Author: Gujarat Desk

ગુજરાત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનનું નેતૃત્વ કરશે;  વેચાણ વ્યવસ્થા વધુ મજબૂત કરવા પર ભાર ગ્રાહકોને ઝેર-મુક્ત ઉત્પાદનોમાં વિશ્વાસ જાગશે, તો તેઓ વધુ કિંમત ચૂકવવા પણ તૈયાર થશે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 3 ગાંધીનગર, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે રાજ્ય કક્ષાની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ખેડૂતોને તેમના ઝેર-મુક્ત ઉત્પાદનો માટે યોગ્ય બજાર અને વળતર મળી રહે તે માટે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવી જરૂરી છે. તેમણે કહ્યું…

Read More

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે રાવણ દહનની જેમ ડ્રગ્સ રૂપી બુરાઈનું પણ દહન: રૂ.૩૮૧ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો (જી.એન.એસ) તા. 3 ભરૂચ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી નાર્કોટીક્સ જથ્થાના નાશ માટે ભરૂચના દહેજ ખાતે એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં ડ્રગ્સ નાબુદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે, રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને ડ્રગ નાશ નિકાલ કમિટીના સભ્યોએ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં ડ્રગ્સના જથ્થાનું નિરીક્ષણ કરી જાતમાહિતી મેળવી હતી. ત્યારબાદ વૈજ્ઞાનિક પદ્ધતિથી તમામ નાર્કોટીક્સ જથ્થાનો નાશ કરાયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના…

Read More

(જી.એન.એસ) તા. 4 ગાંધીનગર/અમદાવાદ, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની બિનહરીફ પસંદગી થઈ છે. અમદાવાદની નિકોલ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પક્ષ તરફથી અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરિફ જીત થઈ છે. જેને લઈને આજે (4 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા કમલમ ખાતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને પદગ્રહણ સમારોહ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહેશે. બીજી તરફ આવતીકાલે સવારે અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના જગદીશ પંચાલના નિવાસ્થાનેથી ગાંધીનગર સુધી રેલી…

Read More

અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું વાવાઝોળું ‘શક્તિ’ સક્રિય (જી.એન.એસ) તા. 3 ગાંધીનગર, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. દરિયામાં બનેલી સિસ્ટમને કારણે અનેક જગ્યાઓએ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું સાયક્લોન શક્તિ સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડાને લઈને ભારતીય મૌસમ વિભાગ(IMD) દ્વારા જાણકારી આપવામાં આવી છે. IMD મુજબ, અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યું છે. જે ધીમે-ધીમે ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે. અરબ સાગરમાં સાયક્લોનિક શક્તિ સક્રિય થયું છે. જેની અસર ગુજરાત સહિતના રાજ્યમાં જોવા મળે તેમ છે. IMD અનુસાર, શુક્રવારે (3 ઑક્ટોબર) સવારે 8:30 સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી લગભગ 240 કિલોમીટર અને પોરબંદરથી…

Read More

અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ગાઝા યોજના મામલે પાકિસ્તાન નો વિરોધ??? (જી.એન.એસ) તા. 3 ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે શુક્રવારે જણાવ્યું હતું કે, આ અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ગાઝા યોજનાના ભાગ રૂપે જે 20 મુદ્દા જાહેર કર્યા હતા તે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના જૂથ દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ સાથે સુસંગત નહોતા. યોજનામાં ફેરફારો કરવામાં આવ્યા હતા, ડારે સંસદમાં પાકિસ્તાની સાંસદોને જણાવ્યું હતું. મેં સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પે જાહેર કરેલા આ 20 મુદ્દા આપણા નથી. આ આપણા જેવા નથી. હું કહું છું કે તેમાં, આપણી પાસેના ડ્રાફ્ટમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું. ટ્રમ્પે સોમવારે એક યોજના પ્રકાશિત…

