Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૧૫/૦૮/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૧૫/૦૮/૨૦૨૬)
- રાની મુખર્જીને લા ટ્રોબ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી એનાયત, શાહરુખ પછી બીજા ભારતીય અભિનેતા બન્યા
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી નડ્ડા બેચેની અનુભવતા નવી દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા
- યુકેમાં વર્ષનો સૌથી ગરમ દિવસ રેકોર્ડ, તાપમાન 38.1 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું
- ગુજરાત સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૬ના વિજેતાઓને ટ્રોફી એનાયત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી
- અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓની સાહસ-શોર્યગાથા વર્ણવતી પ્રદર્શની મુખ્યમંત્રીશ્રીએ નિહાળી
- સ્વાતંત્ર્ય દિવસ- 2026 ના અવસરે પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને સિવિલ ડિફેન્સ તથા કરેક્શનલ સર્વિસના 1057 કર્મચારીઓને શૌર્ય/સેવા પદકો એનાયત કરવામાં આવ્યા
- રશિયન પ્રમુખ પુતિનની વિવાદિત ટાપુઓની પહેલી મુલાકાતનો જાપાને વિરોધ કર્યો
- 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
- મોટા ફેરફાર પહેલા વીવીએસ લક્ષ્મણ બીસીસીઆઈના આગામી ક્રિકેટ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે
- પોસ્ટઓફિસો દ્વારા 135 દેશોમાં ટ્રેકિંગ સુવિધા સાથે મોકલો રાખડી, ઈન્ટરનેશનલ ટ્રેકડ પેકેટ સેવા હેઠળ સુવિધા ઉપલબ્ધ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
Author: GNSnewsAdmin
ફસાયેલા યાત્રિકો માટે રહેવા તથા જમવાની સુવિધા આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી (જી.એન.એસ) તા. 21 જમ્મુ/ગાંધીનગર, જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ ૫૦ યાત્રીકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર શ્રી આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ લેન્ડ સ્લાઇડીંગની ઘટનામાં ગુજરાતી યાત્રિકો ફસાયા હોવાની જાણ થતાં જ તેમણે રાહત કમિશનર તંત્રને જમ્મુ કાશ્મીર સરકારના સંબંધિત તંત્રનો સંપર્ક કરી આ યાત્રાળુઓની સુરક્ષા સલામતીનો પ્રબંધ કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીશ્રીની સૂચના અને દિશા નિર્દેશોને પગલે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જમ્મુ કાશ્મીરના સંબંધિત તંત્ર વાહકોનો તાત્કાલિક સંપર્ક કરીને ગુજરાતના યાત્રિકોની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત…
(જી.એન.એસ) તા. 2 સાયબર ક્રાઇમને લગતી બાબતો ગૃહ મંત્રાલય (એમએચએ) હેઠળ વ્યવસાયિક નિયમોની ફાળવણી મુજબ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી) સાયબર ફ્રોડ માટે ટેલિકોમ સંસાધનોના દુરૂપયોગને રોકવા માટેના પ્રયત્નો હાથ ધરે છે. વધુમાં, ‘પોલીસ’ અને ‘પબ્લિક ઓર્ડર’ એ ભારતના બંધારણની સાતમી અનુસૂચિ મુજબ રાજ્યના વિષયો છે. ગૃહ મંત્રાલયે ભારતીય સાયબર અપરાધ સંકલન કેન્દ્ર (14સી)ની સ્થાપના એક સંલગ્ન કાર્યાલય તરીકે કરી છે, જે સાયબર અપરાધો સાથે કામ પાર પાડવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓ (એલઇએ) માટે એક માળખું અને ઇકો-સિસ્ટમ પ્રદાન કરશે. ગૃહ મંત્રાલયે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ- એનસીઆરપી (https://cybercrime.gov.in) પણ શરૂ કર્યું છે. જેથી લોકો તમામ પ્રકારના સાયબર ક્રાઇમની જાણ કરી શકે. આઈ4સી મુજબ, 2024 માં એનસીઆરપી પર ફરિયાદોની કુલ સંખ્યા અને ગુમાવેલી રકમ અનુક્રમે 19.18 લાખ અને 22811.95 કરોડ હતી. આ ઉપરાંત, ડીઓટી અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (ટીએસપી)એ…
