Home જનક પુરોહિત ભાજપ જેવાં મોટા મોલને પણ નફા માટે ગલ્લાની મદદ લેવી પડે !

ભાજપ જેવાં મોટા મોલને પણ નફા માટે ગલ્લાની મદદ લેવી પડે !

1115
0

સક્રિય રાજકારણ માંથી નિવૃત્તિ જેવી જાહેરાત કરી મુકેલા ગુજરાતના વરિષ્ઠ નેતા પૂર્વ મુખ્યમંત્રી ફરી પ્રથમ નવરાત્રીથી સક્રિય થઇ રહ્યા છે . તેમણે વચન નિભાવ્યું કહેવાય કે ના તો કોંગ્રેસમાં કે ન ભાજપમાં અને નહિ કોઈ નવો પક્ષ , કારણકે બાપુએ ‘ જન વિકલ્પ ’ નામના મોરચાની જાહેરાત કરી છે . જે રાજકીય પાર્ટી નથી . તેમાં કોઈ પણ પક્ષની વ્યક્તિ કોઈ પણ પક્ષના નિશાન કે અપક્ષના કોઈ પણ નિશાન પર ચુંટણી લડી શકે છે . માત્ર બાપુના આશિર્વાદ જેને મળે તે જન વિકલ્પનો ઉમેદવાર ગણાશે .
કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતને જયારે બાપુ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “ ભાજપ ‘ એ ’ બ્રાંચ , જન વિકલ્પ ભાજપની ‘ બી ’ બ્રાંચ અને એન.સી.પી. ભાજપની ‘ સી ’ બ્રાંચ છે .”
કોંગ્રેસના એક કાર્યકરે ભોજન સમારંભ પ્રસંગે પૂછ્યું કે ભાજપ જેવાં મોટા મોલને પણ જન વિકલ્પ કે એન.સી.પી. જેવાં ગલ્લાઓની મદદની જરૂર પડે ! અમારા એક બોલકા પત્રકારે કહ્યું “ ભાજપનું ‘ ઓનેસ્ટ ’ ભાજી પાવ જેવું છે . આખા ગુજરાતમાં જ નહિ હવે તો અમેરિકામાં પણ તમને ઓનેસ્ટની રેસ્ટોરન્ટ જોવા મળે . પરંતુ તેના માલિક વિજય ગુપ્તાની પોતાની કહી શકાય એવી અર્ધો ડઝન જ રેસ્ટોરન્ટ હશે . બાકીની તમામ ફ્રેન્ચાઈઝી આપેલ હોય છે . ભાજપ પોતાની ૧૮૨ દુકાનોને નફો કરાવવા બાજુમાં એન.સી.પી અને જન વિકલ્પના ગલ્લાએ ખોલાવે છે. આ ભાજપની ફ્રેન્ચાઈઝી જ હોય છે . ભાજપની દુકાનનો માલ સારો ન લાગે તો બાજુના ગલ્લા માંથી ખરીદી થાય પણ કોંગ્રેસની દુકાને ન જાય . આ માટે ફ્રેન્ચાઇઝી આપવી પડે છે . આ ગલ્લાનો બધો જ ખર્ચ ભાજપ ભોગવે માલ પણ પૂરો પડે ગલ્લો ખોલનારને માત્ર નફો જ મળે .” પત્રકારની વાત કાર્યકરને શીરાની જેમ ગળે ઉતરી ગઈ .
ગુજરાતના ખાડામાં ભાજપના ઉમેદવારોના હાડકા ભાંગી જશે.
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ભાજપના ઉત્તર ગુજરાતના એક પાટીદાર ધારાસભ્યનો ભેટો થઇ ગયો . પત્રકારોએ તેમને પૂછવા જેવાં જ સવાલો પૂછ્યા . મૂળવાત તો આ વખતે ભાજપની બેઠકો બહુ ઓછી થવાની છે ? એવા સવાલનો જવાબ મળ્યો “ તે તમે વળી એમાં નવું શું કહ્યું ભાજપનું કુતરું એ જાણે છે .” ફરી એક મિત્ર એ પૂછ્યું પાટીદારો ભાજપને મત ન આપે તો શું કોંગ્રેસને આપશે ? તો જવાબ મળ્યો “ અલ્યા ભાઈ , આ વખતે પાટીદારો કાળા ચોરને મત આપશે , પણ ભાજપને નહિ .” આ રસ્તાઓના ખાડા ચુંટણી પહેલાં પૂરી દેવાશે . છતાં ચૂટણીમાં નડે એવું લાગે છે ? ધારાસભ્ય ગુસ્સે થયાં “ તમને પત્રકાર કોણે બનાવ્યા ? લોકોના હાડકા ભાંગ્યા હોય , વહાણો ભંગાર થઇ ગયા હોય ઈં હંધુય ભૂલી જવાના ? આ વખતે ભાજપના ભ્રષ્ટાચારના ખાડા ભાજપના તમામ ઉમેદવારોના હાડકા ભાંગી જાય એટલી મહેનત કરાવશે . લોકો એવા વાહે દોડવાના છે કે ઉમેદવાર હાંફી રેવાનો .”
