Home વ્યાપાર જગત - BUSINESS ડેરિવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

ડેરિવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

62
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૮૦૬.૪૯ સામે ૫૭૭૫૫.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૫૭૮.૯૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૧.૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨.૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૭૯૪.૩૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૧૫.૯૦ સામે ૧૭૧૮૯.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૧૫૧.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૭.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૦૭.૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે સાવચેતીએ થઈ હતી. ઓમિક્રોનના વિશ્વભરમાં કેસોમાં ચિંતાજનક વધારા સાથે ભારતમાં વાયુવેગે વિવિધ રાજયોમાં કેસોમાં મોટી સંખ્યામાં વધારો થવા લાગતાં દિલ્હીમાં અંકુશો બાદ હવે મહારાષ્ટ્ર – મુંબઈમાં લોકડાઉન જેવા આકરાં અંકુશો – આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ પર બંધી સહિતના તોળાતાં પગલાં અને આજે ડેરીવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણના અંતે અને કેલેન્ડર વર્ષ ૨૦૨૧ના અંત પૂર્વે આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ આપી સાવચેતીની રૂખ અપનાવી હતી.

ઓમિક્રોનના વધતાં સંક્રમણના પરિણામે દેશભરમાં ફરી હેલ્થકેર સર્વિસિઝ, ફાર્માસ્યુટિકલ્સની માંગમાં મોટી વૃદ્વિ થવાના અંદાજો સાથે કંપનીઓની નફાશક્તિમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ આજે હેલ્થકેર શેરોમાં મોટાપાયે તેજી થઈ  હતી. આ સાથે આઈટી, ટેક, હેલ્થકેર શેરોમાં પણ ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. જ્યારે એનર્જી, ઓઇલ એન્ડ ગેસ અને મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. વૈશ્વિક મોરચે હોલીડે મૂડને લઈ આજે વૈશ્વિક બજારોમાં સાંકડી વધઘટ સાથે ક્રુડ ઓઈલના ભાવ પણ સાધારણ નરમાઈ તરફી રહ્યા હતા જ્યારે એશીયા અને યુરોપના દેશોના બજારોમાં આજે નરમાઈ રહી હતી. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ, એફએમસીજી અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૦૯ અને વધનારની સંખ્યા ૧૮૫૩ રહી હતી, ૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૩૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના મહામારીની બીજી લહેરને પગલે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓની એસેટ્સ ક્વોલિટી નબળી પડવાની સાથે સાથે બેડ લોનનો બોજ પણ વધ્યો છે. રિઝર્વ બેન્કના એક અહેવાલ મુજબ એનબીએફસીની ગ્રોસ એનપીએ માર્ચ-૨૧ના અંતે ૬% હતી જે સપ્ટેમ્બર-૨૧ના અંતે વધીને ૬.૮% થઇ છે. તેવી જ રીતે નેટ એનપીએ સમીક્ષાધીન છ મહિનામાં ૨.૭% થી વધીને ૩% થઇ છે. મહામારીની પ્રથમ લહેર દરમિયાન એનબીએફસી સામે મોટા પડકારો ઊભા થયા હતા. પણ રિઝર્વ બેન્કની નીતિગત પહેલની મદદથી એનબીએફસી બેલેન્સ શીટમાં વાજબી વૃદ્ધિ, ક્રેડિટ ઇન્ટરીડિયેશનમાં વધારો, વધારે મૂડી અને નીચા ડિલિક્વન્સી રેશિયો સાથે મજબૂતીથી ઉભરી આવ્યા.

રિઝર્વ બેન્કે જણાવ્યું કે, સ્પેશિયલ મેકન્સ એકાઉન્ટ્સના નવા આંકડા મુજબ ચાલુ વર્ષે સંભવિત એનપીએમાં નોંધપાત્ર વધારો થયો છે. એસએમએ એટલે એવા આંકડા જ્યાં ધિરાણ લેનારે ચૂકવણી કરવામાં ચૂકી ગયા છે પરંતુ તેઓ હજુ સુધી તે સ્તર સુધી પહોંચ્યા નથી જ્યાં તેમની લોનને એનપીએ કહી શકાય. મહામારીની પ્રથમ લહેર વખતે લોન એકાઉન્ટને એનપીએ તરીકે વર્ગીકૃત કરવા મનાઇ હોવાથી વર્ષ ૨૦૨૦-૨૧માં એનબીએફસીની એસેટ્સની ગુણવત્તામાં સુધારી હતી. અર્થતંત્રમાં અને નાણાંકીય ક્ષેત્રે એનબીએફસીના વધી રહેલા મહત્વને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે તાજેતરમાં નિયમનકારી દેખરેખને વધારવા માટે નવા નિયમો લાગુ કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વ પર કોનો પ્રભાવ સૌથી વધુ છે, વૈજ્ઞાનિક કે રાજકારણી?
Next articleમેટલ અને કન્ઝયુમર ડયુરેબલ્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી નવી લેવાલી નોંધાતા ૪૫૯ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.