Home દેશ - NATIONAL મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે ધાર જિલ્લા સ્થિત ભોજશાળા પર સર્વે કરવાનો ભારતીય...

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે ધાર જિલ્લા સ્થિત ભોજશાળા પર સર્વે કરવાનો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આદેશ આપ્યો

24
0

(જી.એન.એસ),તા.૧૧

મધ્યપ્રદેશ,

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે આજે સોમવારે ધાર જિલ્લા સ્થિત ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાની અરજી ગ્રાહ્ય રાખીને આદેશ આપ્યો હતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આગામી છ સપ્તાહની અંદર ભોજશાળા મંદિર છે કે મસ્જિદ તેનો સર્વે કરવાનો છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે, ગત 19 ફેબ્રુઆરીએ હિન્દુ ટ્રસ્ટની અરજી પર સુનાવણી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. ભોજશાળા એ ASI સંરક્ષિત સ્મારક છે. જેને હિન્દુઓ વાગદેવી તરીકે ઓળખતા માતા સરસ્વતીનું મંદિર કહે છે. જ્યારે મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલા મસ્જિદ હોવાનો દાવો કરે છે. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે 2 મે 2022ના રોજ ભોજશાળામાં નમાજ અદા કરવા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને પુષ્ટિ કરી હતી કે હાઇકોર્ટે કાશીના જ્ઞાનવાપીની જેમ ધારની ભોજશાળામાં સર્વેની મંજૂરી આપી છે.

બે વર્ષ પહેલા હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ASIને વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માંગ કરવામાં આવી હતી, જેથી કરીને સ્પષ્ટ થઈ શકે કે ભોજશાળા ખરેખર મંદિર છે કે મસ્જિદ. અદાલતે અરજદારો દ્વારા પુરાવા તરીકે રજૂ કરાયેલા રંગીન ચિત્રોના આધારે સર્વેની મંજૂરી આપી હતી. અરજદારોએ કોર્ટને જણાવ્યું કે સ્તંભો પર સંસ્કૃતમાં શ્લોકો લખેલા છે. તેમણે કહ્યું કે આ માતા વાગદેવીનું મંદિર છે, માતા વાગદેવીની મૂર્તિ લંડનના મ્યુઝિયમમાં છે. સ્તંભ પર લખાયેલા શ્લોક પરથી કહી શકાય કે આ ભોજશાળા એ મસ્જિદ નહી પરંતુ માતા વાગદેવીનું મંદિર હતું. જો કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચ દ્વારા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો છે. આગામી છ સપ્તાહમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા સર્વેનો રિપોર્ટ હાઈકોર્ટની ઈન્દોર બેંચને સુપરત કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleGMC ના જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સબ ઓડિટર/ સબ એકાઉન્ટન્ટ, સર્વેયર સહિતના 60 કર્મચારીઓને 2/3 નો લાભ આપીને પ્રમોશન આપવામાં આવ્યું
Next articleટોરેન્ટ પાવરને મોટો સોલાર પ્રોજેક્ટ મળતા શેરના ભાવમાં આવ્યો 12 ટકાનો ઉછાળો