Read More

(જી.એન.એસ) તા. 3 હેગ, નેધરલેન્ડની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ડચ સરકારને ઇઝરાયલમાં શસ્ત્રોની નિકાસ અંગેની તેની નીતિઓની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ગયા વર્ષે નીચલી અદાલત દ્વારા આદેશ કરાયેલ F-35 ફાઇટર જેટના ભાગોની નિકાસ પરના પ્રતિબંધને સમર્થન આપ્યું ન હતું, પરંતુ તેણે કહ્યું હતું કે સરકારે મૂલ્યાંકન કરવાની જરૂર છે કે શું આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને જેટ ભાગોનો ઉપયોગ થવાનું જોખમ છે. તેણે સરકારને આ સમીક્ષા કરવા માટે છ અઠવાડિયાનો સમય આપ્યો, જે દરમિયાન ફાઇટર જેટના ભાગોની નિકાસ પર હજુ પણ પ્રતિબંધ રહેશે. જ્યાં સુધી મંત્રી નિકાસ લાઇસન્સ પર નવો નિર્ણય નહીં લે ત્યાં સુધી વર્તમાન લાઇસન્સ માન્ય રહેશે અને…

Read More

સુરત મહાનગર પાલિકામાં ફરીવાર શાસક પક્ષ અને વિપક્ષ ની ઉગ્ર બોલા ચાલી (જી.એન.એસ) તા. 3 સુરત, સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આગામી 2036 ના ઓલિમ્પિક લઈને આયોજન થઈ રહ્યું છે તેના ભાગરૂપે શાળામાં ઓલિમ્પિકમાં રમાઈ છે તેવી આધુનિક રમતો માટે આયોજન થઈ રહ્યું છે. જોકે, સ્થિતિ એવી છે કે સમિતિની 400 થી વધુ શાળા છે અને ખેલ શિક્ષકની સંખ્યા માત્ર 50 જ છે. આ મુદ્દે આજે સામાન્ય સભામાં વિપક્ષે, શિક્ષકો સાથે ખેલ શિક્ષક, ચિત્ર શિક્ષક અને સંગીત શિક્ષકોની ભરતી કરવા જણાવ્યું હતું તો શાસકોએ દિવાળી બાદ ભરતી થઈ જશે તેવો દાવો કર્યો હતો. સુરત…

Read More

(જી.એન.એસ) તા. 3 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, આપણી જમીન સભ્યતાનો આધાર અને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. એટલું જ નહીં, ખેડૂતોની આજીવિકા, ઉદ્યોગ વ્યાપારના રોકાણો અને લોકોના અધિકારનું પ્રમાણ પણ જમીન છે. આ પ્રમાણ ત્રુટિહિન અને સુગમ હોય તેની પ્રાથમિકતા સુનિશ્ચિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારે શરૂ કરેલો ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ ઉપયુક્ત બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં યોજાઇ રહેલી ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની દ્વિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ અવસરે નવી રેવન્યુ ઓફિસો-રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યુ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સેલન્સ-CoEs…

Read More

(જી.એન.એસ) તા. 3 રાજકોટ, રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલ દ્વારા ઘઉંમાં નાખવાની દવા પી આપઘાત કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના બની છે. આ પછી મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે, ત્યારે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા કોન્સ્ટેબલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મહિલાએ આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટ મુજબ, ભૂમિકાબાને આંચકીની બીમારી હોવાથી અવાર-નવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં જવું પડતું હતું. અંતે બીમારીથી કંટાળીને આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

Read More

(જી.એન.એસ) તા. 3 ચેન્નાઈ, મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુના કરુરમાં અભિનેતા-રાજકારણી વિજયની રેલી દરમિયાન થયેલી જીવલેણ ભાગદોડની તપાસ માટે વરિષ્ઠ આઈપીએસ અધિકારી આસરા ગર્ગના નેતૃત્વમાં એક ખાસ તપાસ ટીમ (SIT) ની રચના કરવાનો આદેશ આપ્યો છે. 27 સપ્ટેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં 41 લોકો માર્યા ગયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. પીટીઆઈએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે ગર્ગ હાલમાં ઉત્તર ઝોનના પોલીસ મહાનિરીક્ષક છે. નોંધનીય છે કે, કોર્ટની સિંગલ જજની બેન્ચે વિજયની પાર્ટી, તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ના કાર્યકરોની પણ ટીકા કરી હતી. હાઈકોર્ટે ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી છે. અરજીને ફગાવી દેતી વખતે,…

Read More