Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સત્યપાલસિંહ બધેલ સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી રાજ્યમંત્રી તરીકે સોંપાયું

સત્યપાલસિંહ બધેલ સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી રાજ્યમંત્રી તરીકે સોંપાયું

43
0

કેન્દ્ર સરકારની કેબિનેટમાં એક પછી એક મંત્રીઓના મંત્રાલય બદલી રહ્યા છે. ગુરુવારે કાયદા અને ન્યાય મંત્રાલયમાંથી કિરણ રિજિજૂને હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ વધુ એક મંત્રીનું ખાતું બદલી દેવામાં આવ્યું છે. હવે રાજ્યમંત્રી સત્યપાલસિંહ બધેલની છુટ્ટી કરવામાં આવી છે. તેમને સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી રાજ્યમંત્રી તરીકે સોંપવામાં આવી છે. આ અંગે રાષ્ટ્રપતિ ભવન તરફથી એક નિવેદન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુએ એસપી સિંહ બઘેલને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રીને બદલે સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા ગુરુવારે રિજિજૂની જગ્યાએ સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલને કાયદા તેમજ ન્યાય મંત્રાલયનો સ્વતંત્ર કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. રિજિજૂને ભૂ વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જી જી જૂને બદલે મેઘવાલને મંત્રાલયનું કાર્યભાર તુરંત સંભાળવાનું કહેવામાં આવ્યું હતું જેથી અર્જુન રામ મેઘવાલે કાયદા મંત્રી તરીકે તુરંત જ કાર્યભાર સંભાળ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleપ્રધાનમંત્રી મોદી 28 મેએ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન