(જી.એન.એસ) તા. 15
બહરાઇચ,
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં એક બસ દ્વારા એક રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 16 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં.
આ ભયાનક માર્ગ અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, ગોંડા-બહરાઇચ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. મૃતકો અને ઈજાગ્રસ્ત લોકો હુઝુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હીરાપુર ગામના રહેવાસી છે. તેઓ રીક્ષામાં લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન બસે રીક્ષાને ટક્કર મારી હતી. મૃતકોની ઓળખ અઝીમ, ફહાદ, મરિયમ, અમજદ અને મુન્ની તરીકે થઈ છે. આ અકસ્માત સર્જાય બાદ લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. થોડી જ વારમાં ગોંડા-બહરાઇચ રોડ પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

