(જી.એન.એસ),તા.૦૨
મુંબઈ,
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પહેલાથી જ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. તેમને આશા હતી કે, આ ખેલાડી આ સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે અત્યારસુધી આઈપીએલમાં 2024માં કુલ 3 મેચ હારી ગઈ છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન હાર્દિક હુટિંગનો શિકાર બન્યો હતો. તે સમયે રોહિત શર્માએ લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની સતત 3 હાર બાદ હાર્દિક પંડ્યાના લોકોના નિશાન પર આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક મેસેજ કરી લોકોના મોંઢા બંધ કરી દીધા છે.
હાર્દિક પંડ્યાએ ટ્વિટર (હવે X) પર લખ્યું, ‘ આ ટીમ વિશે તમારે એક વસ્તુ જાણવી જોઈએ, તો તે એ છે કે અમે ક્યારેય હાર માનતા નથી. અમે લડતા રહીશું અને આગળ વધીશું. IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ટીમ મેનેજમેન્ટે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપી હતી. ઘણા ચાહકો આનાથી નાખુશ છે. આ જ કારણ છે કે ગુજરાતના આ ખેલાડીને ટ્રોલનો સામનો કરવો પડ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.