Home ગુજરાત શંકર ચૌધરી ડીપ્લોમા પછી સીધા માસ્ટર, તો સ્નાતકની પરીક્ષા ક્યારે આપી?

શંકર ચૌધરી ડીપ્લોમા પછી સીધા માસ્ટર, તો સ્નાતકની પરીક્ષા ક્યારે આપી?

997
0


(જી.એન.એસ.) ગાંધીનગર, તા.4
રાજ્યકક્ષાના મંત્રી શંકરભાઇ ચૌધરીએ ચૂંટણી પંચમાં આપેલી એફિડેવિટમાં તેમની શૈક્ષણિક લાયકાતને લઇને વિવાદ સર્જાયો છે. તેમણે 2017ની આ વિધાનસભા ચૂંટણી માટે કરેલી ઉમેદવારીમાં ચૂંટણી પંચને કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમણે 1987માં એસએસસી પાસ કર્યું. એચએસસી એટલે કે ધો,12 2011માં પાસ કર્યું. અને ડીબીએ એટલે કે ડિપ્લોમા ઇન બીઝનેસ એડમિનિસ્ટ્રેશન 2007માં અને એમબીએ 2009માં કર્યું છે. એમબીએ એટલે માસ્ટર ઇન બીઝનેસ એડમિનિસ્ટ્રેશન. નવાઇની વાત એ છે કે તેમણે ધો.12 2011માં પાસ કર્યું અને તે પહેલા બીઝનેસમાં ડીપ્લોમા અને માસ્ટર પદવી પણ લઇ લીધી તો તેમણે સ્નાતકની પરીક્ષા ક્યારે આપી? શું માસ્ટરની પદવી સ્નાતક વગર શક્ય છે એવો પ્રશ્ન પણ સોશ્યલ મિડિયામાં ચર્ચાઇ રહ્યો છે. 2012ની ચૂંટણીમાં તેમણે માત્ર એસએસસી,એચએસસી અને એમબીએનો ઉલ્લેખ કર્યો હતો. વર્ષનો ઉલ્લેખ નથી. જ્યારે 2007ની ચૂંટણીમાં તેમણે આપેલી એફિડેવિટમાં માત્ર 1987માં એસએસસી પાસ કર્યાનો ઉલ્લેખ છે. આમ સોસ્યલ મિડિયામાં વિવાદ એ છે કે ડીગ્રી લીધા વગર શંકરભાઇ ચૌધરીએ માસ્ટરની પદવી કઇ રીતે લીધી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોંગ્રેસમાં બાદશાહની ઓલાદને સત્તા, તેમને મુબારક ઔરંગઝેબ રાજ ઃ નરેન્દ્ર મોદી
Next articleબોગસ સંસ્થામાંથી બનાવટી ડીબીએ-એમબીએ..?, ફરી છેડાયો શંકરભાઈ ચૌધરીની ડીગ્રીનો વિવાદ….!!?