અરજદારોના પ્રશ્નોના વાસ્તવિક સમયના જવાબો આપવા માટે ઉદ્યોગના નિષ્ણાતોને સામેલ કરતું ઇન્ટરેક્ટિવ ઓપન હાઉસ (જી.એન.એસ) તા. 26 નવી દિલ્હી, તેના અગાઉના સત્રોની સફળતાના આધારે, કોર્પોરેટ બાબતોનું મંત્રાલય (એમસીએ) 27 માર્ચ 2025ના રોજ પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ માટે વધુ એક ઉમેદવાર ઓપન હાઉસનું આયોજન કરશે. લાયક ઉમેદવારોને ટેકો આપવા અને તેમને સંલગ્ન કરવા માટે મંત્રાલયની સતત પ્રતિબદ્ધતાના ભાગરૂપે, આ ઇન્ટરેક્ટિવ ફોરમ અરજદારોના સૌથી મહત્ત્વના પ્રશ્નોના અમૂલ્ય આંતરદૃષ્ટિ અને વાસ્તવિક સમયના જવાબો પ્રદાન કરશે. સાપ્તાહિક ધોરણે યોજાતા, આ ઓપન હાઉસ એપ્લિકેશન પ્રક્રિયામાં નેવિગેટ કરતા ઉમેદવારો માટે નિર્ણાયક ટચપોઇન્ટ તરીકે સેવા આપે છે. આ આગામી સત્રને ખાસ કરીને રોમાંચક બનાવે છે તે ઉદ્યોગના નિષ્ણાતોને દર્શાવતું એક વિશેષ સેગમેન્ટ છે જે ઇન્ટર્નશિપના મૂલ્ય, કારકિર્દી-નિર્માણ…
વર્કશોપમાં FPOs, કૃષિ ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ સહિત કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો સહભાગી થશે (જી.એન.એસ) તા. 25 ગાંધીનગર, સ્પીપા-ગાંધીનગર ખાતે આજે તા. ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ “ઓગમેન્ટિંગ પોસ્ટ-હાર્વેસ્ટ ઇકોનોમી” વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. તેમજ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા પોસ્ટ-હાર્વેસ્ટ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)ના અધ્યક્ષ શ્રીમતી એસ. અપર્ણા તેમજ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડી ઉપસ્થિત રહેશે. ગુજરાતના વિકાસને વેગ આપી શકે તેવા…
તિથિ એકાદશી (અગિયારસ) – 27:48:57 સુધી નક્ષત્ર શ્રાવણ – 27:50:47 સુધી કરણ ભાવ – 16:34:31 સુધી, બાલવ – 27:48:57 સુધી પક્ષ કૃષ્ણ યોગ શિવ – 14:52:46 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:39:25 સૂર્યાસ્ત 18:52:21 ચંદ્ર રાશિ મકર ચંદ્રોદય 28:22:59 ચંદ્રાસ્ત 14:41:59 ઋતુ વસંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1946 ક્રોધી વિક્રમ સંવત 2082 કાળી સંવત 5125 પ્રવિષ્ટા / ગત્તે 12 મહિનો પૂર્ણિમાંત ચૈત્ર મહિનો અમાંત ફાલ્ગુન (ફાગણ) દિન કાળ 12:12:56 અશુભ સમય દુર મુહુર્ત 09:06:00 થી 09:54:52 ના કુલિક 13:59:11 થી 14:48:02 ના દુરી / મરણ 07:28:16 થી 08:17:08 ના રાહુ કાળ 15:49:07 થી 17:20:44 ના કાલવેલા/અર્ધ્યામ 09:06:00 થી 09:54:52 ના યમ ઘંટા 10:43:44 થી 11:32:35 ના યમગંડ…
(G.N.S) Dt. 24 કેસની તપાસ માટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, ૪૭૦ પાનાની ચાર્જશીટ નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટમાં રજૂ કરી હતી ઝડપી અને દાખલારૂપ કામગીરી કરીને ભોગ બનનાર દીકરી અને પરિવારને ન્યાય અપાવનાર વલસાડ પોલીસની સમગ્ર ટીમને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં ૩ વર્ષ અને ૩ મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ગંભીર ગુના બાદ આરોપીને પકડી પાડવા તથા પીડિતા તેમજ પરિવારને ખૂબ જ ઝડપી ન્યાય અપાવવા માટે વલસાડ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જેને ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર…
(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની માગણીઓ રજૂ કરતાં મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે રાજ્યમાં પાણી પુરવઠાના માળખાને વધુ સુદૃઢ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યના દરેકે દરેક જિલ્લા અને તાલુકામાં જરૂરિયાત મુજબની પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ માટે વિભાગ દ્વારા વિવિધ ચાલું તેમજ નવીન યોજનાઓ અને આયોજનો કરવામાં આવી રહ્યાં છે. મંત્રીશ્રી બાવળિયાએ રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની કુલ રૂ. ૧૭,૩૬૪.૧૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં રજૂ કરી હતી. જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગની માંગણીઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું…
અગ્નિવીર જનરલ ડ્યૂડી તેમજ સિપોઈ ફાર્મા સહિતની જગ્યાઓ માટે ભરતી યોજાશે (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, આર્મી રિકૂટીંગ ઓફીસ, અમદાવાદ દ્વારા અપરણિત પુરૂષ ઉમેદવારો માટે અગ્નિવીર ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે . અરજી કરવાં માટે ઉમેદવારની જન્મ તા. ૦૧/૧૦/૨૦૦૪ થી ૦૧/૦૪/૨૦૦૮ હોવી જરૂરી છે. પરીક્ષા ફી રૂ.૨૫૦/- છે અને ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તા.૧૦/૦૪/૨૦૨૫ છે. ૧) જરનલ ડ્યૂટી: લઘુતમ ૪૫ % અને દરેક વિષયમાં ૩૩ % માર્કસ સાથે ધોરણ-૧૦ પાસ, ઉચાઈ: १७८ સે.મી., છાતી: ૭૭(+૫) ૨) ટેકનિકલ: લઘુતમ ૫૦ % અને દરેક વિષયમાં ૪૦ % માર્કસ સાથે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, ગણિત અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ અથવા લઘુતમ ૫૦ %…
રાજ્ય ભરના ૧૦૦ ઉપરાંત વિવિધ ઉદ્યોગ-વ્યાપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળોની રજૂઆતો તથા સરકાર પક્ષે તેના નિવારણ માટેના ઉપાયોની સામૂહિક ચર્ચા-મંથન માટે ગાંધીનગરમાં બેઠક યોજાઈ (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ પ્રદેશો, જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ-વેપાર સાથે સંકળાયેલા ૧૦૦ ઉપરાંત વિવિધ ઉદ્યોગ-વ્યાપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગ-વેપારકારોની સમસ્યાઓ-પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવીને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે સામૂહિક ચર્ચા-મંથનની બેઠકના આયોજનનો નવતર અભિગમ અપનાવ્યો છે. તદનુસાર, આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્યના વિવિધ વિસ્તારો તથા જિલ્લાઓના ઔદ્યોગિક વ્યાપાર વાણિજ્ય સંગઠનોએ GIDC વસાહતના અને ડબલ ટેક્સેશનના પ્રશ્નો,…
ભારત અને મલેશિયાએ સાઇકલ 2024-2027 માટે સહ-અધ્યક્ષતા ધારણ કરી છે; વર્ષ 2026માં મલેશિયામાં ટેબલ-ટોપ કવાયત અને 2027માં ભારતમાં ફિલ્ડ ટ્રેનિંગ કવાયતની જાહેરાત (જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક -પ્લસ (ADMM-Plus) નિષ્ણાતોના કાર્યકારી જૂથની 14મી બેઠક 19થી 20 માર્ચ, 2025 દરમિયાન નવી દિલ્હીમાં કાઉન્ટર-ટેરરિઝમ (ઇડબલ્યુજી ઓન સીટી)ની 14મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આસિયાન સચિવાલય, આસિયાન દેશો (લાઓ પીડીઆર, મલેશિયા, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ), ADMM -પ્લસ સભ્ય દેશો (ચીન, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને રિપબ્લિક ઓફ કોરિયા)ના પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો. સીટી પર 14મી એડીએમએમ-પ્લસ ઇડબલ્યુજી દરમિયાન ભારત અને મલેશિયાના સહ-અધ્યક્ષોએ સાઇકલ 2024-2027 માટે આયોજિત પ્રવૃત્તિઓ માટે કાર્યયોજના જણાવી હતી. તેમાં વર્ષ 2026માં મલેશિયામાં સીટી પર ઇડબલ્યુજી માટે ટેબલ-ટોપ કવાયત હાથ ધરવાની અને વર્ષ 2027માં ભારતમાં ફિલ્ડ ટ્રેનિંગ કવાયત હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી હતી.…
