુ 23 જૂને રાજીનામાની જાહેરાત કર્યા પછી એક આખો અઠવાડિયું વીતી ગયું છે. શક્તિ સિંહ ગોહિલના રાજીનામા પર કોંગ્રેસે કોઈ પ્રતિક્રિયા આપી નથી. સૂત્રો…
(જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, રાજ્યના નાગરિકો માટેની આરોગ્ય વિષયક સેવા-સુવિધાઓનું એક જ છત્ર હેઠળ મોનીટરીંગ અને સર્વગ્રાહી સમીક્ષા થઇ શકે તે માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ હતુ. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’ ખાતે રહેલી વિવિધ આરોગ્ય સુવિધાઓનું તલસ્પર્શી નિરીક્ષણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રીએ ટી.બી.ના દર્દીઓ સાથે ઓડિયો-વીડિયોના માધ્યમથી વાતચીત કરી તેમને મળતી આરોગ્ય સેવા-સુવિધઓના લાભ વિશે વિગતે માહિતી મેળવી હતી. આરોગ્ય સમીક્ષા કેન્દ્રના માધ્યમથી આરોગ્ય વિભાગની અલગ-અલગ શાખાઓ દ્વારા અમલીકૃત આરોગ્યલક્ષી સેવાઓને સંકલિત રીતે એક જ સ્થળેથી નિયમિત ફોલો-અપ, નિયત લક્ષ્યાંકોને સિદ્ધ…
(જી.એન.એસ) તા. 1 તેહરાન, રશિયા સાથે Su-35 વિમાન માટે અગાઉના સોદામાં વિલંબ અને ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તાજેતરના હવાઈ હુમલા બાદ, ઇરાને ચેંગડુ J-10C મલ્ટિરોલ ફાઇટર જેટ ખરીદવા માટે ચીન સાથે વાટાઘાટો તીવ્ર બનાવી છે. ઈરાની અખબાર ખોરાસનને ટાંકીને ધ મોસ્કો ટાઈમ્સ અનુસાર, તેહરાન તેના જૂના અને ઓછા ભંડોળવાળા વાયુસેનાને આધુનિક બનાવવા માંગે છે અને ચીની J-10C ને રશિયન Su-35 ના વધુ સસ્તા વિકલ્પ તરીકે જુએ છે. અહેવાલો સૂચવે છે કે ઈરાન હવે તેના કાફલાને અપડેટ કરવામાં ગતિ અને ખર્ચ-અસરકારકતાને પ્રાથમિકતા આપી રહ્યું છે, ખાસ કરીને તાજેતરના સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને. ગયા મહિને, ડઝનબંધ ઇઝરાયલી અને અમેરિકન યુદ્ધ વિમાનોએ…
