(જી.એન.એસ.,રવિન્દ્ર ભદૌરિયા)તા.૦૭
ગુજરાતમા રૂપાણી સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે આવતી કાલે ગાંધીમંદિર ખાતે ઉજવણી કરવામાં આવવાની છે ત્યારે આજે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ રૂપાણી સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યુ કે કોઈ બાળક આજે 20 વર્ષનું છે તો કાલે 21 વર્ષનું થવાનું જ છે એજ રીતે જેની પણ સરકાર હોય એને વર્ષો તો થવાના જ છે.સરકારે આવા ખોટા તાયફા કરવાની જરૂર નથી સરકારે એમ વિચારવું જોઈએ કે કેટલી બેકારીમાં ઘટાડો થયો કેટલી રોજગારી આપી મંદીમા કેટલો ઘટાડો કરી શક્યા આ બધા મુદ્દાાાઓ પર ધ્યાન આપવાની જરૃર છે પરંતુ આ સરકાર મુદ્દાઓને ડાયવર્ટ કરવામાં માહિર છે.આજે મંદીમા ધરખમ વધારો થઈ રહ્યો છે. બેકારીમા પણ વધારો થઈ રહ્યો છે.લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે.લોકો આત્મહત્યા કરે છે.આ સરકારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે.સરકાર આ બધાનો ઉકેલ લાવવાની જગ્યાએ ખોટા તાયફા કરીને પ્રજાના પૈસા વેડફે છે.સરકારે અર્થતંત્ર કેમ મજબૂત થાય તેમજ કઈ રીતે મંદીમા તેમજ બેરોજગારીમાં ઘટાડો થાય તે દિશામાં પગલાં ભરવાની જરૂર છે.નહિ કે આવા ખોટા તાયફા કરવાની.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.