ધારાસભ્ય વાત પુરીકરી રવાના થયાં .
આશ્ચર્ય વ્યક્ત કરતાં એક મિત્રએ કહ્યું ભાજપને હવે વિરોધ પક્ષની જરૂર જ નથી . કોંગ્રેસની બેઠકો સાવ ઓછી આવે તો પણ ભાજપની અંદર જ સબળ વિરોધ પક્ષ જામી ચુક્યો છે .
સાહેબ અમરેલી આવ્યા તો ખબર પડી કે પાક વિમાની રકમનો પ્રશ્ન છે .
ખાનપુર ભાજપ કાર્યાલય પાસે ચાની ચૂસકી લઇ રહેલા કાર્યકરો પૈકી એક કાર્યકર અમરેલી જીલ્લાનો વતની હતો . જેથી અન્ય કાર્યકરે પૂછ્યું “ અલ્યા , સાહેબ ( વડાપ્રધાન ) અમરેલી આવ્યા ત્યારે ગયો હતો કે નહિ ?” જવાબ મળ્યો “ હું ચાર દિવસ મારા વતનમાં રહ્યો . અમારા ગામને ચાર એસ.ટી. ની બસો ફાળવવામાં આવી હતી . ચારે બસમાં અમે ૧૦ – ૧૦ સગા – સબંધી – મિત્રોને આગ્રહ કરીને બેસાડ્યા , જમાડ્યા , અને મજા કરાવી .”
ફરી સવાલ આવ્યો કે “ સાહેબ આવ્યા , તો ચૂટણીમાં કેટલો ફાયદો થવાનો ?”
અમરેલીના મિત્રએ કહ્યું “ અમારા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી પાક વિમાની રકમના મુદ્દે આ કોંગ્રેસ વાળા આંદોલનો અને રજુઆતો કરતાં હતા . આ વખતે ભાજપની હારનું કારણ જ એ નીકળે એમ હતું કે પાક વીમાના મુદ્દે ભાજપ હાર્યું . એક વર્ષમાં ગુજરાતના આપણા મોટા નેતા રૂપાલાજીએ એક પણ વાર આપણા નરેન્દ્રભાઈને કહ્યું નહિ કે સાહેબ આ પાક વીમા નો પ્રશ્ન પતાવો નહિ તો આપણે પતિ જઈશું . એતો સાહેબ અમરેલી આવ્યા ને વળી એમના કાને કોઈએ વાત નાખીકે આમરો બધું સારું છે પણ જો આ પાક વિમાની રકમ છૂટી થાય તો આપણે મત માંગવા જઈ શકીએ . સાહેબે દિલ્હી પહોચીને તરત જ ૯૦૦ કરોડ ની રકમ આખા ગુજરાત માટે છૂટી કરી દીધી .”
એક મિત્ર એ સવાલ કર્યો “ તો પછી હવે તો ભાજપ જીતી જશે ને ?” તો જવાબ મળ્યો “ નાં આ તો મત માંગવા જવા નો રસ્તો ખુલ્લો થયો . મત મળી જશે એવું ક્યાં કહ્યું હતું .”
દેશમાં ભલે મંદી હોય , આ વખતે ગુજરાતનું નવું વર્ષ ખુબ સારું જવાનું .
બાપુના એક ખાસ સમર્થક મિત્રનો ફોન આવ્યો “ શું લાગે છે! બાપુના ફાઈનાન્સર કોણ હોઈ શકે ? અત્યારે મંદીના માહોલમાં કોઈ કોર્પોરેટ હાઉસ તો આટલું મોટું ફાઈનાન્સ કરે નહિ . મને તો લાગે છે કે આ ભાજપના રૂપિયા જ ફરતા થયા લાગે છે .”
પ્રશ્ન પૂછીને જાતે જ જવાબ આપનાર મિત્રને કહ્યું “ તમને જે લાગે તે સાચું . રૂપિયા ગમે તેના હોય આપણે ટપટપ થી શું કામ રોટલો મળે છે ને !”
તો મિત્રએ કહ્યું “ એ તમે સાચી અને સારી વાત કરી . આ વખતે દેશમાં ભળે ગમે તેટલી મંદી આવે , પણ ગુજરાતનું નવું વર્ષ ખુબ સારું જવાનું છે . ભાજપ કરોડો રૂપિયા ઠાલવશે એટલે કોંગ્રેસને પણ દોરવાવું પડશે . આ બધું ગુજરાતના વેપાર ધંધા ને પુષપ આપનારું સાબિત થશે . જોકે કેટલુક ધન નેતાઓની તિજોરી માં બંધ પણ થઇ જશે . છતાં રૂપિયો ફરતો પણ થવાનો .”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોદી કેબિનેટમાંથી ઉમા, રાધા, રુડી આઉટ..શિવરાજ, વસુંધરા, રમણસિંહ ઇન…!!?
Next articleહું કોઇને કાંઇ આપવાનો નથી, જેને ચૂંટણી લડવી હોય તે પૈસા લઇને આવે ઃ બાપુ